SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનનું સ્વપ્રકાશત્વ સંભવતું નથી નૈયાયિક – અનુપન જ્ઞાનથી ઉત્પન્ન જ્ઞાન ભિન્ન કેમ નહિ ? [ભિન્ન જ છે. તેથી અર્થને પ્રત્યક્ષ જાણવાના સ્વભાવવાળાં જ્ઞાન હોવાથી તેવા તેવા જ્ઞાનનો ઉપાદ એ જ જ્ઞાનની અર્થ પ્રત્યક્ષતા છે અને નહિ કે [અર્થને પ્રત્યક્ષ જાણવાના સ્વભાવવાળા] જ્ઞાનનું ગ્રહણ એ જ્ઞાનની અથ પ્રત્યક્ષતા છે. નિષ્કર્ષ એ કે અગૃહીત જ જ્ઞાન અર્થનું પ્રકાશક છે એમ સ્વીકારવું યોગ્ય છે. ઉપાય હે ઈ તેનું ગ્રહણ પહેલાં થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે અનૈકાતિક છે કારણ કે ચક્ષ વગેરે ઉપાય હોવા છતાં તેમનું ગ્રહણ જ થતું નથી. જે ગૃહીત જ્ઞાન અર્થોનું પ્રકાશક બનતું હોય તે તે ઘૂમની જેમ અર્થોનું પ્રકાશક બને છે કે ગોપની જેમ તે જણાવવું જોઈએ. જો ધૂમની જેમ તે અથનું પ્રકાશક બનતું હોય તો અર્થો અનુમય બની જાય, પરંતુ અર્થે અનુમેય છે એ [સૌત્રાન્તિક] મતને તે તમે દૂષિત દર્શાવ્યા છે. જે તે દીપની જેમ અર્થનું પ્રકાશક બનતું હોય તે [પ્રકાશ્ય ઘટ અને પ્રકાશક દીપ એ બે આકારોની સંવિત્તિની જેમ અથ અને જ્ઞાન એ બે આકારોની સંવિત્તિ થવી જોઈએ, પર તુ અર્થ અને જ્ઞાન એ બે આકારોની સંવિત્તિ ન હોવાથી આ પક્ષ પણ ઘટતો નથી. “ધટને દીપ વડે હું દેખું છું' એમ બે આકારની સંવિત્તિનું સંવેદન છે પરંતુ “જ્ઞાન વડે ને હું જાણું છું એમ બે આકારની સંવિત્તિનું સંવેદન નથી. જ્ઞાનમાં પ્રકાશત્વ હોવાને કારણે પ્રદીપની જેમ તેનું ગ્રહણ થાય છે એમ જે તમે પહેલાં કહ્યું તેને પણ સમજાવવું જોઈએ. પ્રકાશત્વ હેવાને કારણે એને શું અર્થ છે ? 163. પ્રશાશયતીતિ ઘવાર, તસ્ય માવ ઘરાવમિતિ | તસુમિરनैकान्तिकमुक्तमेव । अथ प्रकाशनं प्रकाशः, तर्हि प्रकाशत्वादित्यसिद्धो हेतुः । न ह्यर्थग्रहणकाले बुद्धेः प्रकाशनमस्ति । 163. વિજ્ઞાનાતવાદી – જે પ્રકાશિત કરે છે તે પ્રકાશ છે; પ્રકાશને ભાવ પ્રકાશત્વ છે. તૈયાયિક – તેવું પ્રકાશ વ તે જે ચક્ષુ વગેરેનું ગ્રહણ નથી થતું તેમાં પણ છે. તેથી “પ્રકાશત્વ હેવાને કારણે એ હેતુ અનૈકાતિક છે એમ અમે અગાઉ જણાવ્યું જ છે. વિજ્ઞાનદૈતવાદી – પ્રકાશવું તે પ્રકાશ છે. યાયિક – તે “પ્રકાશત્વ હેવાને કારણે એ હેતુ અસિદ્ધ બનશે, કારણ કે અર્થગ્રહણકાળે જ્ઞાન પ્રકાશતું નથી. 164. બથ પ્રકાશરાદ્ધો વોઘપર્યાય જીવ | પ્રારાવાત્ વોઘરાવાઢિયઃ | तदा साधनविकलो दृष्टान्तः, प्रदीपस्य बोधरूपत्वाभावात् । अतश्च स्वसंवेदनपक्षो न युक्तियुक्तः, स्वत:प्रकाशस्य कस्यचिदप्यदृष्टत्वात् । 164. વિજ્ઞાનાતવાદી – પ્રકાશ' શબ્દ એ બોધને જ પર્યાય છે. પ્રકાશત્વ હોવાને કારણે એટલે બોધપણું હોવાને કારણે. તૈયાયિક – આમ માનતાં તો દુષ્ટાત સાધનવિકલ બની જશે, કારણ કે પ્રદીપમાં બાધારૂપતાને અભાવ છે. તેથી જ્ઞાનનું સ્વસવેદન સ્વીકારતા પક્ષ તર્કસંગત નથી. જ્ઞાનના સ્વત પ્રકાશને કોઈને અનુભવ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy