SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ સાંસારિક સુખ પણ દુ:ખ જ છે साक्षिकत्वेन च सुखस्य प्रत्याख्यातुमशक्यत्वात् । तत्प्रत्याख्याने च विवक्षिते किमर्थं प्रमेयसूत्रे फलपदोपादानम् ? फले खलु सुखदुःखे इति व्याख्यातम् । ततश्च सुखे प्रत्याख्याते दुःखमेवावशिष्यते । तच्चानेन दुःखशब्देनैव निर्दिष्टमिति किं फलग्रहणेन ? 174. શંકાકાર – પૂર્વ સૂત્રમાં વ્યાખ્યાત ફલ' શબ્દના પ્રહણથી દુઃખને ઉપદેશ થઈ ગયે હોઈ શા માટે ફરી દુઃખનો ઉપદેશ આપે છે ? જે તમે નાયિકે કહે છે કે સુખને પ્રતિષેધ કરવા માટે દુઃખને ફરી ઉપદેશ આપવામાં આવ્યું છે તો અમે કહીએ છીએ કે તેમ કહેવું યોગ્ય નથી કારણ કે તેમાં પૂર્વાપર વિરોધ આવે છે તેમાં પૂર્વાપર વિરોધ આવે છે કારણ કે પહેલાં તે તમે નૌયાયિકોએ જ દુઃખની જેમ સુખનું પણું ફળ તરીકે પ્રતિપાદન કર્યું છે. વળી, સકલ પ્રાણીઓને અનુભવ સાક્ષી રૂપ હેઇ, સુખને પ્રતિષેધ કરે અશક્ય છે. જે સુખનો પ્રતિષેધ વિવક્ષિત હોય તે પ્રમેયસૂત્રમાં “ફળ’ શબ્દનું ગ્રહણ શા માટે કર્યું ? સુખ-દુઃખ બે ફળ છે એમ તમે સમજાયુ' છે. પણ સુખને પ્રતિષેધ થતાં તો દુઃખ જ બાકી રહે. તે દુઃખને જ “દુઃખ” શબ્દ વડે નિર્દેશ છે, એટલે ફલ' શબ્દનું ગ્રહણ પ્રમેયસૂત્રમાં શા માટે ? 175. ઉદયતે | ન સુવરાજ્ય સંતરે નતુfમરત્તરાત્તરાડનુમૂયમાનસ્થ प्रत्याख्यानाय दुःखग्रहणम् , किन्तु सर्वत्र तथात्वभावनोपदेशार्थम् , सोऽपि सुखलवो दुःखमेवेति भावयितव्यः, तत्साधनमपि सर्व दुःखमेवेति मन्तव्यम् । न तद् व्यवसितं पुंसां न तत् कर्म न तद् वचः । न तद् भोग्यं समस्तीह यन्न दुःखाय जायते ।। तदित्थं दुःखमुत्कृष्टं तिरश्चां, मध्यमं मनुष्याणां, हीनं देवानां, हीनतरं वीतरागाणामित्यागमविदः । वीतरागाणां दु:खतानवं युक्तितोऽप्यवगम्यते, दुःखस्य रागनिबन्धनत्वात् । 175. નાવિક – અમે ઉત્તર આપીએ છીએ. સંસારમાં પ્રાણીઓ વચ્ચે વચ્ચે લેશમાત્ર જે સુખ અનુભવે છે તેને પ્રતિષેધ કરવા “દુઃખ' શબ્દનું ગ્રહણ સૂત્રમાં કર્યું નથી પરંતુ સંસારમાં સર્વત્ર દુઃખ જ છે એવી ભાવનાનો ઉપદેશ કરવા માટે “દુ:ખ’ શબ્દનું ગ્રહણ સૂત્રમાં કર્યું છે. તે લેશમાત્ર સુખ પણ દુ ખ જ છે એમ બે વિવું જોઈએ, તે સુખના બધાં સાધને પણ દુઃખ જ છે એમ માનવું જોઈએ. પુરુષોને એવો કે ઈ વિચાર નથી, એવું કઈ કમ નથી, એવું કોઈ વચન નથી, એવું કોઈ ભેગ્ય થી જે દુઃખને માટે ન હેય આમ ઉત્કૃષ્ટ દુ:ખ તિયને, મધ્યમ દુ:ખ મનુષ્યોને, હીન દુઃખ દેવને અને હીનતર દુખ વનરાગીઓને હોય છે એમ આગમને જાણકારો કહે છે. વીતરાગીઓના દુઃખની અત્યક્ષતા તર્કથી પણ જાણી શકાય છે, કારણ કે દુ:ખનું કારણ રાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy