SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ઉત્પત્તિ પૂર્વે કાર્ય સત છે પણ અનભિવ્યક્ત છે એ સાંખ્ય મત અને તેનું ખાન 96. વસ્તુ અનુભયાત્મક તો છે જ નહિ. એટલે, પરિશેષાનુમાનથી કાર્ય (ઉત્પત્તિ પૂર્વે) સત જ છે. તૈયાયિક – જે કાર્ય ઉત્પત્તિ પૂર્વે સત હોય તો ત્યારે ઉપલબ્ધ કેમ થતું નથી. સાંખ્ય – અનુમાનથી જે ઉપલબ્ધ હોય છે તે શું અનુપલબ્ધ હોય છે ? ત્યારે કાય પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતું નથી કારણ કે તે ત્યારે અનભિવ્યક્ત હોય છે. કાર્યની અભિક્તિનું સંપાદન કરવામાં જ કારકેના પ્રયત્નનું સાફય છે. કાય” તે સત જ હોય છે. યાયિક – આના પ્રતિષેધમાં અમે કહીએ છીએ કે કયા રૂપે કાર્યને તમે ત્યારે (= ઉત્પત્તિ પૂર્વે) સત માને છે ? જે કારકવ્યાપાથી ઉત્પન્ન થયેલ, જવાહરણ આદિ અક્રિયા કરવાને સમર્થ અને પૃથ-બુનેદરકારવાળા રૂપે ચાકડાના માથા ઉપર સ્થિત ધટ તે વખતે અસ્તિત્વ ધરાવતા હોય તે તે વખતે તે અભિવ્યક્તરૂપે અસ્તિત્વ ધરાવતા હોવાથી કારકોના વ્યાપારનું અત્યંત વૈફલ્ય આવી પડે, અને વળી કારકોને વ્યાપાર ન વિરમવાની આપત્તિ પણ આવે કારણ કે શું પામીને કારક અટકે ?, કેમકે કાર્ય તો પહેલેથી જ પ્રાપ્ત છે. 97. अथ मृत्पिण्डरूपेण तदानीं घटोऽस्तीति कथ्यते, तर्हि न ह्यसौ तदानीं घटोऽस्ति, मृत्पिण्ड एवासावस्ति । न हिं अन्यरूपेणान्योऽस्तीति शक्यते वक्तुम् । उष्ट्रोऽप्यसन् मृत्पिण्डरूपेणास्तीति स्यात् । 97. જે તમે કહે કે મૃપિંડરૂપે તે વખતે ઘટનું અસ્તિત્વ છે તે અમારે કહેવું જોઈએ કે તે વખતે ઘટનું અસ્તિત્વ નથી, મૃપિંડનું જ અસ્તિત્વ છે. અન્યના રૂપથી અન્યનું અસ્તિત્વ છે એમ કહેવું શક્ય નથી. જિ સ્વરૂપથી અસત ઘટ મૃપિંડરૂપથી ત્યારે અસ્તિત્વ ધરાવતો હોય તે સ્વરૂપથી] અસત્ ઊંટ પણ મૃપિંડરૂપથી ત્યારે અસ્તિત્વ ધરાવે છે એમ માનવું પડે. 98. अथोष्ट्र रूपमुत्तरकालमपि न निर्वय॑ते, घटस्तु ततो निवर्त्यते । यद्येवं, यदैवासौ निर्वय॑ते तदैवास्ति, न ततः पूर्वमिति । 98. સાંખ્ય – મૃપિંડમાંથી ઉત્તરકાળે ઊંટરૂપ ઉત્પન્ન થતું નથી પણ ઘટ તે મૃપિંડમાંથી ઉત્તરકાળે ઉત્પન્ન થાય છે. [એટલે ત્યારે મૃપિંડરૂપથી ઘટ અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય પણ ત્યારે મૃપિંડરૂપથી ઊંટ અસ્તિત્વ ધરાવે છે એમ ન કહી શકાય] યાયિક - જે એમ હોય તો જ્યારે ઘટ ઉત્પન થાય છે ત્યારે જ તેનું અસ્તિત્વ છે, ઉત્પત્તિ પહેલાં નથી. 99. નથ પૂર્વ શાયામના તસ્યાતિવમાનીમથકથામના શિરે इति । तदप्यनुपपन्नम् , अभिव्यक्तिरपि तत्स्वरूपाद् भिन्नाऽभिन्ना वा सत्यसती वेति विकल्प्यमाना न पूर्वोक्तं दोषमतिवर्तते । 99. સાંખ્ય – ઉત્પત્તિ પહેલાં શક્તિરૂપે ઘટનું અસ્તિત્વ છે, અત્યારે અભિવ્યક્તિરૂપે તેને અસ્તિત્વમાં લાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy