SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકકારણમાંથી એક કાર્યના પક્ષનું ખંડન ૨૦૦૩ થાય છે એમ સ્વીકારે છે. ઉપરાંત, જે અનેક કારણથી ઉત્પન્ન કાર્યને તમે એક ગણુતા હે તે કારણોના ભેદથી કાર્યમાં આવેલી સ્વભાવની અનેક્તા વડે કાર્યનું એકત્વ વિરોધ પામશે, કારણ કે અન્યથા (અર્થાત કાર્યનો સ્વભાવ કારણુયત્ત છે એમ ન સ્વીકારે તે) કાર્યોનો સ્વભાવ કારણધીન નહિ રહે અને પરિણામે કાયના સ્વભાવને આકસ્મિક માનવાની આપત્તિ આવશે. કારણભેદથી આવેલ અનેક સ્વભાવ ધરાવનારા કાર્યનું પણ એવું સંભવતુ હોય તે પછી અનેક કાળ સાથે સંબંધ ધરાવનારનું પણ એકત્વ બને, અથવા તો અનેક સ્વભાવ ધરાવનાર વસ્તુનું અસત્ત્વ છે એમ તમારે પૂર્વવત કહેવું જોઈએ. 94. लोचनालोकमनस्कारादिकारणभेदेऽपि कार्यमेकरूपं ज्ञानमिति चेत् , न, तस्य भवन्मते विषयाकारग्राहकत्वस्वसंवेदनरूपभेदात् । निराकारज्ञानवादिनो हि बौद्धस्य प्रतिकर्मव्यवस्था न सिध्यति, जनकस्य कर्मणः प्रतिभासे स्थैर्यप्रसङ्गात् । एकसामाग्रयधीनत्वपक्षस्यासंभवात् , संभवेऽपि ग्राह्यनियमनिमित्तत्वाभावादिति । 94 જે તમે બૌદ્ધો કહે કે ચક્ષ, પ્રકાશ, મનસ્કાર આદિ અનેક ભિન્ન ભિન્ન કારણે હેવા છતાં તેમનું કાર્ય જ્ઞાન એકરૂપ થાય છે, તે અમારું કહેવું છે કે ના એમ નથી, કારણ કે તમારા (=સૌત્રાન્તિક બૌદ્ધોના) મતે તે જ્ઞાન [એકરૂપ નથી પણ વિષયકાર, ગ્રાહકાકાર અને સ્વસંવેદન એવાં ભિન્ન ભિન્ન રૂપે ધરાવે છે અને જે બૌદ્ધો નિરાકારજ્ઞાનવાદી છે તેમના (અર્થાત વૈમ.ષિકેના) સિદ્ધાંતમાં તે પ્રતિકમ વ્યવસ્થા [ = આ જ્ઞાનને વિષય – કમ આ જ વસ્તુ છે એવી વ્યવસ્થા] જ ઘટશે નહિ; નીલથી ઉત્પન્ન થયું હોઈ આ જ્ઞાન નીલનું છે એમ કહેવાય છે અને આમ તદુત્પત્તિથી પ્રતિકર્મવ્યવસ્થા ઘટે છે એવું જે તમે નિરાકારનવાદી બોદ્ધો કહેતા હો તે તે બરાબર નથી કારણ કે તેમ માનતા) જન્ય જ્ઞાનને અનુલક્ષી જનક કામના સ્થયની આપત્તિ આવે. [ આ આપતિને ટાળવા માટે નિરાકાર જ્ઞાનવાદી બૌદ્ધોએ લીલે આ] પક્ષ -- નીલ અને નીલજ્ઞાન બને એકસામગ્રીજન્ય છે, અર્થાત સહભૂ છે એટલે તે જ્ઞાન તે કર્મનું જ છે એ વ્યવસ્થા ઘટે છે – સંભવ નથી [ કારણ કે કર્મભૂત ક્ષણિક અર્થની ઉત્પત્તિ જ્ઞાનની ઉત્પત્તિ વખતે થતી નથી; પૂર્વોત્પન્ન વસ્તુને જ જ્ઞાન વિષય કરે છે.] [ જ્ઞાન તે જ વસ્તુને રહે છે જે વસ્તુ જ્ઞાનજનક સામગ્રીથી જ ઉત્પન્ન થઈ હોય છે –] આ પક્ષ સંભવતે હેય તે પણ વસ્તુ જ ગ્રાહ્ય [અને જ્ઞાન જ ગ્રાહક] એવા નિયમનું નિયામક તે કઈ જ નથી. 95. अथोच्यते किमनभ्युपगतपक्षोपमर्दनेन ? बहुभ्यो बहुसंभव इत्येष एव नः पक्षः । सन्तानवृत्या वर्तमाना पूर्वसामग्री सरूपामुत्तरसामग्रीमारभते, विजातीयकारणानुप्रवेशे तु विरूपाम् इति । 95. બૌદ્ધ– જે પક્ષે અમે સ્વીકાર્યા નથી તેમનું ખંડન કરવાથી શું ? અનેક કારણથી અનેક કાર્યો ઉત્પન્ન થાય છે એ જ અમારો પક્ષ છે. સંતાનરૂપે વર્તમાન પૂર્વ સામગ્રી( = ઘટરૂપે સંચિત અણુઓ) તેના જેવી જ ઉત્તર સામગ્રીને ( = ઘટરૂપે સંચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy