SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યભિજ્ઞાને વિષય કે છે ? रहितवस्तुस्वरूपग्राहिणी प्रत्यभिज्ञेत्युच्यते । तदप्ययुक्तम् , वर्तमान कनिष्ठतायाः प्रदर्शितत्वात् । भावानां च विनाशजन्मनोर्वर्तमानो वा कालः स्यादन्यो वा ? तदन्यस्तावद् ग्रहीतुमशक्य इत्युक्तम् । वर्तमाने तु तदुत्पादविनाशकाले कथ्यमाने तद्ग्रहणात् तदविनाभूतौ भावानामुत्पादविनाशावपि गृहीतौ स्याताम् । सेयं तपस्विनी स्थैर्य प्रसाधयितुमागता । प्रत्यभिज्ञा विनाशित्वं प्रतिष्ठाप्य गमिष्यति ॥ 78. અથવા, આ પ્રત્યભિજ્ઞા એક જ જ્ઞાન હો, તેમ છતાં તે કેવી વસ્તુને સ્પર્શે છે એની પરીક્ષા કરે. જે તે અતીતકાલયુક્ત વસ્તુને સ્પર્શતી હોય તો તે સ્મરણથી ભિન્ન ન ઠરે. જે તે અનાગતવિશિષ્ટ વસ્તુને સ્પર્શતી હોય તો તે સંક૯૫પ્રાયઃ જ ઠરે. જે તે વર્તમાનમાં જ રહેલી વસ્તુને સ્પર્શતી હોય તે વસ્તુની સ્થિરતા તેને બરાબર સ્થિર કરી ! જે તે ત્રણેય કાળથી વિશિષ્ટ વસ્તુને સ્પર્શે છે એમ તમે કહે તો અમારે કહેવું જોઈએ કે તે ત્રણ કાળ પરસ્પર વિરુદ્ધ હોઈ ત્રણે કાળથી વિશિષ્ટ એવી એક વસ્તુ હેવી દુર્લભ છે. એકબીજાને પરિત્યાગ કરી પોતાનું સ્વરૂપ વ્યવસ્થિત રાખનારાઓને એકત્ર સમાવેશ કોઈ રીતે ઘટતું નથી, ઉદાહરણાથ, નીલાભાવ સાથે અવિનાભાવસંબંધ ધરાવતા લહિત આદિને દૂર કરતા નીલજ્ઞાન વડે નીલ વસ્તુ છે એવો નિશ્ચય થાય છે. તેવી જ રીતે અહીં પણ વતમાનકાલાભાવ સાથે અવિનાભાવસંબંધ ધરાવતા ભૂતકાલ આદિને દૂર કરતું વતમાનાથ'જ્ઞાન વર્તમાન ને ગ્રહણ કરવાની યોગ્યતા પામે છે. આનાથી પૂર્વજ્ઞાનવિશિષ્ટ અર્થને મણ | યોગ્યતા પ્રત્યભિજ્ઞામાં પ્રતિષેધવામાં આવી, કારણકે પૂવજ્ઞાન અત્યારે અસત હોઇ તેનું [ વર્તમાન અર્થનું ] વિશે ઘણુ બનવું ઘટતું નથી અને જેમાં વિશેષણનું ગ્રહણ થયું ન હોય એવી વિશિષ્ટબુદ્ધિ સંભવતી નથી. ઉત્પાદ અને વિનાશ રહિત વસ્તુસ્વરૂપને ગ્રહણ કરનારી પ્રત્યભિજ્ઞા છે એમ જે કહેવામાં આવે છે તે પણ બરાબર નથી કારણકે વસ્તુનો વર્તમામૈકનિષ્ઠતા અમે દર્શાવી છે. વસ્તુઓના વિનાશ અને જન્મને કાળ વર્તમાન છે કે અન્ય ? જે અન્ય કાળ હોય તો તેને ગ્રહણ કરે અશક્ય છે એમ અમે જણાવ્યું છે. જે વસ્તુના ઉત્પાદ અને વિનાશને કાળ વર્તમાન છે એમ કહેવામાં આવે તે વર્તમાનકાલનું ગ્રહણ થતાં તેની સાથે અવિનાભૂત એવા વસ્તુઓના ઉત્પાદ અને વિનાશ પણું ગૃહીત થઈ જાય. સ્થિરતા પુરવાર કરવા આવેલી આ બિચારી પ્રત્યભિજ્ઞા વિનાશિતા – ક્ષણિકતાને સ્થાપીને જશે. ___79. अपि च लूनपुनर्जातकेशनखादिषु सादृश्यात् दृश्यमाना प्रत्यभिज्ञा स्तम्भादिष्वपि तद्वदेव न स्थिरतामुपपादयेत् । तत्र बाधकयोगादिति चेत् , इहाप्युक्त एव बाधकः परस्परविरोधिभूतादिकालसमावेशस्यैकत्र दुर्घटत्वादिति । तस्मात् प्रत्यभिज्ञाप्रत्ययस्य बाधकस्य भावात् सिद्धमानुमानिकं भावानां क्षणिकत्वम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy