SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા નથી એ ચાર્વાંકમત १४७ 7. આમ આ બાર પ્રકારાવાળા પ્રમેયને તત્ત્વજ્ઞાન વડે હેય અને ઉપાદેય તરીકે ભાવવાન અભ્યાસ કરવાથી પ્રમેય પોતાના વિશેના વિપરીત પ્રહણુાત્મક મિથ્યાજ્ઞાનને નાશ કરે છે. તત્ત્વજ્ઞાનના ઉદ્દયથી મિથ્યાજ્ઞાન દૂર થાય છે, મિથ્યાજ્ઞાન દૂર થતાં રાગદ્વેષ આદિ દેશ ક્ષય પામે છે કારણ કે રાગદ્વેષ આદિ દેશોનું મૂળ મિથ્યાજ્ઞાન છે, જેના દેષો ક્ષય પામ્યા છે તેને પુણ્ય-પાષાત્મિકા પ્રવૃત્તિ થતી નથી, પ્રવૃત્તિના અભાવમાં પ્રવૃત્તિના કાર્યભૂત શરીર વગેરે ઉત્પન્ન થતાં નથી, અને અશરીર આત્માને દુ:ખે સ્પર્શતા નથી, નિઃશેષ દુઃખાના ઉપરમને અપવર્ગ કહેવામાં આવે છે. અતિગહન સ`સારરૂપ રણભૂમિમાં ઉદ્ભવતા ભયંકર સંતાપાને શમાવવા દ્વાદશવિધ પ્રમેય આ પ્રમાણે જ શીતળ સરાવર રૂપ બને છે, એટલે તે દ્વાદ્યવિધ પ્રમેય જ ઉપદેશાવાને પાત્ર છે એ પુરવાર થયું. 8. विरक्त संकथास्तावदास्तां तापसोदिताः । आत्मैव त्वस्ति नास्तीति कथं न परिचिन्त्यते ॥ तथा च लोकायतिकाः परलोकापवादिनः । चैतन्यखचितात् कायान्नात्माऽन्योऽस्तीति मन्व ॥ न तावदात्मा प्रत्यक्षतो गृह्यते घटादिवद् बाह्येन्द्रियेण सुखादिवत् मनसा वा परिच्छेत्तुमशक्यत्वात् । अनुमानं तु न प्रामाणमेव चार्वाकाणाम् । न चात्मसिद्धौ किञ्चन लिङ्गमस्ति । ज्ञानादियोगस्तु भूतानामेव परिणामविशेषोपपादितशक्त्यतिशयजुषां भविष्यति । यथा गुडपिष्टादयः प्रागसतीमपि मदशक्तिमासादितसुराकारपरिणामाः प्रपद्यन्ते तथा मृदाद्यवस्थायामचेतानान्यपि भूतानि शरीराकारपरिणतानि चैतन्यं स्प्रक्ष्यन्ति । कालान्तरे च व्याध्यादिना परिणामविशेषमत्रजहन्ति तान्येव चैतन्यशून्यतामुपयास्यन्ति । चैतन्यत्वानपायाच्च तावन्तं कालं तान्येव स्मृत्यनुसंधानादिव्यवहारनिवह निर्वहणनिपुणतामनुभविष्यन्तीति किमनुमानक आत्मा स्यात् ? आगमास्तु मनोरथाधिरूढप्रामाण्याः कथमात्मानमवबोधयितुं शक्ष्यन्ति ? अयमपि चागमोऽस्त्येव 'विज्ञानधन एवेतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुप्रविशति न प्रत्य संज्ञाऽस्ति' इति [ बृ. उप. २.४.१२] । तदात्मनो नित्यस्य परलोकिनोऽभावात् कृतमेताभिरपार्थकपरिश्रमकारिणीभिः परलोककथाभिः । ww 8. अडार (याव४) તાપસેાએ કરેલી વિરક્ત વિશેની વાતા રહેવા દે. આત્મા જ છે કે નહિ એની વિચારણા કેમ નથી કરતા ? પરલોકને ન સ્વીકારનાર ચાર્વાકા માને છે કે ચૈતન્યથી ખચિત શરીરથી જુદે આત્મા નથી. જેમ બાથૅન્દ્રિયથી પ્રત્યક્ષ વડે ઘટ વગેરે ગૃહીત થાય છે તેમ બાઘેન્દ્રિયથી પ્રત્યક્ષ વડે આત્મા ગૃહીત થતા નથી. જેમ મનથી પ્રત્યક્ષ વડે સુખ આદિ જ્ઞાત થાય છે, તેમ મનથી પ્રત્યક્ષ વડે આત્માને જાણવા શકય નથી. અનુમાન તા ચાર્વાકને મતે પ્રમાણ જ નથી. અને આત્માને પુરવાર કરવા કોઇ લિંગ ( ãતુ ) નથી. જ્ઞાન વગેરે સાથેના સબંધ તે પરિણામવિશેષને કારણે જેમનામાં શકતિશય ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy