SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષા, ઊહ વગેરે વ્યાકરણનાં પ્રજને નથી રક્ષા અધ્યેતાઓની પરંપરાથી જ સિદ્ધ છે. વેદનું અધ્યયન કરતો કોઈ પણ અધ્યેતા સ્વરથી કે વર્ણથી જરા પણ ઉચ્ચારમાં પ્રમાદ (= ભૂલ) કરે તે તેને બીજા અધ્યેતાઓ “વેદને નાશ કર મા, શ્રુતિને આમ ઉચ્ચાર કરે” એમ કહી શિખવાડે છે, એટલે વેદ રક્ષિત રહે છે. 208. કસ્તુ ત્રિવધો ત્રસામાવિષય: | તત્ર સામવિષયો વર્જાિकशास्त्रादवगम्यते, याज्ञिकप्रयोगप्रवाहाद्वा। मन्त्रविषयोऽप्येवम् । प्रेक्षणादिसंस्कारविषये तु तस्मिन् व्याकरणमपि किं कुर्यात् । _208. [ પ્રકૃતિયાગની જેમ વિકૃતિયાગ કરવાના હેય છે. એટલે પ્રકૃતિયાગની વિગત વિકૃતિયોગમાં લઈ જવાની (= અતિદેશ) હોય છે. પ્રકૃતિયાગમાં પ્રજાયેલ મંત્રો, સામ અને સ કાર વિકૃતિયાગમાં જ્યારે લઈ જવાય (transfer કરાય) ત્યારે સંપૂર્ણપણે તેના તે જ તેઓ તેમાં બંધ બેસતા નથી, એટલે તેમાં જરૂરી યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફ રને ઊહ કહેવામાં આવે છે.] ઊત ત્રણ પ્રકારને છે–મન્નવિષયક, સામવિષયક અને સંસ્કારવિષયક. [૧) મન્નવિષયક ઊંહનું ઉદાહરણ–આગ્નેય યાગમાં વ્રીહિ દ્રવ્ય હેમવામાં આવે છે, હવિ અરિનને આપવામાં આવે છે અને જે મંત્રનો પ્રવેશ કરવામાં આવે છે તે છે ‘અનવે તા 3g' નિમિ ..ત્રીદીનો મેઘ સુમનામાના:”. આનેય થાગ પ્રાકૃત ભાગ છે અને એને વૈકૃત ભાગ સૌ યાર છે. આ પૈકસ સીય યાગમાં દ્રશ્ય ની વાર છે અને કવિ સૂયને આપવામાં આવે છે આ હકીકતને દૃષ્ટિમાં રાખી મંત્રમાં થોડોક ફેરફાર જરૂરી બને છે. પરિણામે આવો કોઈ ફેરફાર કરવાને સ્પષ્ટ આદેશ વેદમાં ન હોવા છતાં એ વૈદિક નું અનુમાન કરી મન્ત્ર એ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે–‘ઘા સ્વર ગુણ નિવારણ ...નીવારોળ મેધ સુમનસ્થમાનાઃ” (૨) સામવિષયક ઊહનું ઉદાહરણ–વૈશ્યસ્તેમના માટે કણ્વન્તર સામ ગાવાને આદેશ છે જ્યારે જે યોગની વૈશ્યસ્તમ વિકૃતિ છે તે, બ્રાહ્મણેથી ' યોજિત પ્રાકૃત ભાગમાં બૃહત અને રથન્તર સામ ગવાય છે. એટલે પ્રશ્ન ઉભો થાય છે કે શુ વૈશ્યસ્તમમાં પ્રાકૃત ભાગના બે સામની જેમ જ સામ ગાવાનો કે પછી બેમાંથી એક સામની જેમ. આ પ્રનને ઉતર આપવામાં શબર અને કુમારિલ વચ્ચે મતભેદ છે. શબર અનુસાર તે સામ બંને રીતે ગાવાને, વિકલ્પ કેવળ એ વિગતની બાબતમાં જ છે જ્યાં બહત એ રથન્તરને સીધે વિધી હોય, ઉદાહરણર્થ જ્યારે બહત ઉચૌઃ ગાવાને હેય ત્યારે રથન્તરને ઉરરીઃ નહિ ગાવાને, કુમારિલ અનુસાર ગાવાની સધળી વિગતેને લક્ષી વિકલ્પ છે અર્થાત જયારે વૈશ્યસ્તીમમાં કવરથન્તર ગાવામાં આવે ત્યારે તેને કાં તે સંપૂર્ણ પણે બૃહતની જેમ ગાવો જોઈએ કાં તો સંપૂર્ણપણે રથન્તરની જેમ ગાવો જોઈએ. (૩) સંસ્કારવિષયક ઊંહનું ઉદાહરણ-વાજપેય યાગ માટે નીવારને ઉપયોગ કરવાને આદેશ છે. જયારે એના પ્રાકત ભાગમાં ત્રીહિ દ્રવ્યને ઉપયોગ થાય છે. આ વ્રીહિના સંબંધમાં પ્રક્ષણ. અવહનન વગેરે સંસ્કારો કરવાનો આદેશ છે. જો કે નીવારની બાબતમાં આવા સંસ્કાર કરવાને સ્પષ્ટ આદેશ નથી છતાં નીવારની બાબતમાં પણ આ સંસ્કારો કરવા જોઈએ કારણ કે આવા સંસ્કાર ન પામેલું દ્રવ્ય યાગમાં ઉપયોગ કરવાને યોગ્ય નથી.] આ ત્રગ પ્રકારના ઊહમાંથી સામવિષયક ફોહ યૌકિતશાસ્ત્રથી અને યા નિકોના પ્રયોગોની પરંપરાથી જ્ઞાત થાય છે. મન્નવિષયક ઊહ પણ એ જ રીતે જ્ઞાત થાય છે અને પેલ પ્રક્ષણ આદિ સંસ્કારવિષયક ઊહમાં તે વ્યાકરણ પણ શું કરે ? = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy