SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ફલપ્રવકત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૯૯ અધિકાર નથી તેમ. તેથી કર્મ ન કરતો તે પ્રત્યાયને પાત્ર બનતો નથી. પરંતુ સ્વર્ગાથી વિધિથી કમ માં પ્રવૃત્ત થાય છે જ. કરણશમાં ત્યાગમાં, તૂમાં) લિસાથી પ્રવૃત્તિ ઈછવામાં આવે છે તે જ લિસા કન્તુ માટે જે ઇતિકત વ્યાંશ છે તેને પણ સ્પશે, કારણ કે ક્રતૂને ઉપકાર કરવાની ઈરછાવાળે ઈતિકર્તવ્યતાંશમાં પ્રવૃત્ત થાય છે. એટલે આ પ્રમાણે સર્વત્ર વિધિનો ઉર છેદ જ થઈ જાય. વધારે દેવ દર્શાવવા જરૂરી નથી. 289. અપ --- प्रमाणान्तरसम्पर्कविकले भवतः कथम् । नियोगात्मनि वाक्यार्थे व्युत्पत्तिर्व्यवहारतः ।। ननूक्तमाकूतविशेषपूर्वि कां चेष्टामात्मनिष्ठां दृष्ट्वा परत्रापि तथाऽनुमानमित्ययुक्तमिदम् , स्वात्मन्यपि प्रेरणावगमनिमित्ताभावात् । न हि संविदिव स्वप्रकाशा प्रेरणा । न स्वप्रकाशेति चेत् तदुत्पादे तहि निमित्तं मृग्यम् । न तावच्छब्दः, तदानी व्युत्पत्त्यभावात् । स्वात्मनि प्रेरणावगमपूर्वि कां हि चेष्टामुपलब्धवतः ते परत्र चेष्टादर्शनात् तदनुमान सेत्स्यति, तन्निमित्तं लिडादिशब्द इति भोत्स्यते । स पुनयुत्पत्तिकाले स्वात्मन्येव प्रेरणावगमः चिन्त्यो वर्तते । प्रमाणान्तरात्त तदवगम इति चेत्, उत्तिष्ठ, असिद्ध शब्दैकगोचरत्वम् । (259. વળી, લિડ આદિ શબ્દથી અન્ય બીજા કોઈ પ્રમાણને (=શબ્દને સંપર્ક - ધરાવતા, નિયોગરૂપ વાકયાથેનું જ્ઞાન વ્યવહાર દ્વારા આપનાં મતમાં કેવી રીતે સંભવે ? પિતાનામાં પ્રેરણા પૂર્વક ચેષ્ટા જોઈ બીજા પુરુષમાં પણ ચેષ્ટા ઉપરથી પ્રેરણાનું અનુમાન થાય છે એમ જે કહ્યું તે બરાબર નથી, કારણ કે પોતાનામાં પણ પ્રેરણાનું જ્ઞાન થવાના નિમિત્તનો અભાવ છે. જેમ જ્ઞાન પતે સ્વપ્રકાશ નથી તેમ પ્રેરણું પણ સ્વપ્રકાશ નથી. , જે પ્રેરણું સ્વપ્રકાશ ન હોય તો પ્રેરણુના જ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત શોધવું જોઈએ. પ્રેરણાના જ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત લિડ આદિ શબદ નથી કારણ કે તે વખતે અર્થાત પહેલી વખત તમે પોતે જ્યારે લિ આદિ શબ્દ સાંભળો છો ત્યારે) આ શબ્દનો અર્થ પ્રેરણા છે એ જ્ઞાન તમને હેતું નથી, તો પછી લિડ આદિ શબ્દ સાંભળી તે શબ્દના અર્થ પ્રેરણાનું જ્ઞાન તમને કયાંથી થાય ? પિતાનામાં પ્રેરણાનપૂર્વક ચેષ્ટા છે એ જેણે જાણી લીધું છે તે બીજા પુરુષમાં ચેષ્ટા જોઈ તે બીજા પુરુષને પ્રેરણનું જ્ઞાન થયું છે એવું અનુમાન કરે તે ઘટે છે અને તે બીજા પુરુષને થયેલા પ્રેરણાના જ્ઞાનનું નિમિત્ત લિડ શબ્દ છે એમ કહેવાશે. પરંતુ પેલા પહેલા પુરુષને લિડ આદિ શબ્દ પહેલીવાર સાંભળી તે શબ્દને અર્થ પ્રેરણું છે એવું જ્ઞાન કેવી રીતે થાય છે એ તો વિચારણીય જ રહે છે બીજા કઈ પ્રમાણથી (= શબ્દથી એવું જ્ઞાન થાય છે એમ જે તમે કહો તો અમારે કહેવું” જોઈએ કે ઊઠે ! પ્રેરણુ લિ આદિ શબ્દનો જ વિષય છે એ તમારી વાત અસિદ્ધ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy