SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨. અથવાદવાકયોના પ્રામાણ્યની સ્થાપના જાતિ' [તાં22 ૬.૭.૨] રૂવાટvમઃ | ત્રોડા “: લેતવ્યા' इत्यतो न तथा क्रेतारः प्रवर्तन्ते यथा 'एषा बहुस्निग्धक्षीरा सुश्लीला सापत्या अनघप्रजा च' इत्येवमादिभ्यः स्तुतिपदेभ्यः । स्वानुभवसाक्षिकोऽयमर्थः । अत एव केचिदश्रुतार्थवादकेऽपि विधिवाक्ये तत्कल्पनमिच्छन्ति, यथा क्वचिदर्थवादाद्विधिकल्पनमिति । यथोक्तम् (विधिस्तुत्योः सदा वृत्तिः समानविषयेष्यते' इति [तं० वा० १.४.१३] । अनधिगम्यमानविधिसम्बन्धाच्चार्थवादाद्विधिरुन्नीयतें, न गम्यमानविधिसम्बन्धात् । 213. શંકા--સ્તુતિરહિત કેવળ વિધિવા સમર્થ છે તો પછી શા માટે સ્તુતિપદોને [વાક્યમાં] પ્રયોગ કરવામાં આવે છે ? યાયિક –અમે ઉતર આપીએ છીએ. મીમાંસકોના મતે શબ્દ (અર્થાત વેદ) અપનોય છે (અર્થાત્ જેની બાબતમાં પ્રશ્ન જ ન કરી શકાય તેવો છે); અને અમારા ભગવાન ઈશ્વર અપર્યનુજ્ય છે. વેદ બોલાય ત્યારે વેદના આપણે પ્રતિપત્તા ( જ્ઞાતા, શ્રોતા) છીએ. કર્તા નથી. વેદની પ્રતિપત્તિને ક્રમ તો અમે દર્શાવી દીધું છે. અને આમ જો કે દ્રવ્ય, દેવતા, ઇતિકર્તવ્યતાના વિધાન દ્વારા અંગવિધિઓ જેમ કર્મમાં ઉપયોગી છે તેમ અર્થવાદવા ઉપયોગી નથી, તેમ છતાં સસ્તુતિક વિષયની પ્રતીતિનું તેઓ અંગ છે એ હકીક્ત ટાળી શકાય એવી નથી. જ્યારે સ્તુતિપદો નથી હોતાં ત્યારે સ્તુતિરહિત વિષયની પ્રતીતિ થાય છે. પરંતુ જ્યારે સ્તુતિપદે હોય છે ત્યારે તો સસ્તુતિક વિષયની જ પ્રતીતિ થાય છે. તેથી અર્થવાદો સસ્તુતિક વિષયની પ્રતીતિનું કારણ છે, અંગ છે. અલબત્ત, અહીં પ્રતીતિ સસ્તુતિક વિષયની થાય છે પરંતુ અનુદાન તો શુદ્ધ વિષયનું જ થાય છે.] એટલે જ અર્થવાદ પ્રમાણે પગી છે, પ્રમેય પયગી નથી એમ કહેવાય છે. કેવળ વિધિપદનું શ્રવણ થતાં યજ્ઞ કરનારાઓને તેના (=વિધિના) પ્રત્યે આદર જાગતું નથી. ત્યાં વિધિ પ્રત્યેની વિશેષ ભક્તિ કરવા પડે છે. તે પ્રબતી ભકિતને જાણે કે કર્મના પ્રાશનું અવાજનિત જ્ઞાન બચાવે છે, તારે છે. સર્વજિત્યા કરે' આ વિધિપદોમાંથી તે શ્રદ્ધાતિશય પેદા થતો નથી જે “સર્વજિયા વડે દેવોએ ખરેખર બધુ જીતી લીધું; સર્વની પ્રાપ્તિ માટે, સવની જીત માટે દેિવોએ સર્વજિત યુજ્ઞ કર્યો;] આ સર્વજિત યજ્ઞ વડે સૌ બધું છત છે' આ અર્થવાદપદોમાંથી પેદા થાય છે. જગતમાં પણ “આ ગાય ખરીદવી જોઈએ' એમ કહ્યું તેથી ખરીદનારા તેવા પ્રવૃત્ત થતા નથી જેવા તેઓ “આ બહુ સ્નિગ્ધ દૂધ આપનારી છે, શુકનિયાળ છે, વાછરડાવાળી છે અને નિર્દોષ પ્રજાવાળી છે' એ સ્તુતિપથી પ્રવૃત્ત થાય છે. એટલે જ, જેમ અવાદ ઉપરથી વિધિની કલ્પના કરવામાં આવે છે તેમ, કેટલાક જે વિધિવાકયમાં અથવાદ શ્રત-નથી તેમાં પણ અર્થવાદની કલ્પના કરવાનું ઈચ્છે છે. જેમ કે કહેવામાં આવ્યું છે કે વિધિ અને સ્તુતિની પ્રવૃત્તિ સદાય સમાનવિષયા ઈચ્છવામાં આવી છે.” [અછત અને પરિણામે જેનું જ્ઞાન નથી થતું એવી વિધિ સાથે જેને સંબંધ હોય એવા અર્થવાદ ઉપરથી વિધિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy