SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અને વિધિજ્યને ભેદ અજ્ઞાનીનું વચન છે, કારણ કે વિધિનાં ફળની ક્રિયાનાં ફળે સાથે સમાનતા ઘટતી નથી. અહીં જગતમાં કોઈક ફળ વિધિનું હેય છે અને કેઈક ફળ ક્રિયાનું હોય છે. કૃષિ વગેરેમાં જમીનનું તૂટવું વગેરે ક્રિયાળ છે પરંતુ પાકની સમૃદ્ધિ એ વિધિળ છે. કૃષિ વગેરેમાં વળી ક વિધિ છે ? કૃષિશાસ્ત્ર(=વાર્તાવિદ્યા)માં તે વિધિ છે, અથવા વૃદ્ધોપદેશ તે વિધિ છે. અથવા અન્વય-વ્યતિરેક ત્યાં વિધિસ્થાનીય બનશે. જગતમાં પણ વતનની કામનાવાળે રાંધે છે' વગેરેમાં રાંધણક્રિયાનું ફળ ભાત (=ચડેલા ખા) છે, વિધિનું ફળ વેતન છે. તેમાં ક્રિયાનાં ફળોની બાબતમાં જ આ નિયમ છે કે ફળ ક્રિયા પછી તરત જ ઉત્પન્ન થાય છે. પરંતુ વિધિના વેતન વગેરે ફળોની બાબતમાં કાળનો નિયમ નથી. યજ્ઞમાં પણ, હવિર્વિકાર વગેરે ક્રિયાળ તરત જ થાય છે, પરંતુ પશુ, પુત્ર, વગેરે વિધિફળો અમુક નિયત કાળે થતા નથી. તેથી જ, મનસુખ ક્રિયાફળ છે એટલે તરત જ થાય છે; પરંતુ મન કરનાર પુરુષને સેવાનું ફળ નિયત કાળે મળે એવું નથી. “ગામધણી થવા ઈચ્છતો માણસ રાજની સેવા કરે' એવી લૌકિક વિધિઓની બાબતમાં પણ વિધિફળ વિશે કઈ કાલનિયમ નથી. આયુર્વેદમાં ઉપદિષ્ટ ઔષધની વિધિઓનાં ફળ પણ ક્રિયાનાં ફળની જેમ સદ્ય ઉત્પન્ન થતાં દેખાતાં નથી, પરંતુ કાળની અપેક્ષા રાખે છે જ. તેથી વિધિના ફળના આનર્યની બાબતમાં કંઈ પ્રમાણ નથી. 185. यत्त पशुविरहकृतकदशनादिदोदूयमानाधिकारिस्वरूपपर्यालोचनया सद्यःफलत्वमुच्यते तदपि न साम्प्रतम् , पुरुषेच्छामात्रमेतत् न प्रमाणवृत्तम् । अपि चैहिकत्वं फलस्य तावता सेत्स्यति, न पुनः क्रियाफलवत् सद्यस्त्वम् । सन्ति चैहिकफलान्यपि कालान्तरसव्यपेक्षाणि कर्माणि । यथा 'ब्रह्मवर्चसकामस्य कार्यं विप्रस्य पञ्चमे' इति । न तत्र पंचमवर्षे उपनीतमात्र एव माणवको ब्रह्मवर्चससम्पन्नो भवति, कालान्तरे तु भवतीति । एवं वीर्यकामादिष्वपि द्रष्टव्यम् । तस्माद्विघिफलानामानन्तर्यनियमाभावान्न तद्विसंवादो दोषाय । कालान्तरेऽपि यत्र फलादर्शनं, तत्र क्रियावैगुण्यकर्मान्तरप्रतिबन्धादि कारणमित्युक्तम् । 185. પશુના અભાવને લીધે ખરાબ ખોરાક ખાવો પડતો હોવાથી દુઃખ અનુભવતા અધિકારી પુરુષના સ્વરૂપની પર્યાલચનાને આધારે વિધિનું સ ત્વ જે કહેવાયું છે તે પણ બરાબર નથી કારણ કે તે પુ ચ્છામાત્ર છે, તે કઈ પ્રમાણવ્યાપારથી સિદ્ધ નથી. તેટલાથી તે (અર્થાત પુછામાત્રથી તો) આ જન્મમાં વિધિનું ફળ સિદ્ધ થઈ શકશે, પણ ક્રિયાના ફળની જેમ તેની તત્કાલોત્પત્તિ થઈ શકશે નહિ. આ જન્મમાં ફળનારાં કર્મો પણ કાલાન્તરની અપેક્ષા રાખે છે, અર્થાત તત્કાળ ફળતાં નથી; જેમ કે “બ્રહ્મવચની કામનાવાળા વિપ્રને પાંચમા વર્ષમાં ઉપનયન સંસ્કાર કરવો જોઈએ.” ત્યાં પાંચમા વર્ષે ઉપનયન સંસ્કાર કરવા માત્રથી તરત જ બક બ્રહ્મવર્ચસથી સંપન્ન બની જતો નથી પરંતુ કાલાન્તરે બને છે. વીયની કામના વગેરે માટે કરવાના કર્મોની બાબતમાં પણ આમ જ સમજવું જોઈએ. તેથી . વિધિનાં ફળોમાં આનર્યને નિયમ ન હોઈ, તેને વિસંવાદ દોષ માટે નથી. કાલાન્તરે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy