SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાનવિષયક મીમાંસક મતનું ખંડન પ્રતિયોગીથી અવહિન અભાવ જ ગૃહીત થાય છે. પ્રિતિયોગી એટલે શું એ સમજીએ. ૨જતાભાવ લો. અભાવ કેને? રજતો. તેથી રજત એ પ્રતિયોગી છે અને તેનાથી અવરછન્ન પ્રસ્તુત અભાવ છે. ન્યાય-વિશેષિક મત અભાવ પ્રત્યક્ષગ્રાહ્ય છે. પરંતુ અભાવનું પ્રત્યક્ષ થવામાં પ્રતિયોગીનું સ્મરણ આવશ્યક છે. જ્યાં સુધી પ્રતિયોગી ૨જતન સ્મરણ ન થાય ત્યાં સુધી રજતાભાવનું પ્રત્યક્ષ થતું નથી.] [ઉપર જે કહ્યું તેને] નિષ્કર્ષ એ કે અહીં (= ૨જતના ભ્રાન્ત જ્ઞાનની બાબતમાં) રજત નથી જ' એવું બાધક જ્ઞાન થાય છે અને નહિ કે “રજત અલૌકિક છે' એવું. વળી, રજતજ્ઞાનમાં ભાસવું તે રજાતનું લક્ષણ નથી પરંતુ અબાધિત રજતજ્ઞાનનું ઝેય તેવું તે રજાનું લક્ષણ છે. ઉપરાંત, અમે પૂછીએ છીએ કે વિષયને લૌકિક-અલૌકિક વિભાગ પ્રતિમાસને આધારે છે કે વ્યવહારના હાવા-ન હોવાને આધારે ? તે પ્રતિભાઓને આધારે ન હોઈ શકે કારણ કે તેવી પ્રતીતિ નથી, (અર્થાત્ “આ રજત લૌકિક છે અને આ રજત અલૌકિક છે” એવી પ્રતીતિ નથી.) કેઈક વાર રજતની પ્રતીતિ થાય છે અને કેઈક વાર રજતાભાવની પ્રતીતિ થાય છે, પરંતુ રજતના લોકિકતવ કે અલૌકિકત્વની પ્રતીતિ તો થતી જ નથી. _139. अथ व्यवहारप्रवृत्त्यप्रवृत्तिभ्यां लौकिकालौकिकत्वे व्यवस्थाप्येते तद्वक्तव्यं कोऽयं व्यवहारो नामेति । ज्ञानाभिधानस्वभावो हि व्यवहारः । स तद्विषयो नास्तीत्युक्तम् । तदर्थक्रियानिवर्तनं व्यवहार इति चेत्, तर्हि स्वप्ने परिरभ्यमाणाया योषितः कूटकार्षापणस्य च लौकिकत्वं प्राप्नोति, उत्पद्य नष्टे घटे अर्थक्रियाया निवृत्तेरलौकिकत्वं स्यात् । अपि च यः शुक्तिकायां रजतव्यवहारं न करोति स रजताभावमेव बुद्ध्वा, न रजतस्य सतस्तस्यालौकिकताम् । यदि चेदमलौकिकं रजतं तत्किमर्थमिह तदर्थक्रियार्थ प्रवर्तते ? अलौकिकं लौकिकत्वेन गृहीत्वेति चेत्, सैवेयं तपस्विनी विपरीतख्यातिरायाता । तस्माद् विपरीतख्यातिद्वेषेण कृतमीदृशा । अत्रापि लोकसिद्धैव प्रतीतिरनुगम्यताम् । 139. જે વ્યવહારપ્રવૃત્તિના હવા-ન હેવાના આધારે લૌકિક––અલોકિકત્વની વ્યવસ્થા હોય તો આ વ્યવહાર એ શું છે એ તમારે જણાવવું જોઈએ. જ્ઞાનને નામ આપવારૂપ વ્યવહાર પણ છે અને આ વ્યવહારને વિષય લૌકિક––અલોકિકત્વ નથી એ અમે કહ્યું છે. અર્થક્રિયા કરવારૂપ વ્યવહાર અભિપ્રેત છે એમ જે કહેતા હો તો સ્વપ્નમાં આલિંગન કરાતી યુવતી અને ખાટા સિક્કા પણ લૌકિક બની જશે; વળી ઉત્પન્ન થઈ નાશ પામી ગયેલ ઘટમાંથી અર્થ ક્રિયા ચાલી જતી હોઈ તે અલૌકિકત્વ પ્રાપ્ત કરશે. ઉપરાંત, જે માણસ છીપમાં ૨જતને વ્યવહાર કરતા નથી તે ૨જતાભાવ તેણીને જ તેમ કરે છે અને નહિ કે ૨જતના હોવા છતાં તેની અલૌકિકતાને જાણીને. અને જે આ અલૌકિક રજત હોય તે અહીં રજતની અર્થક્રિયા માટે પ્રમાતા પ્રવૃત્તિ કેમ કરે ? અલોકિક રજતને લૌકિક રજત જાણીને તે તેમ કરે છે એમ જે તમે કહેશો તો પેલી બિચારી વિપરીત ખ્યાતિ વળી પાછી આવીને ઊભી રહેશે. માટે વિપરીત ખ્યાતિ પ્રત્યે આવે દેષ ન રાખે. અહીં પણ લોકસિદ્ધ પ્રતીતિને જ અનુસરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy