SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અસખ્યાતિનો નિવાસ પ્રભાકર મીમાંસકતે અસખ્યાતિ પણ ઘટતી નથી. “અસખ્યાતિને અર્થ છે છે? શું એનો અર્થ “એકાન્ત અસત અર્થનું જ્ઞાન છે કે પછી “અન્ય દેશ વગેરેમાં વિદ્યમાન અર્થનું જ્ઞાન” છે? બીજો પક્ષ સ્વીકારે તે આ અસખ્યાતિ વિપરીત ખ્યાતિ જ બની રહે, કારણ કે તૈયાયિકે પણ (જે દેશમાં શક્તિ છે) તે દેશમાં રજતનું અસ્તિત્વ સ્વીકારતા. નથી, વળી દેશાન્તરમાં ૨જતની સત્તા તમે (ભાદ્દો) પણ સ્વીકારે જ છે. એકાન્ત અસત અર્થનું જ્ઞાન થાય છે એ પક્ષ રુચિકર નથી, કારણ કે આકાશનલિની, આકાશપલ્લવ વગેરે એકાન્ત અસત અર્થોનું જ્ઞાન થતું જ નથી. વાસનાના સાતત્યને કારણે અત્યંત અસત્ અર્થોનું જ્ઞાન થાય છે એમ જે કહેવામાં આવે તે એ બરાબર નથી, કારણ કે અર્થ વિના વાસના પિતે જ ઘટતી નથી. અર્થના અનુભવે પાડેલો સંસ્કાર જ વાસના કહેવાય છે. તે કેવી રીતે અત્યંત અસત વસ્તુના જ્ઞાનને ઉતપન્ન કરે ? અથવા તે આ વાસનાથી જુદી જ બીજી કઈ વાસના આપને માન્ય હોય તે ભલે તેવી વાસના હે; પરંતુ તે પણ, રજત અને ગગનનલિન બંને સમાનપણે અત્યંત અસત હોવા છતાં, ૨જતનું જ જ્ઞાન અને ગગનનલિનનું ન જન્માવે એવો નિયમ કયાંથી ? માટે, આવી વાસનાનું કોઈ પ્રજન નથી. આટલી મોટી નકર વ્યવહારધુરાને વહેવા માટેનું સામર્થ્ય અત્યન્ત અસત્ અર્થમાં ઘટતું નથીવળી, અસત અર્થે સતરૂપે જ્ઞાનમાં પ્રતીત થાય છે એમ કહેવાથી તે અસખ્યાતિ પણ વિપરીવખ્યાતિથી જુદી નહિ પડે. 95. તમારા મથાતિરસ્ત ! विज्ञानमेव खल्वेतद्गृह्णात्यात्मानमात्मना । बहिर्निरूप्यमाणस्य ग्राह्यस्यानुपपत्तितः ।। बुद्धिः प्रकाशमाना च तेन तेनात्मना बहिः । तद्व हत्यर्थशून्याऽपि लोकयात्रामिहेदृशीम् ।। 95. વિજ્ઞાનવાદી બૌદ્ધ- એટલે આત્મખ્યાતિ વધુ સારી છે એમ માને. વિજ્ઞાન પોતે જ પોતાને ગ્રહણ કરે છે કારણ કે બહાર જતું ગ્રાહ્ય ઘટતું નથી. તે તે રૂપે બહાર પ્રકાશનું અર્થશૂન્ય વિજ્ઞાન અહીં આવા લોકવ્યવહારનું વહન કરે છે. 96. उच्चते-नात्मख्यातिरपि युक्तिमती। विज्ञानात्मनो हि प्रतिभासेऽहं रजतमिति प्रतीतिः स्याद् नेदं रजतमिति । किञ्च 'यदन्त यरूपं हि बहिर्वदवभासते' [प्रमाणसम चय ] इत्यभ्युपगमादियमपि विपरीतख्यातिरेव स्यात् । असख्यातिरपि चेयं भवस्येव, बहिर्बुद्धेरसत्त्वात् । बुद्धिरस्त्येवेति चेद् बहिष्टं तर्हि चिन्त्यं सत् असत् वेति ? न तावत् सत् , बुद्धेर्बाह्यत्वाभावात् । असत्त्वे त्वसख्यातिरित्युक्तम् । 96 પ્રભાકર મીમાંસક- આત્મખ્યાતિ પણ તર્કથી ઘટતી નથી. વિજ્ઞાનનું જ જ્ઞાન થતું હોય તો હું રજત છું” એવા આકારનું જ્ઞાન થાય, આ રજત છે” એવા આકારનું ખાન ન થાય. વળી, “જે યરૂપ અંતર છે તે યરૂપ જાણે બાહ્ય હાય એમ ભાસે છે એમ સ્વીકારતાં આ આત્મખ્યાતિ પણ વિપરીત ખ્યાતિ જ બની જાય. તે અસખ્યાતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy