SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય-અસામાય સ્વતઃ–પર વિચાર विषयत्वेऽपि चमसगोदोहनयोः प्रणयनाख्यकार्यमेकमिति गोदोहनेन निवृत्ते तस्मिंस्त्रमसो निवर्त्तते । एवमिह कारणदोषज्ञानं दोषविषयमपि दोषाणामयथार्थज्ञानजननस्वभावत्वात्तस्य ज्ञानस्य प्रामाण्यं बाधते । तदुक्तम् दुष्टकारणबोधे तु जातेऽपि विषयान्तरे । થતુત્યાર્થતાં પ્રાથ વાળો ગોટોહિવત્ / તિ [ો. વી. પો.૧૮] यत्र पुनरिदमपवादद्वयमपि न दृश्यते तत्र तदौत्सर्गिकं प्रामाण्यमनपोदितमास्ते इनिज मिथ्यात्वाशङ्कायां निमित्तं किञ्चित् । 49. મીમાંસકને ઉત્તર–આ બરાબર નથી. એ સાચું છે વિષયનું જ્ઞાનમાત્ર જ પ્રમાણનું કાર્ય છે. તે જ્ઞાનમાત્ર ઉત્પન્ન થતાં જ સંદેહ વગેરેથી દૂષિત હોય એમ દેખાતું નથી. એટલે તે નિયમથી જ પ્રામાણ્યધર્મ ધરાવે છે. તે જ્ઞાનમાત્રને લીધે પ્રવૃત્ત થનાર પ્રમાતા પ્રમાણ દ્વારા જ પ્રવૃત્ત થાય છે, સંશય દ્વારા પ્રવૃત્ત થતો નથી. આમ જ્ઞાનમાત્રનું નિયમથી પ્રામાણ્ય પ્રસ્થાપિત થયું હાઈ જ્યાં એ નિયમમાં કયારેક અપવાદ ઊભો થાય ત્યાં તે જ્ઞાનનું અપ્રામાણ્ય છે [ એમ જાણવું. ] અપ્રામાણ્ય હોય ત્યારે અપવાદ અવશ્ય ઊભા થાય છે. અપવાદ બે પ્રકાર છે-બાધક જ્ઞાન અને કારણુદેષજ્ઞાને, તેથી જ શાબર– ભાષ્યના કર્તાએ કહ્યું છે કે જે જ્ઞાનનું ઝરણું દૂષિત હોય કે જે જ્ઞાનની બાબતમાં શું આ જ્ઞાન] મિથ્યા છે એવું જ્ઞાન થતું હોય તે જ જ્ઞાન અપ્રમાણ છે, બીજું નહિ. વાર્તિક કાર કુમારિલે પણ કહ્યું છે કે “તેથી બોધાત્મક હેવા માત્રથી જ જ્ઞાનને પ્રાપ્ત થયેલી પ્રમાણુતા, વિષય અન્યથા છે એવા જ્ઞાનને કારણે કે કરણદેવજ્ઞાનને કારણે પછીથી ] પહેલા શાનનું ઉપમર્દન કરીને જે તે વિષયમાં જન્મે છે એટર્ડ તેમને વિષય સમાન હોઈ તે સ્પષ્ટપણે જ બાધક છે પરંતુ કરણદેષજ્ઞાનને વિષય [[ બાધ્ય જ્ઞાનના વિષયથી ] ભિન્ન હોવા છતાં કાકયને લીધે કરણદોષજ્ઞાન તેનું બાળક બને છે. ઉદાહરણાર્થ, “ચમચા વડે પાણી લઈ જાય.” અહીં દર્શપૂર્ણમાસયજ્ઞને અંગભૂત હેઈ, ચમ કવર્થ છે. “જે પશુકામ હોય તે ગાયને દોહવા માટે વપરાતા પાત્ર વડે [ોદન ] પાણું લઈ જાય.' અહીં કામ્યમાન પશુને નિદેશ હાઈ, ગાયને હવા માટે વપરાતું પાત્ર [કત્વર્થ નથી પણ ] પુરુષાર્થ છે. આમ કત્વર્થ અને પુરુષાર્થરૂપે તે બંનેના વિષયો ભિન્ન હોવા છતાં ચમચા અને ગદેહનપાત્રનું કાર્ય એક હેઈ ગેદેહનપાત્રથી કાર્ય પાર પડતાં ચમચે તે કાર્ય કરવામાંથી અટકે છે. એ જ પ્રમાણે કરણદોષજ્ઞાનનાં વિષય દોષ હોવા છતાં દોષોનો સ્વભાવ અયથાર્થ જ્ઞાન ઉત્પન્ન કરવાને હેઈ, કરણદોષજ્ઞાન પેલા જ્ઞાનના પ્રાગટ્યનું બાધક બને છે. તેથી કહ્યું છે કે દુષિત કારણનું જ્ઞાન અન્ય વિષયમાં ઉત્પન્ન થયું હોવા છતાં પરંપરાથી તુલ્યવિષયતા પામીને ગદહન વગેરેની જેમ બાધક બને છે.” [ “મારી આંખ દેજવાળી છે એવું જ્ઞાન કરણદોષજ્ઞાન છે. આમ કરશેદોષજ્ઞાનનો વિષય દોષ છે. દેષ અયથાર્થ જ્ઞાન જન્માવે છે. એટલે આંખ દિચંદ્રને દેખતી હોય તે દિચંદ્ર વિષય અયથાર્થ છે એવું ભાન આપણને કરણદોષજ્ઞાન કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy