SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ અને અનુમાનની કારણુસામગ્રીને ભેદ નૈયાયિક – તમારી વાત સાચી છે. પરંતુ એક વાર સંકેતના બળે [આ શબ્દને આ અર્થ છે એવું શબ્દના અર્થનું જ્ઞાન થઈ જાય પછી જ કેનિયમના અંથિમાં [–ખરા અર્થમાં નહિ – અવયવ્યતિરેક સંબંધ શબ્દ અર્થ સાથે ધાસ છેતેથી ફોમ મિ દ્વારા ચતું અગ્નિનું જ્ઞાન અન્વયવ્યતિરેકજન્ય છે તેમ શબ્દ દ્વારા થતું અર્યાનું જ્ઞાન અવયવ્યતિરેકજન્ય નથી. ધૂમ દ્વારા થતું અગ્નિનું જ્ઞાન સંકેતસંબંતાનપૂર્વક નથી ત્યારે અહીં શબ્દ દ્વારા થતું અર્થનું જ્ઞાન તે સંકેતસંબંધજ્ઞાનપૂર્વક છે. એક વડીલ વસતિ બીજી વડીલ વ્યક્તિને અમુક શબ્દ કહે તો તે બીજી વડીલ વ્યક્તિ અમુક વસ્તુને લાવે છે ત્યારે શબ્દનો અર્થ ન જાણનાર ત્યાં ઊભેલી વ્યક્તિ અર્થને જોઈ તે અર્થને તે શીદને વાચ જાણીને સંકેતનિયમને સ્વયં જાણે છે. જયાં કેાઈ વ્યક્તિ સંકેત કરે છે કે “આ શબ્દને આ અર્થ તમારે સમજવો” ત્યાં પણ તે અર્થનું તે શબ્દના વાય તરીકેનું જે જ્ઞાન છે તેને સંતનિયમજ્ઞાનનું કારણ ગણવામાં આવ્યું છે. તેથી, લિંગ અને લિંગી એ બેને અવિનાભાવ નામનો સંબંધ જુદી વસ્તુ છે, અને શબ્દ અને અર્થ સંકેતસંબંધ અ૫રનામ વાયવાચકભાવસંબંધ – જે અર્થજ્ઞાનનું કારણ છે – જુદી વસ્તુ છે. આમ વિષયભેદ અને કારણુસામગ્રીભેદને લીધે શબ્દ જેમ પ્રત્યક્ષથી જુદું પ્રમાણુ છે તેમ અનુમાનથી પણ જુદું પ્રમાણ છે, એ સિદ્ધ થયું. 20. यत्तु पूर्ववर्णक्रमापेक्षणादिवैलक्षण्यमाशङ्कय दूषितं कस्तत्र फल्गुप्राये निर्बन्धः। यत्पुनरभिहितम् 'आप्तवादाविसम्बादसामान्यादनुमानता' इति [ग्लो. वा. शब्द. २३] तदतीव सुभाषितम्, विषयभेदात् । आप्तकादत्वहेतुना हि शब्दार्थ बुद्धेः प्रामाण्य साध्यते, न तु सैव जन्यते । यदाह-- अन्यदेव हि सत्यत्वमाप्तवादत्वहेतुकम् ।। वाक्यार्थश्चान्य एवेह ज्ञातः पूर्वतरं च सः ।। ततश्चेदाप्तवादेन सत्यत्वमनुमीयते । वाक्यार्थप्रत्ययस्यात्र कथं स्यादनुमानता ॥ जन्म तुल्यं हि बुद्धीनामाप्तानाप्तगिरां श्रुतौ । जन्माधिकोपयोगी च नानुमायां त्रिलक्षणः ॥ इति [श्लो. वा. वाक्या. ૨૪–૨૪૬] न च प्रामाण्यनिश्चयाद्विना प्रतिभामात्र तदिति वक्तव्यम्; शब्दार्थसम्प्रत्ययस्यानुभवसिद्धत्वात् । 20. પૂર્વ પૂર્વ વર્ણના ક્રમે જાગેલા સંસ્કારોની સહકારિતા વગેરે વિલક્ષણતાઓ જણાવી વિરોધીઓએ એ જે દેષ આયે કે એ વિલક્ષણતાઓ શબ્દને પ્રમાણુન્તર નથી બનાવતી તે દેષ તુછ હેઈ તેના તરફ ધ્યાન શું આપવું ? વળી, એમણે જે કહ્યું કે જ્યાં જ્યાં આપ્તવચન છે ત્યાં ત્યાં અવિસંવાદ છે એ વ્યાપ્તિ ઉપરથી શબ્દનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy