SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાભિવ્યક્તિપક્ષની તર્કસંગતતા શાબલેય આદિ કેટલીક વ્યક્તિઓના વિશેષ ધર્મો (=રસ્થૂળતાજ્યારે અગૃહીત રહ્યા હોય છે ત્યારે “ગાયો કૃશ છે' એવું જ્ઞાન થતું જણાય છે. 237. ચા જ તીવ્રન્દાર્ગધર્મતયા હા !. बुद्धिरेव रथोदेति व्यञ्जकाऽनुविधायिनी ॥ तावन्त एव ते वर्णाः प्रचयापचयस्पृशः । एवं चाभिभवोऽप्येषां स्वतो नास्ति परस्परम् ॥ मरुद्भिरभिभूयन्ते मारुता इव दुर्बलाः । तेजोभिरिव दीप्तांशोर्दिवा दीपप्रभादयः ॥ द्वयसंस्कारपक्षोऽप्येवं समाहितो भवति, उभयेषामपि दोषाणामुत्सारणात् । तस्मात् प्रत्यभिज्ञाप्रत्ययप्रभावसिद्धनित्यत्वस्य शब्दस्याभिव्यक्तिरेव साधीयसी । 237. અથવા તો વર્ણના ધર્મ તરીકે તીવ્ર–મંદ વગેરેનું ગ્રહણ થતું નથી પરંતુ વ્યંજકને અનુસરતી બુદ્ધિ જ એવી જન્મે છે. એવડાને એવડા જ તે વર્ણો રહેતા હોવા છતાં મહત-અપ (તીવ્ર-મંદ) થતા ભાસે છે. વળી, જેમ પ્રબળ પવને દુર્બળ પવનાને તેમ જ દિવસે તેજસ્વી સૂર્યનો પ્રકાશ દીવાના પ્રકાશને અભિભૂત કરે છે તેમ વણે વતઃ એક બીજાને અભિભૂત કરતા નથી. [વાયુઓ શબ્દના અભિવ્યંજક છે એટલે વાયુ દ્વારા શબ્દ એકબીજાને અભિભૂત કરે છે. જે શબ્દને અભિવ્યંજક પ્રબળ વાયુ છે તે શબ્દ જે શબ્દને અભિવ્યંજક નિર્બળ વાયું છે તેને અભિભૂત કરે છે. આમ જયારે પ્રબળ વાયુ નિર્બળ વાયુને અભિભૂત કરે છે ત્યારે તે પેલા નિર્બળ વાયુથી અભિવ્યક્ત શબ્દને પણ અભિભૂત કરે છે એવું લાગે છે.] તાલ આદિ સ્થાને સાથે વાયુના સંયોગ-વિભાગ બંનેયને (કરણનો તેમ જ વિષયન) સંસ્કાર કરે છે એ પક્ષ પશુ આમ સાચે કરે છે, કારણ કે અમે બંને પક્ષના દેષોને દૂર કરી દીધા છે. તેથી, પ્રત્યભિજ્ઞા પ્રમાણુના પ્રભાવથી સિદ્ધ થયેલા નિત્યત્વ ધરાવતા શબ્દની અભિવ્યક્તિ માનવી વધુ સારી છે. 238. ફુદ્દે રાત્રોચતામઃ મિથfપક્ષયોઃ | शब्दस्य ग्रहणे गुर्वी लध्वी वा कुत्र कल्पना । तथा हि भवन्तो वैशेषिकाः सांख्या जैनाः सौगताश्च कार्यशब्दवादिनः । चार्वाकास्तु बराकाः कस्यैवंविधासु गोष्ठीषु स्मृतिपथमुपयान्ति । 238. હે આર્યો ! શબ્દ કાર્ય છે એ પક્ષ અને શબ્દ અભિવ્યંગ્ય છે એ પક્ષ– થી કયા પક્ષમાં, શબ્દની પ્રહણની બાબતમાં ક૯૫નાલાઘવ કે ક૯૫નાગૌરવ છે એ વિચારે. અને આપ (નૈયાયિકે), શૈશેષિક, સાંખ્યો, જેને અને બૌદ્ધો શબ્દને કાર્ય માને છે. બિચારા ચાર્વાકા તો આવી ચર્ચામાં કેને યાદ આવે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy