SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર એક જ કેમ ? ૧૨૭ સુખદુ:ખના ઉપભોગના હેતુભૂત કોઇ એક જ સ્થાવરાદિવિશેષને કે રાજા દિવિશેષને અવ્યવસ્થિત અભિપ્રાયવાળા તે અનેક જી કેવી રીતે આરંભી–સઈ શકે ? [ન જ સર્જી શકે કારણ કે તે બધાનું તે બાબતમાં ઐકમત્ય હોતું નથી. છાત્રાલયના છાત્રે પણ બધાને ઉપકારક એવા કેઈ એક કાર્યમાં જ કિમત્ય ધરાવે છે, બધાં કાર્યોમાં અકમત્ય ધરાવતા નથી. મહાપ્રાસાદને બનાવવામાં કડિયા વગેરે અનેક પુરુષો એક સ્થપતિની ઇચ્છા મુજબ વતતા જણાય છે. અનેક કીડીઓ સાથે મળી માટીને એક રાકડો બનાવે છે. એમાં પણ તેમને કોઈ એક તુય ઉપકાર (લાભ) તેમને પ્રવર્તક છે, અથવા તે સ્થપતિની જેમ કાઈ એકની ઇચ્છા મુજબનું તેમનું વતન ક૯પવું જોઈએ. પરંતુ અહીં તે સ્થાવર શરીર કેટલા અને ઉપકારનું કારણ છે, બાકીના ઘણુ બધાને અપકારનું કારણ છે, એટલે બધા જીવો સાથે મળી તેનું સર્જન કેમ કરે ? અને અનધિઠિત (અપ્રેરિત) અચેતને (=પરમાણુઓ) તેને બનાવે છે એમ માનવું તે ઉચિત નથી. તેથી અવશ્યપણે તે કર્મોને એક અધિષ્ઠાતા માનવો જોઈએ જેની ઈચ્છા વિના કર્મો, ક્ષય ન પામ્યા હોવા છતાં, પિતાનાં ફળની ઉત્પત્તિ કરવા સમર્થ નથી. 201. ગત વૈલર રિવર ફુષ્ય, ન વાવો વા, મિનામિકાચતયા જાનુ ग्रहोपघातवैशसप्रसङ्गात् । इच्छाविसंवादसंभवेन च ततः कस्यचित् सङ्कल्पविधातद्वारकानैश्वर्यप्रसङ्गाद् इत्येक एवेश्वरः । तदिच्छया कर्माणि कार्येषु प्रवर्तन्ते इत्युपपन्नः सर्गः । तदिच्छाप्रतिबन्धात् स्तिमित शक्तोनि कर्माण्युदासते इत्युपपन्नः પ્રયઃ | પર્વ ૨ યદુ-- तस्मादद्यवदेवात्र सर्गप्रलयकल्पना । समस्तक्षयजन्मभ्यां न सिद्धयत्यप्रमाणिका ॥[श्लो० वा० सम्बन्ध० ११३] इत्येतदपि न सांप्रतम् । 20ા. એટલે જ એક ઈશ્વર ઈચ્છવામાં આવ્યું છે, બે કે વધુ ઈશ્વરે ઇચ્છવામાં આવ્યા નથી કારણ કે બેિ કે વધુ ઈશ્વરે માનતાં તેમના ભિન્ન ભિન્ન અભિપ્રાયને લીધે કાનુમહની હાનિને દોષ આવી પડે. વળી, એકબીજાની ઇચછાઓમાં વિસંવાદ સંભવતે હાઇ વિસંવાદને કારણે કેઈકની ઇચ્છાને વિઘાત થાય અને પરિણામે તે સંકલ્પવિઘાત દ્વારા અનેશ્વર્યની આપત્તિ આવે. તેથી, ઈશ્વર એક જ છે. તેની ઇચ્છાથી કર્મો કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. એટલે આ રીતે સર્ચ ઘટે છે. તેની ઈચ્છારૂપ રુકાવટથી કુંઠિત થઈ ગયેલી શક્તિવાળાં કર્મો કાર્યો કરવામાંથી વિરમે છે એટલે આ રીતે પ્રલય ઘટે છે. વળી કમારિલે કહ્યું છે કે “તેથી આજે અને અહીં જ ચાલી રહેલી ઉત્પત્તિનાશની પ્રષિા જેવી જ સર્ગ અને પ્રલયની [અમારી ક૯પના છે. બધાં જ કાર્યોને નાશ અને બધાં જ કાર્યોની ઉત્પત્તિ દ્વારા ક૯પવામાં આવેલ સર્ગ પ્રલય તર્કસંગત નથી અને એટલે તે ઘટતા નથી. તેમની આ વાત બરાબર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy