SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઈવર સર્વજ્ઞ છે 188. વળી જેવી રીતે નિયત વિષયને ગ્રહણ કરનારી ચક્ષ વગેરે ઇન્દ્રિયોની અપેક્ષાએ ઇન્દ્રિયોનો પ્રેરક જીવ (ન્નક્ષેત્રન) સર્વજ્ઞ છે તેવી રીતે સર્વ જીવોનાં કર્મોને અનુરૂપ ફળ સાથે જોડવા શક્તિમાન ઈશ્વર તેમ કરવાને અશક્ત જીવોની અપેક્ષાએ સર્વજ્ઞ છે. અને વ્યાસે કહ્યું છે કે “આ લેકમાં “ક્ષર' અને “અક્ષર” એ બે પુરુષો જ છે. સર્વ ભૂતને ક્ષર (નાશવંત) કહેવામાં આવે છે અને કુટસ્યને અક્ષર (=અવિનાશી) કહેવામાં આવે છે. પરંતુ જે ત્રણેય લોકમાં પ્રવેશી ભરણપોષણ કરે છે તે ઉત્તમ પુરુષ તો [તે બંનેથી) જદે છે, તેને અવ્યય પરમાત્મા કહેવામાં આવે છે.” આ અર્થને જ જર્ણવતા મંત્ર આ પ્રમાણે છે-“સુંદર પાંખવાળા બે પક્ષીઓ સર્વદા સાથે રહેનારાં છે, સમાન પ્રસિદ્ધિ ધરાવનારાં છે અને એક જ વૃક્ષને આશ્રીને રહેનારાં છે. તેમાંનું એક સ્વાદુ પિપલફલ ખાય છે અને બીજું તેને ન ખાતાં માત્ર જોયા કરે છે.” તેથી ઈશ્વર સર્વજ્ઞ છે. 189. પુંસામસર્વવિરવું હિ રાઢિમઢવધનમ્ | न च रागादिभिः स्पृष्टो भगवानिति सर्ववित् ॥ इष्टानिष्टार्थसंयोगप्रभवाः खलु देहिनाम् । रागादयः कथं ते स्युनित्यानन्दात्मके शिवे ।। मिथ्याज्ञानमुलाश्च रागांदयो दोषाः, ते कथं नित्यनिर्मलज्ञानवतीश्वरे भवेयुः । - 189. રાગ આદિ મળને કારણે સામાન્ય પુ અસર્વજ્ઞ છે. પરંતુ ભગવાન રાગ આદિ દોષોથી રહિત છે એટલે તે સર્વજ્ઞ છે. દેહધારીઓના રાગ આદિ ખરેખર તો ઈષ્ટ. અને અનિષ્ટ વસ્તુઓના સંગને કારણે જન્મે છે, તેથી નિત્યાનંદમય શિવમાં તો તે કયાંથી હાથ ? રાગ આદિ દોષ મિથ્યાજ્ઞાનમૂલક છે, તેથી નિત્ય નિર્મળ જ્ઞાન ધરાવનાર ઈશ્વરમાં તે કયાંથી હોય ? 190 नित्यं तज्ज्ञानं कथमिति चेत् तस्मिन् क्षणमप्यज्ञातरि सति तदिच्छाप्रेयमाणकर्माधीननानाप्रकारव्यवहारविरामप्रसङ्गात् । प्रलयवेलायां तर्हि कुतस्तन्नित्यत्वकल्पना इति चेन्मैवम्, आप्रलयात्सिद्धे नित्यत्वे तद। विनाशकारणाभावादस्यात्मन इव तज्ज्ञानस्य नित्यत्वं सेत्स्यति । पुनश्च सर्गकाले तदुत्पत्तिकारणाभावादपि नित्यं तज्ज्ञानम् ।। 190. તેનું જ્ઞાન નિત્ય કેમ ? [સષ્ટિની સ્થિતિ દરમ્યાન જે એક ક્ષણ પણ તે જ્ઞાનરહિત બની જાય તે કર્માધીન વિવિધ પ્રકારના વ્યવહાર જ જ પતમાં અટકી જાય. કારણ કે કર્મો ઈશ્વરપ્રેરણાથી જ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. પ્રલય દરમ્યાન તો પછી તેના નિત્યની કલ્પના કેમ ઘટે ? ના, એવું નથી. પ્રલય સુધી તેનું નિત્ય સિદ્ધ થતાં પ્રલયકાળે તેના નાશનું કોઈ કારણ ન હેઈ, એ આત્માની જેમ એ આત્માના જ્ઞાનનું પણ નિત્યત્વ પુરવાર થશે જ. સર્ગકાળે તેની ઉત્પત્તિનું કઈ કારણ ન હોઈ [તને ઉત્પાદ થતો. નથી એટલે] તે જ્ઞાન નિત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy