SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ વિષે કેટલીક બાબતે રજૂ કરી છે. પહેલું પુસ્તક ગટિંજનથી ઈ. સ. ૧૯૨૭માં પ્રકાશિત થયું છે. એમાં આગમના બે થર વિષે ઊહાપોહ છે. કેન્ચ–ગરિનાએ La Religion Djaina(pp. 69–90)માં આગમને વિષે કેટલેક ઊહાપોહ કર્યો છે. આ પુસ્તક પરિસથી ઇ. સ. ૧૯૨૬માં બહાર પડ્યું છે. પ્રકરણ ૨ : આયાર (આચાર) નામ–સમવાય(સુ. ૧૩૬)માં “આયાર' તરીકે ઓળખાવાયેલા આ અંગને આયરનિજજુત્તિ( ગા. ૧૧)માં “અ” (વેદ) કહેલ છે. એની સાતમી ગાથામાં એનાં નવ નામાન્તર અપાયાં છે: (૧) આચાલ, (૨) આગાલ, (૩) આગર (આકર ), (૪) આસાસ (આશ્વાસ), (૫) આયરિસ (આદર્શ), (૬) અંગ, (૭) આઈણ (આચી), (૮) આજાઈ (આજાતિ ) અને (૯) આમેખ (આક્ષ). કૌંસમાં મેં સંસ્કૃત નામ આપ્યાં છે. આ દરેક નામ સાર્થક છે. વિભાગ–આજે ઉપલબ્ધ થતા આયારના બે વિભાગ છે. એ દરેકને “સુફખંધ' (શ્રુતસ્કંધ) કહે છે. “સુફખધ” એટલે સત્રોને સમૂહ, કેમકે વિશેસા ( ગા. ૯૦૦ )માં “કલ્પ”નો અર્થ સમૂહ કરાયે છે. પહેલા સુયફખંધનું નામ “ગંભચેર” (બ્રહ્મચર્ય) છે, જ્યારે બીજાનાં • આયાગ(આચારા) અને “આયારંગ” (આચારા) એવાં બે નામ છે. પહેલા સુયફબંધના નવ પિટાવિભાગ છે અને એ દરેકને અજઝયણ” (અધ્યયન) કહે છે. આ દરેક ‘બંભચેર” કહેવાય છે, કેમકે એ દરેકમાં બ્રહ્મચર્યનું પ્રતિપાદન છે. નિર્યુક્તિકાર કહે છે કે આ બ્રહ્મચર્ય એટલે બ્રાહ્મણ લેકની ચર્યા નહિ તેમજ અજ્ઞાની લેકને બસ્તિનિરોધ (ઉપસંયમ) પણ નહિ, પરંતુ સત્તર પ્રકારને સંયમ. આ દરેક અઝયણનું વિશિષ્ટ નામ છે. સમવાય (સ. ૯)માં એ નીચે મુજબ અપાયાં છેઃ - સત્યપરિણ, લોગવિજય, સીઓસણિજ, સમ્મા, આનંતિ, ધુત, વિમોહ(યણ), ઉવહાણસુય અને મહપરિણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy