SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ આગમનું દિગદર્શન [ પ્રકરણ યથાર્થ સ્વરૂપમાં ગ્રહણ કરતે હોવાથી એને માટે તે એ સમ્યફ-શ્રત છે.' વળી જે કેટલા મિથ્યાદષ્ટિઓને પણ એ યથાર્થ બોધનું કારણ બને તેને માટે તો આ અજેના પ્રત્યે પણ સમ્યફ-શ્રત છે આમ અહીં પ્રણેતા (વક્તા ) અને પાઠક ( શ્રોતાઓ એમ બને દૃષ્ટિએ શાસ્ત્રોને વિચાર કરાવે છે અને તે ઇષ્ટ છે, કેમકે સામ્પ્રદાયિક કદાગ્રહને બદલે સત્યને આગ્રહ એ જ સાચા નિરૂપણની જડ અને શેભા છે. દ્વાદશાંગીની સનાતનતા-નંદીનું પમ્ સુત્ત દ્વાદશાંગીની સનાતનતાં રજૂ કરે છે. અહીં કહ્યું છે કે દ્વાદશાંગરૂપ ગણિપિટક પહેલાં નહિ હતું કે ભવિષ્યમાં નહિ હોય કે અત્યારે નથી એવી સમ્ભાવના પણ નથી. આ તે ધુવ છે, નિયત છે, શાશ્વત છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. ૩ ૧ આમ વેદ વગેરે પણ જેનેને માન્ય છે. ૨ શબ્દ નિર્જીવ છે. એ સર્વ સાંકેતિક અર્થનું પ્રતિપાદન કરે છે. એથી એ સર્વાર્થક પણ છે. આ પરિસ્થિતિમાં નિશ્ચય–દષ્ટિ પ્રમાણે વિચારતાં શબ્દનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય સ્વતઃ નથી પણ એને ઉપયોગ કરનાર ઉપર એ આધાર રાખે છે. જે પ્રયોજન નિર્દોષ હેચ તે એ શબ્દ પ્રામાણિક બને, નહિ તે અપ્રામાણિક. વળી શ્રોતાના ગુણદેવના ઉપર પણ શબ્દના પ્રામાણ્ય અને અપ્રામાણ્ય આધાર છે. શાસ્ત્ર એ શબ્દોનું બનેલું છે. આથી , એની ઉપકારકતા કે અપકારકતા એના શબ્દો જ ઉપર આધાર ન રાખતાં એને ગ્રહણ કરનારની યોગ્યતા અને અગ્રતાની ઉપર પણ આધાર રાખે છે. આથી વેદ તે શું પણ જૈન આગમ પણ એક રીતે અપ્રમાણ છે હાનિકારક છે, જ્યારે કેઇ ખરાબમાં ખરાબ શાસ્ત્ર પણ પ્રમાણ છેઉપકારક છે. આમ આ હકીકત પં. દલસુખ માલવણિયાએ જેન આગમ ( જૈન સંસ્કૃતિ સંશાધન મંડળ, પત્રિકા ૧૭)માં હિન્દીમાં પૃ. ૩-જમાં આપી છે. ૩ આ ક્વન દ્વાદશાંગીની પ્રશંસા કરવાની વૃત્તિને આભારી નથી, પરંતુ વસ્તુસ્થિતિનું ઘાતક છે. આનું કારણ એ છે કે જેમણે રાગ-દ્વેષનો સર્વથા સંહાર કર્યો છે એ જિનને–આપને ઉપદેશ આચાર ને વિચાર એ બેને સાચા સ્વરૂપમાં નિરૂપે જ. આચારનું સનાતન સત્ય સમભાવ-વિશ્વવ્યાપી મૈત્રી કેળવવાનું છે કે જેને જનો “સામાચિક' કહે છે. એવી રીતે વિચારનું સનાતન સત્ય અનેકાન્તવાદ, વિભજ્યવાદ ઈત્યાદિ નામથી વિદ્વાનોને સુપરિચિત એ સ્યાદ્વાદ છે કે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy