SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ વાચકવર્ય' ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ, ૧, સે. ૨૦) ઉપર રચેલા ભાગ્ય(પૃ. ૯૦ )માં “અંગપ્રવિષ્ટ” અને “અંગબાહ્ય” એ શબ્દ દ્વારા આ હકીકત દર્શાવી છે એટલે એ રીતે આ બે વિભાગે લગભગ બે હજાર વર્ષ જેટલા તે પ્રાચીન છે જ. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યનાં લક્ષણ-ત્રણ વાર ગણધરના પૂછવાથી તીર્થકરે કહેલ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપી “ત્રિપદી થી થયેલું શ્રત તે ‘અંગપ્રવિષ્ટ” છે, જ્યારે પ્રશ્ન પૂછાયા વિના અર્થને પ્રતિપાદનરૂપે કહેવાયેલું શ્રત “અંગબાલા” છે. અથવા સર્વે તીર્થંકરના તીર્થમાં અવશ્ય ઉત્પન્ન થનારું અને એથી કરીને નિયત એવું શ્રત તે “અંગપ્રવિષ્ટ છે, જ્યારે જે શ્રત અનિયત છે-જે કોઈ તીર્થમાં હોય અને કઈમાં ન પણ હેય તે અંગબાહ્ય છે. અંગબાહિરના અવાક્તર ભેદ–નંદી(રુ. ૪૪)માં “અંગબાહર ” શ્રુતના (૧) આવસ્મય (આવશ્યક) અને (૨) આવરસયવરિત (આવશ્યકતિરિક્ત) એમ બે ભેદ પડાયા છે. તેમાં વળી અહીં આવસ્મયના (૧) સામાઈઅ (સામાયિક), (૨) ચવિસત્થવ (ચતુવિંશતિસ્તવ ), (૩) વંદણય (વન્દનક), (૪) પડિક્રમણ (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ન ( કાયોત્સર્ગ) અને (૬) પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) એમ છ પેટાભેદ અને આવલ્સયવરિત્તના કાલિ (કાલિક) અને ઉકાલિમ (ઉકાલિક) એમ બે પેટાજોદ દર્શાવાયા છે. તત્વાર્થાધિ ના પણ ભાષ્યમાં અંગબાહ્ય શ્રતને પરિચય કરાવતાં આવશ્યકથી પ્રતિક્રમણ સુધીને ઉલ્લેખ છે, પણ એ આવશ્યકના છ પેટભેદ છે એ ત્યાં ઉલ્લેખ નથી. ઠાણ (ઠા. ૨, ઉ. ૧; સ. ૭૧ )માં અંગબાહિરના આવસ્મય અને આવસયવરિત એ બે ભેદ તેમજ આવસ્યયવઈરિત્તના કાલિય અને ઉક્કાલિય એ બે પ્રકારે નિર્દેશાયા છે. ૧ જુએ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિસે સાવસ્મયભાસની માલધારી હેમચંદ્રસૂરિત બહવૃત્તિ નામે શિહિતા (પત્ર ર૮૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy