SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોનું દિગ્દર્શન પ્રકરણ ૧ : પીઠબધે વ્યાખ્યા–મનુષ્ય બુદ્ધિશાળી છે. એથી એને પિતાનાં મન્ત અને ક્રિયાકાષ્ઠ છે. એક જ સરખાં તાવિક સિદ્ધાન્ત અને ક્રિયાકાષ્ઠને સ્વીકારનારા મનુષ્યોને એક સમ્પ્રદાય બને છે. તેમ થતાં એને અંગે માર્ગદર્શન કરાવનારું દાર્શનિક સાહિત્ય સર્જાય છે. આ સાહિત્યને મૌલિક, પ્રામાણિક અને અતિમાનનીય ભાગ “શાસ્ત્ર” કહેવાય છે અને એ પવિત્ર ગણાય છે. અન્યાન્ય ધર્માવલમ્બીઓને પોતપોતાનાં શાસ્ત્ર છે. જેમકે હિન્દુઓમાં બ્રાહ્મણો વગેરેને વેદ, બૌદ્ધોને ૧તિપિટક, ખ્રિસ્તિઓને બાઈબલ, મુસ્લિમોને કુરાને શરીફ અને પારસીઓને ખુર્દ અવેસ્તા. આ પ્રમાણેનાં જેનોનાં પરમ પવિત્ર શાસ્ત્રને “આગ” કહે છે. શનાં ધર્મશાસ્ત્રને માટે “આગમ” સંજ્ઞા વપરાય છે, અને “આગમનિગમ”ને અર્થ “વેદ” કરાય છે; પણ આ બેમાંથી એકેની વિચારણા માટે અત્ર અવકાશ નથી. અહીં તે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના તીર્થમાં રચાયેલા અને “જેન પ્રવચન” તરીકે ઓળખાવાતા આગમોની ઝાંખી કરાવવાને ઉદ્દેશ રખાય છે. ઉત્પત્તિ-પ્રત્યેક તીર્થકરના વિશિષ્ટ શક્તિશાળી મુખ્ય શિષ્ય ગણધર' કહેવાય છે. એમાં તીર્થકરને વન્દન કરી “તત્વ શું છે ?” એવે પ્રશ્ન ત્રણ વાર પૂછે છે. એને નિષદ્યા” કહે છે. એના ઉત્તરરૂપે તીર્થકર પાસેથી કgબ્લેડુ વા, વિમે વા અને યુવેદ્ વા અર્થાત ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે એમ અનુક્રમે ત્રણ પદના સમૂહરૂપ ત્રિપદી ૧. સુત્તપિટક, વિનયપિટક અને ધમ્મ-પિટક આ ત્રણને “તિપિટક” (સં. ત્રિપિટક) કહે છે. ૨-૩. જુઓ આહત આગમનું અવલોકન યાને તત્ત્વરસિકચન્દ્રિકા (ભાગ ૧)નાં પૃ. ૧૨-૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy