SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર ગૌ – ભગવદ્ ! જ્ઞાનાવરણયકર્મ શું સંયત બાંધે, અસંયત બાંધે કે સંયતાસંયત બાંધે? વા જે નોસંયત–નોઅસંયત–સંયતાસંયત હેાય તે બાંધે? મ હે ગૌતમ ! સંયત કદાચ બાંધે અને કદાચ ન બાંધે; સંયત બાંધે અને સંયતાસંયત પણ બાંધે; પરંતુ જે નો સંયત (એટલે કે સિદ્ધ) હોય, તે તો ન બાંધે. એ પ્રમાણે આયુષને છોડી બીજી સાતે કર્મપ્રવૃત્તિઓ માટે જાણવું. આયુષની બાબતમાં સંયત, અસંયત અને સંયતાસંયત વિકલ્પ બાંધે; પણ નોસંયત (એટલે કે સિદ્ધ) તો ન જ બાંધે. ગૌ૦–હે ભગવન ! જ્ઞાનાવરણીયકર્મ શું સમ્યગદાષ્ટ બાંધે, મિથ્યાદષ્ટિ બધે કે સમ્યમિધ્યાદષ્ટિ બાંધે ? મહ–હે ગૌતમ ! સમ્યગદષ્ટિ કદાચ બાંધે અને ન બાંધે; મિશ્ચાદષ્ટિ બાંધે, અને સમ્યગમિથ્યાદૃષ્ટિ પણ બાંધે. એ પ્રમાણે આયુષ સિવાયની સાતે કર્મપ્રકૃતિએ માટે જાણવું આયુષની બાબતમાં સમ્યગ્દષ્ટિ અને મિયાદાષ્ટ કદાચ બાંધે અને કદાચ ન બાંધે; પણ સમ્યગમિયાદષ્ટિ (સમ્યમિશ્યાદષ્ટિની દશામાં) ન બાંધે. ૧. જે વીતરાગ હોય તે તો એકવિધ કર્મ જ બાંધતો હોવાથી જ્ઞાનાવરણીયને ન બાંધે, પરંતુ સરાગ હોય તે બાંધે. ૨. કારણુંકે ૮મા ગુણસ્થાનથી ઉપરની દશામાં સમ્યગદષ્ટિ ન બાંધે. તે સિવાયના સમ્યગદૃષ્ટિ તેમ જ મિથ્યાદષ્ટિ આયુષઅંધકાળે બાંધે, તે સિવાયને કાળે ન બાંધે. ૩. કારણ કે તે દિશામાં આયુષકર્મના બંધના અધ્યવસાય-સ્થાનનો અભાવ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy