________________
આહત આગમનું અવલોકન
[ પ્રકરણ ૫. બેચરદાસના આ કથનનું યથાતથ વિચારાય તેમ જ વવહારસુત્તમાં સૂચવેલ અભ્યાસક્રમને ઉદ્દેશીને જે પ્રશ્ન રજુ કરાયા છે તેનો ઉત્તર સૂચવાય તે પૂર્વે કેટલીક હકીકતો નોંધી લેવી દુરસ્ત જણાય છે. તેમાં સૌથી પ્રથમ યોગોઠહનની આધુનિક પદ્ધતિ વિષે અત્ર ઇસાર કરવામાં આવે છે. આધુનિક સમયમાં ૪૫ આગમોને અંગે યોગોહનની ક્રિયા હજી કેટલાક સંધાડામાં-મુનિસમુદાયોમાં કરાય છે. એ ક્રિયા વખતે સૂત્રવાચના અપાય છે અને પહોંચી શકાય તો ટીકા સહિત એ સૂત્રને અર્થ સમજાવાય છે, નહિ તે કેવળ મૂળ માત્રનેસૂત્રનો અર્થ સમજાવાય છે. આ પ્રણાલિકા મુજબ નીચે પ્રમાણેના ક્રમે ગોઠહન કઈ કઈ ઠેકાણે થતું જોવાય છે – - (૧) આવસ્મયસુર (૨) દસયાલિસુર, (૩) ઉત્તરસૂઝયણસુર, (૪) આયા, (૫) નિસીહસુત્ત, દસાસુયખંધ અને વવહાર, (૬) ૨૦ ૫ઇeણગ, (૭) મહાનિસીહ, (૮) નદીસુત્ત અને અણુઓ ગદ્દાર, (૯) સૂયગડ, (૧૦) ઠાણ (૧૧) સમવાય, (૧૨) વવાય, રાયપાસેણુય, જીવાજીવાભિગમ અને પરણવણ, (૧૩) નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા, અણુત્તરવવાઈયસા, પહાવાગરણ અને વિવાગસુત્ત, (૧૪) વિઆહપણુત્તિ, (૧૫) સુરિયન પણતિ, જંબુદ્દીવાણુત્તિ, ચંદપણુત્તિ, કપિયા કપાવતસિયા, પુફિયા, પુફલિયા અને વહિદાસા, કેટલાક મુનિઓ પરણુગના યોગદહનની ક્રિયા કરવા પૂર્વે મહાનિસીહના યોગદહનની ક્રિયા કરે છે. એવી રીતે કેટલાક સૂરિશ્યપણુત્તિ વગેરે આઠ ઉપાંગોના યોગોહનની ક્રિયા કર્યા બાદ વિઆહપણુત્તિને અંગે એવી ક્રિયા કરે છે.
એમ કહેવાય છે કે જે સમયે દસયાલિયસુત્ત રચાયેલું ન હતું તે સમયે તેના સ્થાનમાં આયર ભણાવીને વડી દીક્ષા અપાતી અને ત્યાર બાદ ઉત્તરજૂછયણસુર, નિસીહ વગેરેના વેગે થતા. એ સમયને ઉદ્દેશીને વવહારસુત્તનો ઉલ્લેખ સમજવાને છે એમ કેટલાક માનતા હોય એમ લાગે છે.
વળી એમ પણ કહેવાય છે ઉત્તરાયણસુરના યોગવહનનો કાળ નિયત નથી–અમુક દીક્ષા પર્યાય પછી જ એનું અધ્યયન થાય એમ નથી કે જે હકીકત બીજા પણ કેટલાક આગમોને લાગુ પડે છે.
પ્રમેયરત્નમંજૂષા (પત્ર ૩ આ અને ૪ અ)માંને નીચે મુજબને ઉલ્લેખ હવે આપણે ધીણું
"अत्र पञ्चवस्तुकसूत्रे दशवर्षपर्यायस्य साधोः भगवत्यङ्गप्रदानेऽवसास्य प्रतपादनात षष्ठाङ्गतया ज्ञाताधर्मकथाङ्गस्य प्रदाने तदनन्तरमसः, कारणविशेषे गुर्वाज्ञावशादगिपि, ततस्तदुपाअत्वादस्य तदनन्तरमवार इति संभाव्यते, योगविधानसामाचार्यामपि अङ्गयोगोद्वहनानन्तरमेवोपाङ्गयोगोंद्वहनस्य विधिप्राप्तत्वादिति।"
૧ આ સ્પિચ્ચક્ખાણ, (૨) મહાપચ્ચક્ખાણ, (૩) વિદWવ, (૪) તંદુવેયાલિય, (૫) સંથારગ, ૭) ભરપરિણ, (૭) આહારગુપડાગા, (૮) ગણિવિજા, (૯) અંગવિના, (૧૦) ચઉસરણ, (૧૧) દીવસાગપત્તિ , (ર) સગહણ, (૧૩) ઇસકરંડગ, (૧૪) મરણુસમાહિ, (૧૫) તિલ્યાગાલી, (૧૬) સિપાહુડ, (૧૭) નયવિસત્તિ (૧૮) ચંદવિઝય, (૧૯) પચા૫ અને (૨૦) જયકM.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org