________________
૩ જુ] પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાને રહે
વેલ માથા ચારિ તથ? ૩ર, તત્ર રચાવનાબા તથોર્જ ર તુ નક્ષત્રના मधिकृत्य भणितं पूर्व पूर्वाणि कृतानीति ।"
(૬) શ્રીસિદ્ધચક્ર (વ. ૪, અં, ૯)માં પ્રસિદ્ધ થયેલા “આવશ્યક સૂત્ર અને તેની નિર્યુક્તિ એ લેખમાંની નીચે મુજબની પંક્તિઓ પરથી સૌથી પ્રથમ પ્રર્વ રચાયાં એ હકીકત જે ય છે. “અંગપ્રવિષ્ટ એવા બારે અંગોની રચના કરતાં જેમ ચૌદ પર્વરૂપી પૂર્વગતશ્રુતની પહેલાં રચના થવા છતાં અને તેમાં એટલે પૂર્વગતમાં અથવા દષ્ટિવાદમાં સર્વ કહેવા લાયક પદાર્થોનો રચના થઈ ગયા છતાં સામાયિક ચારિત્ર કે છેદપસ્થાપનીય ચારિત્રના આચારને પાળવાની ઇચ્છાવાળા એવા મંદબુદ્ધિ આદિ જેને માટે અને દૃષ્ટિવાદના અભ્યાસનું પાત્ર નહિ એવી સ્ત્રાઓના ચારિત્રના પાલનને માટે આચારાંગસુત્ર પર્વોની પછી રચાયું છતાં તે આચારાંગને પ્રથમ મૂકવામાં આવ્યું, અને તેથી જ સિદ્ધાંતના પ્રાકૃતપણાના ગુણને જણાવતાં સ્ત્રી વિગેરેના વિશેષણ તરીકે ચારિત્રકાંક્ષિણામ એ પદ શાસ્ત્રકારોએ વ્યાપકપણે રાખેલું છે, એટલે આચારની અપેક્ષાએ આચારાંગની સર્વ અંગમાં અને પૂર્વ કરતાં પણ પહેલી સ્થાપના કરી તેનો માફક પ્રતિદિન ઉભય સંધ્યાએ કરવાનું હોવાથી તે આવશ્યકસૂ ને પહેલું સ્થાન મળે તેમાં કઇ જાતનું આશ્ચર્ય જ નથી.”-પૃ. ૨૦૭
આ ઉપરથી દ્વાદશાંગીની રચના પર નીચે મુજબની બાબત જોવાય છે –
(૧) કેટલાકનું માનવું એ છે કે બારે અંગેને જે નામે લેખ સમવાય વગેરેમાં જેવાય છે તે જ ક્રમે એની રચના અને સ્થાપના પણ થઈ છે. | (૨) કેટલાકનું કહેવું એ છે કે દ્વાદશાંગીની રચનાને કામ અને એની સ્થાપનાને કેમ ભિન્ન છે. એટલે કે રચનાના સમયે બારમું અંગ પહેલું રચાયું છે અને આધાર વગેરે અગ્યાર અંગે પછી રચાયાં છે, જ્યારે સ્થાપનાના સમયે આયાર વગેરે અગ્યાર અંગેનું પ્રથમ સ્થાન અપાયેલું છે એટલે કે સ્થાપનાની દષ્ટિએ તો ઉપયુક્ત બારમું અંગ છેલું (બારમું) છે
(૩) આ પ્રમાણેના બે વિકલ્પ પૈકી પ્રથમ વિકપને રજુ કરનારા બીજા વિકલ્પને યુક્તિશન્ય ગણુતા નથી, કેમકે તેઓ એના સમય માટે પ્રયત્ન કરતા જોવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org