SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા મૂલસુત્ર–જેમ ઝાડનું મૂળ મજબૂત હોય તેમ તે વધુ વખત ટકી શકે અને ફાલી ફૂલી પણ શકે તેમ જે વિષયના પઠન-પાઠનથી સમ્યક્ત્વરૂપ વૃક્ષનું મૂળ દૃઢ બને અને તે દશવિધ યતિધર્મરૂપે વિકસિત થાય એવા વિષયો રજુ કરનાર ગ્રંથ “મૂલસૂત્ર' કહેવાય છે. –એજન, પૃ. ૧૮. અંગાદિ ઉલ્લેખ-અંગ” એ નામ તે સમવાય નામના ચેથા અંગ (સૂ. ૧), આયાર (આચાર) નામના પ્રથમ અંગની શ્રીભદ્રબાહસ્વામીએ રચેલી નિજજુત્તિની પાંચમી ગાથા ઇત્યાદિમાં જવાય છે. ઉપાંગ” શબ્દ તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સૂ. ર૦)ના ભાષ્યમાં નજરે પડે છે, જ્યારે નિરયાવલિયા (નિરયાવલિકા)ના સૂ. ૩-૪માં ઉવંગ (સં. ઉપાંગ) શબ્દ જેવાય છે. પ્રકીર્ણક શબ્દ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (૫. ૧, સ. ૩, લો. ૫૮૧)માં વપરાય છે. તંદુવેયાલિચ (ત દુલચારિક) આદિ ગ્રંથને ઉદ્દેશીને “પન્ન' શબ્દ, વિક્રમની ૧૪મી શતાબ્દીને અલંકૃત કરનારા શ્રી પ્રદ્યુમ્નસૂરિએ રચેલા વિયારલવલેસ યાને વિચારસારપ્રકરણ (ગા. ૩૫૦, પૃ. ૭૯)માં જોવાય છે. અત્રે એ નિવેદન કરવું અનાવશ્યક નહિ ગણાય કે “પરણુગ” (સં. પ્રકીર્ણ) શબ્દ નદીસુત (સૂ. ૪૪) માં છે, પરંતુ પછાણુગ તરીકે ત્યાં જે ગ્રંથોને ઉલ્લેખ કરાયેલો છે તેને તેમ જ કયા તીર્થકરના સમયમાં કેટલાં પ ગ હોય ઇત્યાદિને વિચાર કરતાં એ “પછણયુગ” શબ્દ અત્યારે ઉપલબ્ધ થતાં તંદુલયાલિય આદિને લાગુ પાડી શકાય કે કેમ એ પ્રશ્ન કઇ કઇ ઉઠાવે છે. આને ઉત્તર આગળ ઉપર વિચારવા ઇચછા છે. આવસ્મયનિત્તિ (ગા. ૭૭૭) માં તેમ જ વિસે સાવસ્મયભાસ (ગા. ૨૨૯૫) જે એની એજ ગાથા છે તેમાં “હેયસત્ત' (સં. છેદસૂત્ર) શબ્દ નજરે પડે છે. એનાથી પૂર્વેના કોઈ ગ્રંથમાં એનો ઉલલેખ જણાતું નથી. એવી રીતે છેદસુત (સં. છેદસત્ર) પંચકલાસ (પંચકહ૫ભાગ્ય)માં જોવાય છે. મૂલસુત્ત (સં. મૂલસૂત્ર) એ શબ્દ સૌથી પ્રથમ ક્યાં દષ્ટિગોચર થાય છે તે જાણવું બાકી રહે છે. | દિગંબર પ્રથે પૈકી શ્રીઅકલંકદેવકૃત તત્વાર્થરાજવાર્તિકના ૫૧ મા પૂછમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે સંજ્ઞા અને એના ૫૪ મા પૃષ્ઠમાં અંગબાહ્યના અવાંતર ભેદરૂપે કાલિક અને ઉત્કાલિક એ બે સંજ્ઞા નોંધાયેલી છે. પ્રશ્નો ગુરુદેવને છે. આ પ્રમાણે છેદસૂત્રનું સ્વરૂપ “સિદ્ધચક્ર” (વ. ૧, અં. ૧, પૃ. ૧૫)માં સમજાવાયું છે, પરંતુ તે કયા રથને આધાર છે તે ત્યાં સૂચવાયું નથી. કદાચ એ અભિધાનસજેન્દ્ર (ભા. ૩, પૃ ૧૩૫૧)માં આપેલી પંચકભાસ (પંચકભાષ્ય)ની નિમ્નલિખિત ગાથા ઉપરથી અપાયું હોય:- “ પરિણામ પરિણામ માળિામા તિવિ કુરિમા તુ.. णातूणं छेदसुत्त परिणामणे होति दायव्वं ॥" १ " उवंगाणं मंते ! समणेणं, जाव संपत्तेणं के अटे पन्नत्ते ! ॥३॥ एवं खलु जंबू समणेण भगवया जाप संपत्तेणं एवं उवंगाणं पंच वग्गा पनत्ता, ते जहा-निरयावलियाओ, कम्पतिnિો , પુજા, પુજરિયા, રવિરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy