SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવણ (૫૫) ઉ. ધર્મસાગરમણિ. તેમને જન્મ લાડેલમાં ઓસવાલવંશમાં થયો હતો. તેમણે સં. ૧૫૯૫માં ૧૬ વર્ષની ઉંમરે આ વિજયદાનસૂરિના હાથે તપગચ્છમાં દીક્ષા લીધી. તેમણે આ વિજયહી સૂરિ સાથે દોલતાબાદમાં જઈ અભ્યાસ કર્યો હતો. તેઓ સંસ્કૃત બેલવામાં ચતુર, પ્રખર વાદી અને સમર્થ ગ્રંથકાર હતા. તેમણે “જબૂદ્વીપ પ્રકૃતિ ટીકા સં. ૧૬૩૯, તવતરમિણ સં. ૧૬૧૭, વર્ધમાનકાત્રિશિકા, કલ્પકિરણવલી સં. ૧૬૨૮, કુમતિકુદાલ પ્રવચનપરીક્ષા સંત ૧૬૨૯, તપાગચ્છ પટ્ટાવલી સૂત્ર, સવૃતિ નયચક્ર, ઈધિપચિકીપત્રિશકિ-વૃત્તિ સં. ૧૬૨૮, ઔષ્ટ્રિકમસૂત્રદીપિકા સં. ૧૬૧૭, પયુંષણશતક સં. ૧૬૪૭, તેની ટીકા ૧૬૪૭, ગુરુતત્ત્વદીપક વગેરે ગ્રંથ બનાવ્યા છે. સ્વ. સં. ૧૫૩ કા. શુ. ૯ઉપા. શ્રીભાવવિજયગણિએ “ક્ષત્રિશ૪૫વિચારમાં તેમને પં, જીવર્ષિગણિના શિષ્ય તરીકે ઉલ્લેખ્યા છે. (૫૬) ઉ૦ લબ્ધિસાગર, ઉ૦ વિમલસાગરજી, ઉ૦ લબ્ધિસાગરના શિષ્ય ઉ૦ નેમિસાગર બહુ બુદ્ધિમાન હતા. તે અને તેને શિષ્ય મહો. મુક્તિસાગર ગૃહસ્થીપણાના ભાઈઓ હતા. તે બન્નેની કૃપાથી નગરશેઠ શાંતિદાસને અઢળક ધન મળ્યું હતું અને નગરશેઠે તેમને ઉપાધ્યાય બનાવવા પ્રયત્ન કર્યો પરંતુ આ વિજયસેનસૂરિએ મના કરી. ઉ. નેમસાગરજી આ. વિજયદેવસૂરિ સાથે માંડવગઢ ગયા હતા. ત્યાં બાદશાહ જહાંગીરે આચાર્યશ્રીને “સવાઈ મહાતપા” અને ઉપાધ્યાયને “જગજીપક” નાં બિરુદ આપ્યાં હતાં. તેઓનું સં૦ ૧૬૭૪માં માંડવગઢમાં જ સ્વર્ગગમન થયું. અને તેમના શિષ્ય ઉ૦ મુક્તિસાગરજીને નગરશેઠ શાંતિદાસે સં. ૧૬૭૯માં આ૦ વિજયદેવસૂરિના વાસક્ષેપથી વાચકપદ અને સં. ૧૬૮૬માં આ. વિજયદેવસૂરિના વાસક્ષેપથી અમદાવાદમાં સૂરિપદ આપ્યું. તેમનાથી “સાગરમ"ની પરંપરા ચાલી. (૫૭) ઉ૦ પધસાગરજી—તેઓ ઉ૦ વિમલસાગરજીના શિષ્ય હતા તેમણે સં. ૧૬૪૬માં બીજા મ. શુ૦ ૧૧ માંડલમાં જગદ્ગુરુકાવ્ય બનાવ્યું છે. (૫૮) ઉ૦ કુશલસાગરજી (૫૯) પં. ઉત્તમસાગરજી સ્વ. સં ૧૭૫૮ (૬૦) પં. ન્યાયસાગરજી તેમણે સં. ૧૭૬૩માં ક્રિોદ્ધાર કર્યો, અને સં. ૧૭૯૭માં અમદાવાદમાં લવારની પિળના ઉપાશ્રયમાં સ્વર્ગગમન કર્યું. (૫૫) મહા ધર્મસાગરગણિ (૫૬) ઉ૦ શ્રતસાગર (૫૭) ઉ૦ શાંતિસાગર. તેમણે સં. ૧૭૦૭માં “કલ્પકામુદી' રચી ચિં૦ ૩૭૦૭), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy