SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા પશુ-પંખી તરીકે–એક સામાન્ય કીટક કરતાં યે વધુ અધમ સ્વરૂપે-સૂક્ષ્મ નિમેદના જીવ તરીકે પણ ઉત્પન્ન થાય એમ આ દર્શનનું કહેવું છે. સૂક્ષ્મ નિગદ એ દરેકે દરેક આત્માનું મૂળ વતન છે અને આત્મિક વિકાસ સાધનાર એ અધમાધમ દશામાંથી ઊંચે આવેમનુષ્યજન્મ જે ઉત્તમ જન્મ પણ પામે. પુનર્જન્મ અને પરાકની ઉપપત્તિ કર્મ પર અવલંબે છે. “કર્મ” જેવી કઈ ચીજ જ ન હોય તે પુનર્જન્મ વગેરે સંભવે નહિ. “કર્મ” શુભ હે કે અશુભ હે–એને “પુણ્ય કહે કે “પાપ” કહે, એને અંત ભવ્ય માટે આવી શકે તેમ છે, જોકે એ આત્મા સાથે એને સંબંધ પ્રવાહરૂપે અનાદિ કાળથી છે. આ અંત આવતાં એ આત્મા જન્મમરણના ચકરાવાથી મુક્ત બને છે અને એ નિરંજન, નિરાકાર અને સચ્ચિદાનંદમય એવી અનુપમ અવસ્થાને–એક્ષને પામે છે. આ મેક્ષ જ જૈન દર્શન પ્રમાણે ખરેખર પુરુષાર્થ છે જ્યારે ધર્માદિ તે ગૌણ છે. વિચિત્રતાનું કારણ આપણે આ દુનિયામાં જાતજાતનાં પ્રાણીઓ જોઈએ છીએ. એ બધાં એકસરખાં સુખી, નીરોગી, ટીયુષી, જ્ઞાની, સંયમી, યશસ્વી, પ્રભાવશાળી, સમૃદ્ધ કે સુંદર નથી. અરે એક જ માતાના પેટે અવતરેલાં જોડિયાં સંતાનમાં પણ અનેકવિધ વિષમતાઓ જેવાય છે. આમ જે આ જગતમાં વિચિત્રતાઓ છે તેનું કારણ શું ? જૈન દર્શન એને ઉત્તર કમ? એમ આપે છે. જયંતભઠ્ઠ ન્યાયમંજરી (ઉત્તર ભાગ, પૃ. ૪ર)માં એને “ અરણ કહે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy