SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૫ : કર્મમીમાંસાનું આયોજન ઉદ્દભવ – આજથી દેક દસકા ઉપર હું મુંબઈમાં રહેતા હતો અને એ સમયે મારે હાથે કવિવર ધનપાલની કૃતિઓનું ટીકા ઈત્યાદિ સહિત સંપાદન કાર્ય થતું હતું એવામાં ઉસભપંચાસિયા ( અષભપંચાસિક )ને ત્રીજા પદ્યના સ્પષ્ટીકરણ મેં જે સમ્યકત્વને અંગે નાનકડો નિબંધ લખ્યું હતું તે છપાવ શરૂ થયે. આનાં મુદ્રણપત્ર (proof–sheets) એક જૈન આચાર્યને મોકલાતાં એમાં એમણે કેટલીક ભૂલ કાઢી પરંતુ એ મારે ગળે ઊતરી નહિ એટલે મેં તે પ્રમાણે ફેરફાર ન કર્યો. એવામાં કર્મસિદ્ધાન્તના વિશિષ્ટ અભ્યાસી તરીકે ઓળખાવાતા જૈનાચાર્ય શ્રીવિજય પ્રેમસૂરિજીનું મુંબઈમાં ચાતુર્માસ થયું અને એમની સાથે પરિચય થતાં મેં આ મુદ્રિત લખાણ તપાસી જવા એમને સાદર વિજ્ઞપ્તિ કરી. તેઓ આ જોઈ ગયા અને એમણે આ નિબંધ જોઈ એની તારીફ કરી અને એમાં કોઈ ભૂલ નથી પરંતુ ભૂલ સૂચવનારની ભૂલ હોવાનું કહ્યું. આ ઉપરથી મને બે વિચાર સ્પર્ધા – ( ૧ ) વિશેષજ્ઞ ગણાતા વિદ્વાનની પણ વાત તેમના તફરથી પ્રમાણ જૂ ન થાય ત્યાં સુધી સ્વીકારી ન લેવી. ( ૨ ) જૈન દર્શનમાં ઓતપ્રેત બનેલા અને જૈનેના એક વિશિષ્ટ સિદ્ધાન્ત ગણાવાને લાયક એવા કર્મસિદ્ધાન્તને અંગે સંક્ષિપ્ત કે માધ્યમિક કેટિને ગ્રંથ ન રચતાં બને તેટલા વિસ્તારવાળી એક કૃતિ તૈયાર કરવી અને તેમાં માર્ગદર્શન મળે ૧. આવી એક કૃતિ “જૈન ન્યાય” ( Jaina Logic) પર હાલમાં હું તૈયાર કરું છું. Jain Education International 2010_05 For Private & Personal Use Only......... www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy