SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ અહીં “મદ'ને ગિરિરાજ કહી એના આઠ પ્રકારને એના આઠ શિખર તરીકે નિર્દેશ છે. આ સઝાયમાં રાવણ, અરાવણ ઉપર આવનાર હરિ (ઈન્દ્ર, ધૂલિ(લ) ભદ્ર અને બાહુબલિને ઉલ્લેખ છે. ( ૩ ) માયાની સક્ઝાય– “પાપસ્થાનક અમ કહ્યું સુણે સંતાજી!”થી શરૂ થતી આ સજઝાયમાં આઠ કડી છે, અહીં કુસુમપુરમાંના એક શેઠને ત્યાં નીચે અને ઉપર રહેલા બે જણાને ઉલેખ છે પણ એ બેમાંથી એકનું નામ દર્શાવાયું નથી. એકને “સંવિઝ” તરીકે નિર્દેશ છે. (૪) લાભની સઝાય- આ આઠ કડીની સઝાયની શરૂઆત નીચે મુજબ કરાઈ છે – જી મારે લેભ તે દેષ અભ. અહીં ઉત્તરાધ્યયનમાંથી એ વાત રજૂ કરાઈ છે કે ઇચ્છા આકાશ સમાન છે. “સ્વયંભૂરમણ સમુદ્ર તરી શકાય પરંતુ લેભસમુદ્ર નહિ એમ અહીં કહ્યું છે. (પ) રાગની સઝાય – “પાપસ્થાનક દશમું કહ્યુથી "પ્રારંભાયેલી આ સજઝાયમાં નવ કડી છે. એમાં હરિ, હર, ખંભા(બ્રહ્મ?), (આ)ષાઢભૂતિ અને નન્દિષેણને ઉલેખ છે. રાગને રાજા અને વિષયાભિલાષને મંત્રી એમ અહીં રૂપક આલેખવ્યું છે. સાતમી કડીને પૂર્વાધ નીચે મુજબ છે – “ બાવીસ જિન પણ રહી ઘરવાસે રે, વર્યા પૂરવ રાગ અભ્યાસે રે” Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy