________________
બીજુ ]
ભાર ઉપાંગે
[ ૨૯
એને સૂરપણુત્તિથી સ્વતંત્ર ઉલ્લેખ છે એટલે આ બાબત ચિન્ય ગણાય. 1 વર્તમાન કાળમાં જબુદ્વીપમાં જે ચન્દ્ર છે તેને અંગે એમ. કહેવાય છે કે પૂર્વ ભવમાં એને જન્મ જૈન કુળમાં થયો ન હતે એટલે ઉગ્ર તપનું યથેષ્ઠ ફળ મળ્યું નહિ. જૈન કુળની મહત્તામહાશ્રાવક તરીકેની કરણી ઉવાસગદસામાં વર્ણવાઈ છે. આથી ચંપત્તિ એનું ઉપાંગ ગણાય એમ કલ્પના કરાય છે.
વિવરણ– આ આગમ ઉપર ૫૦૦ કલેક જેવડી વૃત્તિ. વિવિધ ઉપાંગોના વૃત્તિકાર મલયગિરિસૂરિએ રચી છે. (૮) નિયાવલિયા (નિયાવલિકા)–
નિય એટલે નરકને જીવ અર્થાત્ “નારક અને આવલિ એટલે “શ્રેણિ”. નારકેની શ્રેણિના વર્ણનરૂપ ગ્રંથને નિરયાવલિયા. સુયબંધ' ( સં. નિરયાવલિકાશ્રુતસ્કંધ) કહે છે. એનું પરિમાણ ૧૧૦૦ શ્લોક જેવડું છે. એના નીચે મુજબ પાંચ વર્ગ ગણાવાય છેઃ
(૧) નિરયાવલિયા, (૨) કાપડિસિયા, (૩) પુફિયા, (૪) પુષ્કચૂલિયા અને (૫) વહિદસા. છે. નામ–અંતગડદસાના ઉપાંગ તરીકે નિદેશાતા નિરયાવલિયા નામના આ આગમને કમ્પિયા” (સં. કલ્પિતા ) પણ કહે છે.
વિભાગ–આ આગમમાં દસ અધ્યયને છે. વિષય-મગધના નરેશ્વર શ્રેણિકને કાલી, સુકાલી વગેરે નામની પત્નીઓ હતી. કાલીના પુત્ર કાલ, સુકાલીના સુકાલ એમ દસે પત્નીને એકેક પુત્ર કણિકના પક્ષમાં રહી રથમુસલ” યુદ્ધમાં મહાવીરસ્વામીના મામા અને ચેલ્લણ (શ્રેણિકની પત્ની)ના પિતા કેટકની સાથે લડાઈમાં ઊતર્યો. કાલે “ગરુડ ન્યૂડ રચી આ યુદ્ધમાં ભાગ લીધે. ચેટકે એને એક જ બાણથી હણું નાંખે. એ મરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org