SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ એ અનંતરક્ષણની અભૂતિ = અસત્તા સ્વરૂપ નથી પરંતુ વર્તમાન ક્ષણ જ બીજી ક્ષણે નથી કારણકે વર્તમાન ક્ષણ એ ક્ષણિક છે અર્થાત એક ક્ષણ રહેવું એ તેનું સ્વરૂપ છે તેના જવાબમાં ગ્રંથકાર કહે છે આ તારી માન્યતા તારી યુક્તિથી જ વિરુદ્ધ છે કારણકે અમે જ્યારે કહીએ છીએ કે એ પર્વ અન્યથા મવતિ અર્થાત તે સંસારી આત્મા જ અન્ય સ્વરૂપે = મુક્ત સ્વરૂપે થાય છે. ત્યારે તું કહે છે કે અર્થાત તું અમને દોષ આપે છે કે “કવિ સ ાવ, ઋથે અન્યથા મવતિ | અન્યથા વેત્ મવતિ તદ્ધિ થં સ” અર્થાત્ તે જ આત્મા છે તો પછી અન્ય સ્વરૂપવાળો કેમ કહેવાય ? કારણકે તેમાં વિરોધ હોવાથી અને જો અન્ય સ્વરૂપવાળો છે તો પછી તે જ (આત્મા) છે એમ પણ કેમ કહેવાય કારણકે પૂર્વનું સ્વરૂપ નાશ પામ્યું હોવાથી તે પૂર્વ સ્વરૂપવાળો તો છે નહિ. આ પ્રમાણેની તારી યુક્તિથી જ “ સ વ ને પ્રવતિ ” તારું કથન વિરૂદ્ધ સિદ્ધ થાય છે કારણકે તું કહે છે કે પૂર્વમાં સત એવી ક્ષણ (ક્ષણિક હોવાથી) તે જ અસંત થાય છે. અર્થાત છેવ એ પ્રમાણે કહીને પછી તે મવતિ કહે છે તો અહિંયા તારી જ યુક્તિથી અમે પૂછીએ છીએ કે યદિ સે હવ, થં ન મવતિ, ન મવતિ, વે થે સ વ ? અર્થાત જો તે જ ક્ષણ છે તો પછી અસત કેવી રીતે અને જો અસત છે તો પછી તેનું અસત પણું હોવાથી તે જ છે એમ કેમ કહેવાય ? અર્થાત્ બંને વચ્ચે પરસ્પર વિરોધ હોવાથી તેવું વચન ન બોલાય. વળી સ વ ર મવતિ એ પ્રમાણે માનતા સત્ જ અસત્ થવાથી તારે અભાવની ઉત્પત્તિ, નાશ આદિ માનવું પડતું હોવાથી આ તારું સ વ ન મવતિ એ કથન તારી જ સ વ અન્યથા મત માં આપેલી યુક્તિથી વિરુદ્ધ = હણાઇ જાય છે. હવે આજ અભાવની ઉત્પત્તિ, નાશ આદિ માનવાની આપત્તિ કેવી રીતે આવશે તેને જ સ્પષ્ટ કરે છે. सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् । तनष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः ॥१९५॥ સત્ જ અસત્ થાય છે એમ માને છતે અસની ઉત્પત્તિ, તે ઉત્પન્ન થયેલાનો નાશ અને નષ્ટ થયેલાની ફ્રીથી ઉત્પત્તિ (ભાવ) થાય. જે પદાર્થનો નાશ હંમેશા માનશો તો વર્તમાન ક્ષણે પણ તેની સ્થિતિ નહિ ઘટે. સ વ ન મવતિ એ યુક્તિથી ભાવ જ અભાવરૂપ થાય છે અને તેથી ભાવ એ કાદાચિહ્ન - ક્ષણિક હોવાથી દ્વિતીયક્ષણે ઉત્પન્ન થયેલ તેનો અભાવ પણ કાદાચિત્ર થશે. કારણકે જે ઉત્પત્તિમાન હોય તે અનિત્ય હોય એવો નિયમ હોવાથી દ્વિતીય ક્ષણે ઉત્પન્ન થયેલ અભાવનો અર્થાત નષ્ટયાસી પુનર્માવ: = નાશ પામેલ તે અસત્ત્વનો તો તૃતીય ક્ષણે પુનર્ભવ થશે અર્થાત નાશનો નાશ એ તૃતીય ક્ષણમાં ફ્રીથી ભાવરૂપ જ થશે. અન્યથા = નાશનો નાશ એ ફ્રી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004613
Book TitleYogadraushtina Ajwala Part 3
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy