SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ ઉપમિતિકાર, પરમાત્માનો અનુગ્રહ શું છે ? તે બતાવે છે. પરમાત્માના અનુગ્રહ એટલે કૃપા વિના જીવ આગળ વધી શકતો નથી. એક રંક એટલે ભીખારી છે. નગરમાં ભટકે છે. પણ એકવાર ભવન ઉપર દૃષ્ટિ પડે છે. (આટલો વખત ભવન પર દૃષ્ટિ પડી જ ન હતી.) એને ભવનમાં પ્રવેશ મળે છે. ચૌદ રાજલોકરૂપ સંસાર એ નગર છે. જીવ રૂપી ભિખારી છે. અનંતકાળથી વિષય-કષાયની ભીખ માંગી રહ્યો છે. એકભવ એવો નથી કે જ્યાં વિષય-કષાયની ભીખ ન માંગી હોય ! અને વિષયોની એંઠ ચાખી ન હોય ! ખાધા પછી જે કાંઈ વધેલું, ખાધા પછી જે કાંઈ છાંડેલું હોય તે એંઠ છે, આપણે જે કાંઈ ભોગવીએ છીએ તે ચૌદ રાજલોકના જીવોની એંઠ છે. અનંતકાળથી આ જીવ એંઠ માંગી રહ્યો છે. હવે જૈનશાસનરૂપ રાજભવન પર દૃષ્ટિ પડી... કદાચ પહેલાં પડી હોય તો પણ એને દ્રવ્યથી રાજભવનમાં પ્રવેશ મળ્યો હતો, એમ સમજવું જોઈએ. રાજભવનના સાતમે માળે સુસ્થિત મહારાજા છે. તેમ અહીં સાત રાજ ઉપર સિદ્ધો રહેલા છે. તેની દષ્ટિ પડી. રાજભવનમાં પ્રવેશ મળ્યો. પરમાત્માના અનુગ્રહ વિના આગળ વધી શકાતું નથી. પરમાત્મા સિદ્ધ છે, સિદ્ધાલયમાં છે, અનંત આનંદના ભોક્તા છે. તેમનો અનુગ્રહ શું ? અત્યાર સુધી દ્રવ્યથી જ પ્રવેશ કરતો હતો. ગુણનો અંશ ન હતો. જે ભારે કર્મનો પ્રવેશ, દૂર્ભવ્યનો પ્રવેશ, અભવ્યનો પ્રવેશ તે પરમાત્માનો અનુગ્રહ ન હતો તેવો પ્રવેશ હતો. અત્યાર સુધી પરમાત્માનો અનુગ્રહ ન હતો. રાજભવન ગમતું ન હતું. હવે કર્મે વિવર આપ્યું. મોહનીય મંદ પડ્યું, બીજા કર્મો પણ મંદ પડ્યા. એ કર્મે વિવર આપ્યું છે. એટલે પરમાત્માએ જે કહ્યું તે ગમવા માંડ્યું. પરમાત્મા જ ગમવા માંડ્યા. એ જ પરમાત્માની કૃપા ઉતરી કહેવાય.. શુભભાવ ક્યારે થાય ? જિનવચન ગમે તો ! એ જ જિનની કૃપા છે. શુભભાવ જ્યારે પણ પ્રાપ્ત થાય છે, તે પરમાત્માના અનુગ્રહથી થાય છે. તમારી ભોતિક કે આધ્યાત્મિક સિદ્ધિ છે તેમાં પરમાત્માનો અનુગ્રહ છે. તમે શું માનો છો? તમને મળેલી ભૌતિક-આધ્યાત્મિક સિદ્ધિ, તમારા પુરુષાર્થથી છે? કે પરમાત્માના અનુગ્રહથી છે ? સર્વત્ર પરમાત્માની કૃપાને આગળ કરો. ક્રિયા કરતાં જ્ઞાન ચઢિયાતું છે ફાધર વાલેસ લખે છે કે એક બાપ મૃત્યુ સમયે પોતાના દીકરાને કહે છે. આપણી પાસે દશ વીઘા જમીન છે. તેમાં મેં ચિંતામણીરત્ન દાઢ્યું છે. મારા મૃત્યુ પછી સંકટ સમયે એ ચિંતામણીરત્ન તું લઈ લેજે, એક વખત તેને રત્નની જરૂર પડી. ક્યાં, કઈ જગ્યાએ દાઢ્યું છે ? એ તો કહ્યું જ નથી. છતાં ચારે બાજુથી ખોદવા માંડ્યું. ખોદતાં ખોદતાં ચિંતામણી મળી આવે છે. એના આનંદનો પાર નથી. તેને પિતા યાદ આવ્યા... પિતાજીનો કેટલો ઉપકાર કે મને આજે આ ચિંતામણી રત્ન આપ્યું છે. આ જ ન્યાય મોક્ષમાર્ગમાં લગાડવાનો છે. જો કે ન ખોદડ્યું હોત તો ન જ મળત, એ વાત પણ એટલી જ ચોક્કસ છે. છતાં પણ છોકરો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy