SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પણ ગુણ આત્મસિદ્ધ કરવા માટે તેનું (1) દીર્ધકાળ આસેવન (2) સતત આસેવન અને (3) વિધિ - આદર - ધગશ જરૂરી છે. | અનંતાનંતકાળની બહિર્ભાવની રમતોની આત્મા પર પડેલી ચોળમજીઠરંગી અસરો ભૂસવાનું આના વિના કેમ બને ? વળી માનવજીવન એક પ્રયોગશાળા છે. તે અતિ ટૂંકું છે. એમાંની એક પણ ક્ષણ કાર્યસાધક બનાવ્યા વિના કેમ જતી કરાય ? પણ. અફસોસ ! જે ભૂલવાનું છે તે જ ઘૂંટાય છે ! ખાસ ખ્યાલ રહે કે કાળ, કર્મ અને જગતના સંયોગો વિશ્વાસપાત્ર નથી. જિનવચનનું ખૂબ ખૂબ મંથન કરી જ્ઞાનનો અગ્નિ ધખાવવા જેવો છે. જેનાથી અનંત ભવોના કુસંસ્કારો અને અસંખ્ય ભવોનાં કર્મો બળીને ખાખ થઈ જાય. કર્મના ચોપડે પળેપળની રજેરજ, વિચાર, વાણી, વર્તનનો હિસાબ નોંધાયા વિના રહેતો નથી. એ ભૂલવા જેવું નથી. વર્ધમાનતપોનિધિ સ્વ. આચાર્યવિજયશ્રી ભુવનભાનુસૂરિ મહારાજા
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy