SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણિધાનની ઉપયોગિતા કરતાં આવડે છે ? મૂર્તિમાં પ્રભુનું દર્શન કરનાર વાસ્તવિક દર્શનાચાર પાળી શકે છે. આ છે દર્શનાચારની શરૂઆત.. આ છે પ્રેમતત્વની શરૂઆત. અને આ કર્યા પછી, જીવમાત્રમાં પ્રભુનું દર્શન, જીવમાત્રમાં પરમાત્મતત્ત્વનું દર્શન એ દર્શનાચારની પરાકાષ્ઠા છે. આવા જીવોને સમકિતની પ્રાપ્તિ અને સમકિત ટકાવવું સહેલું છે. વેદાન્તદર્શન કહે છે ““વહ્મ સત્ય સમિથ્યા'' જગતમાં જે દેખાય છે. તે ઘટપટ-મઠ ન જોતાં બધું પરમાત્માસ્વરૂપ જુઓ, ચોવીસે કલાક મતિજ્ઞાનના ઉપયોગમાં જે પ્રેમતત્ત્વ ઘુંટે છે, સ્વરૂપને ઘુંટે છે, પરમાત્માને ઘુંટે છે, તેના ઉપયોગમાંથી સંસાર ભાગવા માંડે છે. બાહ્ય સંસાર તેને કોઈ તબક્કે હેરાન ન કરી શકે. ત્યાગી-તપસ્વી બની આગળ વધવું છે ? કે દાન-પરોપકાર કરી આગળ વધવું છે? જે કરવું હોય તે કરો. બેમાંથી ગમે તે માર્ગ લ્યો પણ જ્ઞાનીનો એક કોલ છે, કે ક્યાંય તમારી ચેતનાને વિષ્ટારૂપ કષાયથી ખરડો નહીં. વિષ્ટાથી હાથે ખરડાય છે. કષાયથી ઉપયોગ ખરડાય છે. વધારે નુકશાન શેમાં? કષાયને અસ્પૃશ્ય સમજો છો ? જ્ઞાનીઓ કષાયને ચંડાળની ઉપમા આપે છે. કયો કષાય એવો છે કે જેને અંદર લાવવાથી ઉપયોગ ન બગડે? કષાયો પ્રેમતત્ત્વનો નાશ કરે છે. વિષયો-કષાયો અને આત્માનું સ્વરૂપ આ ત્રણમાંથી વિષયો અને આત્માનું સ્વરૂપ મૌલિકતત્ત્વ છે જ્યારે કષાયો આગંતુક છે. વિષયોના નિમિત્તે કષાયો પ્રગટ થાય છે અને તે રહે છે આત્મામાં.... આ રીતે વિષયો મૌલિક તત્ત્વો હોવા છતાં આત્મામાં દુષ્ટ કષાયોને ઊભા કરતાં હોવાથી આત્માને બગાડે છે. માટે વિષયો ત્યાજ્ય છે. એનો ત્યાગ કુનેહથી કરવાનો છે. જે વિષયો સ્વરૂપ નથી તેને કળથી છોડી દેવા. સ્વરૂપને અતિશય આનંદ સ્વરૂપે જોતાં શીખો. વિષયોનો ત્યાગ, સંસારનો ત્યાગ કુનેહથી કરો. નિંદા કરીને ત્યાગ ન કરો. માનુષી સ્ત્રી અશુચીમય છે. આવું વારંવાર વિચારી, તેના ઉપર દુર્ગચ્છા ઉપજાવવી એ આશ્રવભાવના જરૂર છે. પણ આ નિષેધાત્મક સાધનાની સાથે વિધેયાત્મક સાધના પણ કરવી જરૂરી છે. આત્મા અનંત સુખ સ્વરૂપ છે આવું સમજાઈ જાય તો સ્ત્રીનું આકર્ષણ સહેજે છૂટી જશે. માત્ર અશુચીભાવનાના ખોખાથી મન તૈયાર કરેલું હશે તો તે મન દેવલોકમાં દેવી મળશે ત્યારે શું કરશે? ત્યાં અશુચીભાવના કેવી રીતે લગાવશો? ત્યાં દેહમાં અશુચી જ નથી. માટે જ વસ્તુને positive અને Negative બંને રીતે તપાસો, પુદગલ પર છે, આત્મા સ્વ છે' એવું બરાબર બેસી જાય તો સ્ત્રીનું આકર્ષણ (ભલે મનુષ્ય સ્ત્રી કે દેવી) સહેજે છૂટી જશે. પ્રણિધાનની ઉપયોગિતા. હું કોણ છું? મારું સ્વરૂપ શું છે ? મારે શું મેળવવાનું છે ? અને હું શું મેળવી રહ્યો છું ? આવું સ્વરૂપનું પ્રણિધાન નિરંતર કરવાથી મોહરાજાની સામે જીત મેળવી શકાશે. મોહરાજા ઉપર વિજય મેળવવો છે, તો પ્રણિધાન દઢ કરતાં રહેવું જોઈએ. પ્રણિધાન જેટલું કાચું, તેટલું મોહનું ખેંચાણ વધારે અંદરના મોહના પ્રણિધાનની સામે પ્રતિપક્ષી વિપરીત પ્રણિધાન કરતાં શીખવાનું છે. આ જ ઊંચો ધર્મ છે. જે ક્રિયાને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy