SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિ માત્રથી ચોર ભાગી જાય છે, ૩૩૮ દુખનો કાળ અનંતો છે. સંસારમાં ક્ષણનું સુખ, મણનું પાપ, અને ટનનું દુઃખ છે એ વાત ભૂલવા જેવી નથી. પુણ્યથી મળેલા સુખને મસ્તીથી ભોગવ્યા પછી તેનાથી મળતા દુઃખનો કાળ અનંતો છે. જયારે સુખને છોડ્યા પછી આવતા દુઃખનો કાળ મામુલી છે, મર્યાદિત છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી સંસારનું સુખ ભોગવવા રહ્યા. ૭૧૬ વર્ષો તેઓ જીવ્યા. છેલ્લા ૧૦ વર્ષો આંધળા બન્યા છે. રૌદ્રધ્યાનમાં આવ્યા. ઘણા દુઃખો ભોગવ્યા. વચલા કાળે ચક્રવર્તીના સુખો પણ ભોગવ્યા, પણ મરીને નરકે ગયા છે. બારમાંથી સુભમ અને બ્રહ્મદત્ત બે ચક્રવર્તીઓ નરકે ગયા છે. બ્રહ્મદત્ત એ છેલ્લો છે. સનતકુમાર અવસરે ચેતી ગયા. મળેલા સુખને છોડી દીધા. બે લાખ વર્ષનું આયુષ્ય છે. એક લાખ વર્ષ ગૃહસ્થવાસમાં છે, એક લાખ વર્ષ ચારિત્ર પાળ્યું. ૭૦૦ વર્ષ સુધી ૧૬ મહા રોગો સમતા ભાવે સહન કર્યા. આવતા દુઃખમાં વિકલ્પ નથી કર્યા. એ આત્માએ દુઃખને દ્રષ્ટાભાવે જોયા કર્યા તો તે કર્મો આત્મા ઉપરથી ખરી પડયા. તમે પણ સુખ-દુઃખમાં ઉદાસીન બની જાવ, દ્રષ્ણ બની જાવ. દશ્યને જોયા કરો. પુય કે પાપનો ઉદય એ દૃશ્ય છે કે દૃષ્ટિ છે ? દૃશ્યને જોવાનું હોય કે ભોગવવાનું હોય? તમે દશ્યને સમભાવે જોયા કરો તો એ કર્મ ખરી પડે છે. ચરમાવર્તમાં કર્મ તો ઉપયોગ માત્રથી ખરી જાય તેવા નબળા છે. કર્મ પુદ્ગલ છે. જીવના ઉપયોગની તાકાત છે કે દૃષ્ટા બનીને રહે, એટલા માત્રથી કર્મો ખપી જાય છે, દષ્ટિ માત્રથી ચોર ભાગી જાય છે. ઘરમાં હીરા મોતી, માણેક વિ. ઘણું દાટયું છે. તમે ત્રણ દિવસ માટે બહારગામ ગયા છો. ત્યાં ચોરો આવ્યા. ત્રણ દિવસ સુધી ખોદ્યા કરે છે. મજૂરી કરીને પોટલા બાંધ્યા અને તમે આવ્યા. તમે ફકત દૃષ્ટિ જ કરી છે. તમારી દૃષ્ટિ પડ્યા પછી ચોરના પગ કેવા? તેનું મોં કેવું? તેની તાકાત કેવી? તે પછી કઈ રીતે નીકળે? માલ લઇને નીકળે કે માલ લીધા વગર? તમે તો માત્ર જૂઓ જ છો બોલતાં નથી મારતાં નથી ચોર તરીકે માત્ર જાણી ગયા છો એટલા માત્રથી તેની શકિત હણાઈ જાય છે. પછી કેટલી ઝડપથી ભાગી જવું પડે છે. બસ, તેવી જ રીતે પુણ્યોદય કે પાપોદયને તમે ભોગવો નહીં તો કર્મ ભાગી જાય છે. અઘાતી કર્મોને બળ, સત્તા આપનાર જીવ પોતે જ છે. તેરમે ગુણસ્થાનકે એકજ ક્ષેત્રે કેવળજ્ઞાન, આત્મપ્રદેશ, ઔદારિક શરીર, અઘાતી કર્મનો ઉદય છે. છતાં કેવળજ્ઞાનને કોઈ અસર કરી શકતું નથી. અઘાતી કર્મના ઉદયથી કેવળ જ્ઞાનને જરા ય આંચ આવતી નથી. આ સિદ્ધાન્ત કહે છે કે આત્મા પોતે પોતાના ઘરમાં રહે તો ઘાતી ને નીકળવું જ પડે છે. અને ઘાતી કર્મ નીકળે એટલે બળી ગયેલી સીંદરીવત્ અઘાતી કર્મને પણ નીકળવું જ પડે છે. તેમ તમે તમારા ઘરમાં રહો તો કર્મને નીકળવું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy