SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકને જિનવાણીશ્રવણ અવશ્ય કરવા યોગ્ય છે. ૩૩૪ છે. આજે જ્ઞાનમાંથી રાગ છૂટો પાડવાનો પ્રયત્ન જ આપણે કરતાં નથી. આજે તમારા ઘર્મની ટીકા કેમ થાય છે? તમારો ધર્મ કેમ વગોવાય છે ? અત્યંતર પુરુષાર્થના અભાવમાં આ પ્રમાણે થાય છે. આજે ઘર્મીને રાગમાં મીઠાશ લાગે તો તે, બહુ દુઃખદ છે. રાગમાં મીઠાશની અનુભૂતિ થાય છે તે મિથ્યાત્વ છે. રાગ થતાં જ વ્યાકુળતાનું સંવેદન થાય તો તે જાગૃતિ છે. સમ્યકત્વ છે. આવું વારંવાર થવાથી ઉપયોગ વિષયોમાંથી પાછો ફરશે અને આત્મઘરમાં સ્થિર થશે. જેને રાગમાં વ્યાકુળતા દેખાય છે, તે વ્યકિત રાગના પાત્રોને, પદાર્થોને મારા મારા કહે ખરો?, મારા મારા માને ખરો? આજે રાગનો હડકવા લાગ્યો છે. હડકાયું કૂતરું કરડે તો શું થાય? આપણી હડકાયા કૂતરાં જેવી સ્થિતિ છે. માટે બધાને કરડ્યા કરીએ છીએ. આપણા વિચારોથી જે પ્રતિકૂળ હોય તે બધાને કરડ્યા કરીએ છીએ. બાહ્ય પુરુષાર્થ ઉપર ગ્રન્થિ ભેદાશ નહીં અત્યંતર પુરુષાર્થ જોઇશે. સ્વક્ષેત્રે પુરુષાર્થ કરવાનો છે. આંતરક્ષેત્રે યુદ્ધના ધોરણે ઝુંબેશ ઉપાડવાની છે. કષાય અંદરમાં ચોંટેલા છે. આત્મક્ષેત્રે વ્યાપેલા છે. તેને ઉપયોગમાંથી ખસેડવાના છે. જગતનાં બાહ્ય પદાર્થોને ચોંટવાથી કષાય નીકળે? કષાયના પરિણામ શેનાથી ઘટશે? વિષાયાસકિત એ કષાયોત્પત્તિનું બીજ છે. માટે વિષયોથી દૂર રહો, વિષયવૈરાગ્યને ઘૂંટો, યથાશકિત તેનો ત્યાગ કરો. પેલા ભાઇએ તો વ્યાખ્યાન પછી જે પદાર્થ વ્યાખ્યાનમાં આવ્યો તેની ચર્ચા, વિચારણા કરી. અંદરમાં કેટલી ટાઢક હોય તેને આવી ચર્ચા-વિચારણા કરવાનું મન થાય? તમે તો વ્યાખ્યાનમાંથી ઉઠો એટલે ભાગાભાગ કરો છો. તમે જે સાંભળ્યું છે તેને ઘુંટટ્યા કરો. અંદરમાં વિચારો કે મને કયા કષાયો કયારે પીડે છે ? આ ચિંતન કરશો, બહુ મંથન કરશો ત્યારે રાગાદિ ઓળખાશે. રાગાદિના વ્યાપક ક્ષેત્રને સૌ પ્રથમ ઓળખો, સમજો, સ્વીકારો, કાઢવા પ્રયત્ન કરો, તેનું સાતત્ય જાળવો, ત્યારે વિકાસ થશે. ઉપયોગમાં રહેલી રાગાદિ પરિણતિને તત્ત્વચિંતનના બળે નાથવાની છે. અને જ્ઞાનરૂપી માખણ પેદા કરીને રાગ રૂપી છાશને ફેંકી દેવાની છે. વ્યાખ્યાનની ચર્ચા કર્યા પછી પેલા ભાઈ આગળ ગયા. ત્યાં સામેથી ભિખારી મળ્યો. તેના હાથમાં આ નંગ હતું. તે ઉછાળતો હતો. તેને રમવા માટે ચકચકિયું મળી ગયું. આની પાસેથી કેવી રીતે લેવું? ભાઈ વિચારે છે. આનામાં ઓળખાણ નથી, છતાં સીધી રીતે મને નહીં આપે. ત્યાં આ નંગ ઉછળતાં ધૂળમાં પડી ગયું. ભાઇએ પગથી દાબી દીધું. ભીખારી કહે, મારે ચકચર્ષિ મને આપી દો. તારે શું કરવું છે? હું તને મિઠાઈ ખવડાવું. તેને મીઠાઈ ખવડાવી. બીજી ખવડાવો તો ફરી ખવડાવી. સો-બસો રૂપીયા આપી દીધા, અને હીરાનું નંગ મેળવી લીધું. ભવિતવ્યતા પ્રમાણે થાય છે. જે ચીજ ખોવાય છે. તે વખતે સામાન્યથી તેને જોઈ લેવી. પછી ન મળે તો, કાળ વિલંબ થવા દેવો જોઇએ. પણ તે માટે મન શું કામ બગાડવું જોઇએ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy