SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ યોગદષ્ટિનાં અજવાળાં - ભાગ-૨ પંન્યાસ વિ.ને મૂકીને જવું પડે છે. અકબરને જિનવાણી પ્રત્યે એવો લગાવ છે કે જયારે તે યુદ્ધ કરવા જાય છે ત્યારે પણ મહાત્માઓને સાથે લઈને જાય છે. રસ્તામાં પણ જિનવાણી સાંભળવા જોઈએ. આ કેવો રસ હશે? જિનવાણીથી આત્મા ઉપર સતુનો રંગ ચઢે છે, અને અસતુનો રંગ ઉતરે છે. ધર્મ પામવા માટે જિનવાણી શ્રેષ્ઠ છે. જિનપૂજાથી જેટલા ધર્મ પામ્યા છે તેના કરતાં જિનવાણીથી ધર્મ પામનાર ઘણાં છે. અનાદિકાળથી આત્મા ઉપર અસતુનો જે રંગ ચઢેલો છે તે આ જિનવાણી શ્રવણથી ઉતરી જાય છે. જેમ કૂવો ખોદતાં સેર નથી ફૂટતી તો શ્રમ નકામો થાય છે. હાથમાં કંઈ આવતું નથી તેમ જિનવાણી સાંભળતા અંદરથી આનંદ પેદા ન થાય તો તે શું કામનું ? શ્રાવકને જિનવાણી શ્રવણ અવશ્ય કરવા યોગ્ય છે. જે કાર્ય અભિપ્રેત હોય અને તે ન થાય તો શું કામનું? શ્રાવકને જિનવાણીશ્રવણ અવશ્ય કરવા યોગ્ય છે. મુંબઈમાં વેણીચંદ સુરચંદનો ભત્રીજો જિનવાણી સાંભળવા બેઠો છે. સાંભળ તાં સાંભળતાં વીંટી ઉપર નજર પડી, તો વીંટીમાં નંગ નથી. તે કયાંય નીકળી પડયું છે. તે સમયમાં ૧૯૦૦૦ રૂ. નું નંગ હતું. હીરો શોધવા જાઉ તો જિનવાણી મુકવી પડે. વ્યાખ્યાન આત્માને પવિત્ર બનાવે છે. આ હીરો કાચનો છે. પુદ્ગલ છે. જિનવાણીથી આત્મા ઉજજવળ બને છે. જિનવાણીના ભોગે મારે હીરો શોધવો નથી. ભવિતવ્યતા હશે તેમ થશે. એક કલાક સુધી વ્યાખ્યાન સાંભળ્યું વ્યાખ્યાન ઉઠયા પછી બહાર અડધો પોણો કલાક ચર્ચા કરી. આવું કયારે બને? અંદરથી જિનવાણીના શ્રવણનો રંગ હોય ત્યારે બને. અંદરમાં આત્મા કેટલો ઠર્યો હોય ત્યારે આવું થાય! જ્ઞાન અને રાગ બંનેના કાર્યો જુદા છે. જ્ઞાનમાં રાગ વણાયો છે. તેથી આવા સમયે ઉકળાટ, આકુળતા, વ્યાકુળતા થાય છે. જ્ઞાન સ્વભાવે શાંત છે. રાગ સ્વભાવે આકુળતા વ્યાકુળતાનો ઉત્પાદક છે. કષાય કરવા જેવા નથી. રાગ એ અંતર્ગત પરિણામ છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલો છે. તે ચેતનાનો અશુદ્ધ પર્યાય છે. આત્માને બહારમાં રાખનાર આ રાગ જ છે. જ્ઞાનમાંથી આ રાગ છૂટો પડે તો આત્મા ઘરમાં આવી શકે. રાગમાં હેય બુદ્ધિ થાય અને એનાથી છૂટવા માટે જીવ અંતરક્રિયા કરે છે. ત્યારે હંસચંચુ ન્યાય કહેવાય છે. જ્ઞાનમાંથી રાગને છૂટો પાડવો એ અત્યંતર મોક્ષમાર્ગ છે, નૈશ્ચયિક મોક્ષમાર્ગ છે. પ્રશ્ન : આપણે શું કરવાનું છે? ઉત્તરઃ જયારે જયારે ઉપયોગ બહાર જાય એટલે ઉપયોગ વિષયોમાં ખેંચાય ત્યારે આત્માને ખબર પડવી જોઈએ કે આ સ્વભાવથી વિપરીત પ્રવર્તન છે. એમાં હું ઠર્યો તો તે વ્યાકુળતા છે. ચંચળતા છે, ચિત્તની અસ્થિરતા છે. અને તેમાંથી ખેંચીને ઉપયોગને પાછો વાળવો. આવા અથાગ પરિશ્રમે જ્ઞાનમાંથી રાગ છૂટો પડે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy