SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ તૃષ્ણાથી સુભમ લવણમાં ૩રર. મેળવવા પૈસા આપો છો માટે કિંમત છે! જયાં એમ જાણ્યું કે આ ધંધામાં પુણ્ય નથી તો બીજા ધંધામાં કયાંથી સફળતા મળવાની છે? પુણ્યનો અભાવ તો સર્વત્ર છે. તેથી પ્રાજ્ઞ માણસે ધંધાને તાળું મારવું જોઈએ. ખોટા ખર્ચા અટકાવવા જોઈએ અને નવો ધર્મ વધારવો જોઇએ. ઘર્મથી પુણ્ય વધશે અને ફુટેલું પુણ્ય દૂર થશે, ખૂટેલું પુણ્ય ધર્મથી વધશે. જયારે પુણ્ય ખૂટે ત્યારે નવો ધંધો કરવો એ હાર્યો જુગારી બમણું રમ્યા બરોબર થાય છે. યુધિષ્ઠિર પાસા રમવા બેસે છે. હારતો જ ગયો, હારતો જ ગયો બધું મૂકતો જ ગયો છેવટે દ્રૌપદીને મૂકી આખું રાજય મુકી દીધું. આ બુદ્ધિમત્તા ન કહેવાય. બુદ્ધિશાળીની બુદ્ધિ આ વખતે ગેબ થઇ ગઇ, ભાગી ગઈ, ચોરાઇ ગઇ, આ એણે પુણ્ય માપ્યું કહેવાય? ના, ભૂલ એકે કરી, તેના ભોગ કેટલા બન્યા? અસત્ તૃષ્ણાથી સુલુમ લવણમાં સુભમનું પુણ્ય ન હતું તો ૧૬૦૦૦ યક્ષને એકીસાથે વિચાર આવ્યો કે હું જરા પાલખી નહીં ઉપાડું તો શું થવાનું છે? તો લવણસમુદ્રમાં પડ્યો, સાથે બધા પડ્યા છે. અસત્ તૃષ્ણામાં પડેલો શું લવણમાં જ પડયો છે? ના તેનું શબ લવણમાં છે, તે તો સીધો સાતમી નારકીએ ગયો. ૩૩ સાગરોપમની નરકનો મહેમાન થયો. સંસારનું આવું સ્વરૂપ છે. આપણને કર્મસત્તાના ગણિતનો, સજાનો ખ્યાલ નથી. કર્મસત્તા મુસલમાન કરતાં વધારે દૂર છે. બકરી ઇદને દહાડે બકરાને મારનાર, કાપનાર મુસલમાન કરતાં આ કર્મસત્તા વધુ દૂર છે. એ તો જેવું પાપ તેવી સજા કરે છે. કર્મસત્તા કંઈ જ જોતી નથી કે આ તીર્થકરનો જીવ છે કે ચક્રવર્તીનો જીવ છે? અસત્ તૃષ્ણાથી જીવ આગળ વધી શકતો નથી, માટે અસતુ તૃષ્ણાને કાપવા જેવી છે. તૃષ્ણા અને અજ્ઞાન પેરેલલ ચાલે છે. તૃષ્ણાના મૂળમાં અજ્ઞાન પડેલું છે. તૃષ્ણાની વિષવેલ અજ્ઞાનના પાયા ઉપર પથરાય છે. આજે તૃષ્ણા કેમ વધી છે? આજથી એક બે પેઢી પાછળ જાવ તો આટલી તીવ્ર તૃષ્ણા ન હતી. આજે કેમ વધી? એનો અજ્ઞાન સાથે સંબંધ છે. આજે આત્મા સંબંધી અજ્ઞાન વધ્યું છે જયાં આત્મબોધ નથી. સ્વરૂપની રુચિ નથી અને આત્મસ્વરૂપનું અજ્ઞાન છે. ત્યાં તૃષ્ણા વધે છે. સકળ જગત તે એઠ, અથવા સ્વપ્ન સમાન, તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. એક મહાપુરુષ જણાવે છે કે જેને જગતમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો એંઠરૂપ લાગે છે તે વાસ્તવિક જ્ઞાની છે. આ જ્ઞાન તે સમ્યગુ જ્ઞાન છે. તે સિવાયનું વાચિક જ્ઞાન છે. સમ્યગ જ્ઞાનમાં જગત જેવું છે તેવું પ્રતિબિંબિત થતું હોય છે. લાયકાતથી અધિક તૃષ્ણા પણ અસત્ તૃષ્ણા છે. શ્રીપાળને મયણા જોડે પરણવાનું થયું, તેના પિતાએ લગ્ન કરાવી દીધા છે. છતાં શ્રીપાળનું મન નારાજ છે કારણ કે પાત્રતાથી અધિક મળે તો જોઇતું નથી. બસ, આ જ તેની ઉત્તમતા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy