SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સમયે શ્રેણિકની ભાવના અને પશ્ચાત્તાપ ૨૯૪ તારા બાપે મારી બધી ઈચ્છા પૂર્ણ કરી છે. મારે તો ગર્ભપાત કરવો જ હતો, પણ તારા બાપે ગર્ભ પડાવવા ન દીધો. તારો જન્મ થયો. દાસી દ્વારા ઉકરડામાં નંખાવી દીધો. જ્યારે દાસી ઉકરડામાં નાંખીને આવે છે, સામે શ્રેણિક મળે છે. પુછે છે ત્યારે દાસીએ બધી સાચી વાત કહી દીધી. તારા બાપ તને ઉકરડામાંથી ઉપાડે છે, તારી આંગળી કુકડાએ ખાધી હતી. તારી પરૂવાળી આંગળી ચૂસીને તારા બાપે તને શાતા આપી છે. તેને જીવાડનારો તારો બાપ છે. આ સાંભળી કોણિકને આઘાત લાગ્યો. અહાહા.. મેં શું કર્યું? જમતાં જમતાં ઊભો થાય છે, બેડી તોડી નાંખુ, દરવાજા તોડી નાંખું, એમ વિચારી હાથમાં જે આવ્યું તે (કુહાડો) લઈને જલ્દી જાય છે. હાથમાં કુહાડો છે, પગમાં વેગ છે. મનમાં પશ્ચાત્તાપ છે. શ્રેણિક કુહાડો લઈને દોડતા આવતા કોણિકને જુએ છે, અને વિચારે છે કે એ હવે મને મારી નાખશે. અત્યાર સુધી તો ફટકા જ મરાવતો હતો પણ હવે મને મારવા આવ્યો છે. કોણિક મારે ને હું મરું, તો તેને પિતૃહત્યાનું પાપ લાગશે. એના કરતા તો હું જાતે મરી જાઉ તો તેને પાપ ન લાગે. તેથી હીરાકણી ચૂસીને મરી જાય છે. કોણિકને પારાવાર પશ્ચાત્તાપ થાય છે. તે રાજગૃહીમાં રહી શકતો નથી. રાજધાની બદલી નાંખી. ચંપાનગરી વસાવી. જ્યાં જાય ત્યાં પિતાની યાદ આવે છે. કોણિકનું શું થાય છે તે પછી જોઈએ, પણ શ્રેણિકે આયુષ્ય બાંધી લીધું હતું, તેથી નરકમાં ગયાં. જે ભૂલ કરી તેની સજા ભોગવવી પડે છે. આ વિચાર્યા કરીએ તો વેરાગ્ય આવે. સંસારનું દર્શન કરતાં આવડે તો પુણ્ય અને પાપનું નાટક દેખાશે. પણ આખો સંસાર દુઃખરૂપ છે, એવું લાગતું નથી. સંસારના સંબંધો વાસ્તવિક લાગે છે. કુટુંબ પરિવારને મારા મારા માનીને જીવવાથી કર્મો બંધાશે. તમે સંસારના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શક્યા નથી, રાગને કાઢવામાં જ પુરુષાર્થ કરવાનો છે. પત્ની પિતા વિગેરે અંદરથી જુદા છે. સંસાર સ્વરૂપને નખસીસ જોતાં શીખશો તો રાગ તૂટશે. ક્ષમાની, ત્યાગની પરિણતિ કેળવો. કયો સંસાર દુઃખરૂપ છે? પુણયના ઉદયથી મળેલો સોહામણો સંસાર કે પાપના ઉદયથી મળેલો બિહામણો સંસાર? બંને સંસાર પાપમય છે માટે દુઃખમય છે. આવું દિવસમાં યાદ આવે છે? દેહના, ઈન્દ્રિયના, માતાના, પિતાના સંબંધો દુઃખરૂપ જોતાં આવડે છે ? રાગના સંસ્કારો જ ગ્રંથિભેદમાં બાધક છે. જીવ વૈરાગ્ય પામતો નથી અને વૈરાગ્ય વિના રન્થિ ભેદાતી નથી. પર પદાર્થની સાથે રાગાદિ કરવાથી, અભેદ પરિણતિ કરવાથી આપણું ચૈતન્ય દબાય છે. સ્વરૂપ એ જ ભાવમરણ છે. એ જ આપણું વાસ્તવિક મૃત્યુ છે. એ જ આપણી સ્મશાનયાત્રા છે. ક્રિયા ગમે તેટલી કરો પણ ચેકીંગ કરો કે કેટલો રાગ તૂટ્યો? આ રાગ તોડવાનો પ્રયત્ન નહીં કરો તો છેલ્લે દીકરા બેવફા બનશે ત્યારે જીવને વૈરાગ્ય નહીં પામવા દે, તમને દુઃખ થશે, આર્તધ્યાન થશે. શ્રેણિકને આર્તધ્યાન નથી થયું. ધર્મધ્યાન છે. ઉપયોગમાં સંસાર નથી. પરિણતિમાં સંસાર નથી. આપણા ઉપયોગમાં રાગાદિભાવો તાદામ્ય ભાવે, લોહાનિ ભાવે વણાયેલા છે, તે મૂળ સંસાર છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy