SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં–-ભાગ-૨ શિષ્યોમાં સુખ માન્યું તે ભ્રમ છે. આત્મામાં જ સુખ છે તે દેખાતું નથી. ઘણા દીકરા હોય તો સુખ નહીં. ઘણા પૈસા હોય તો સુખ નહીં તેમ ઘણા શિષ્યો હોય તેટલા માત્રથી પણ સુખ નહીં. આજે ઉપદેશમાં એક માર્ગાનુસારીની વાતો રહી છે. હવે તો એ પણ ગઈ. જોક્સ, શાયરી, ટૂચકાઓ આવી ગયા છે. આજે સામાચારીની પકડ વધી ગઈ છે. અને તેમાં જ ધર્મની સ્થાપના કરવી – એ દૃષ્ટિરાગ છે. એ કેમ ચાલે? એને સાંભળનારા પણ ઠીક ઠીક પ્રમાણમાં હોય છે. પોતાને ઇષ્ટ સામાચારીમાં જ ધર્મ માનવો અને બીજાને માન્ય સામાચારીનું ખંડન કરવું, ટીકા ટીપ્પણ કરવી એ સાધકદશા નથી પરંતુ દષ્ટિરાગ છે, સાધક તે કહેવાય કે જેનામાં સાધના વિરુદ્ધ વાત ન હોય. સાધકમાં જાતિ, વર્ણ આશ્રમ કે સંપ્રદાયનું અભિમાન કે આગ્રહ હોતો નથી. બીજા પ્રત્યે હલકાપણાનો ભાવ હોતો નથી. સંસારથી વૈરાગ્ય અને પરમાત્મા પ્રત્યે (એના ઉપલક્ષણથી પ્રાણી માત્ર પ્રત્યે) પ્રેમ એ સાધકનું લક્ષણ છે. આત્માનું સ્વરૂપ, યોગનું સ્વરૂપ, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ–અપવાદને કહેનારા આજે બહુ ઓછા છે. જેને મોક્ષ પામવો છે તેણે આત્માને ઓળખવો જ પડશે. યોગની દષ્ટિ ને સમજવી પડશે. ક્યાંય દષ્ટિરાગ - કદાગ્રહમાં ફસાવું ન જોઈએ. દાનનું સ્વરૂપ મારું લેવા દ્વારા આ મહાત્માઓ મારા ઉપર ઉપકાર કરે છે. ફક્ત આ મહાત્મા જ નહીં પણ જગતમાં બાવા, જોગી, ભગત, ભૂલા-લંગડા વિગેરે પણ મારું લેવા દ્વારા મારા ઉપર ઉપકાર કરે છે. આજ સુધી લેવાથી જ રખડ્યા છીએ, અહંકારથી જ રખડયા છીએ. જો આપીએ નહીં તો લેવાની સંજ્ઞા તૂટે નહીં, આપ્યા પછી લેનારને ઉપકારી ન માનીએ તો અહંકાર તૂટે નહીં. જે મળ્યું છે તે આપવા માંડો. આપવાની ક્રિયા દ્વારા લેવાની સંજ્ઞા અને અહંકારની સંજ્ઞા તોડવાની છે. દેવલોકમાં કોઈ માંદુ પડતું નથી માટે સેવાનો પ્રશ્ન જ રહેતો નથી. બધા અબજોપતિ છે માટે દાન લેનાર જ કોઈ નથી. માટે દાન નથી. નરકમાં બધા પરાકાષ્ઠાએ દુઃખ અનુભવે છે તો ત્યાં કોણ કોની સેવા કરે ? દાન અને સેવા બંનેની મોનોપોલી મનુષ્યને મળી છે. તિર્યંચમાં દાન અને સેવા બન્ને નથી. કેમ?તિર્યંચ પાસે દાનનું સાધન લક્ષ્મી નથી. અને બે હાથ નથી મળ્યા માટે સેવા નથી. એને ચાર પગ છે. સેવા શેનાથી થાય? હાથથી કે પગથી થાય? તમને મળેલા બે હાથ આપવા માટે મળ્યા છે. હાથ કેટલા પુણ્યથી મળ્યા છે. આમ બે હાથે આપવાથી લાભ થાય છે. અને તમે બે હાથે લેવા જ માંડયા છો. તમે લઉં લઉં જ કરો છો. જેને લેવું જ બહુ ગમે છે. આપવું ગમતું નથી. તેનો મોક્ષ દૂર થઈ જશે. નહીં આપનાર અને આપીને અભિમાન કરનાર – બેમાંથી કોણ સારો ? હજી આપ્યા પછી અહંકાર કરે તો તે કદાચ ચાલે. કારણ કે આપીને તે બીજાનો ઉપકાર કરે છે. તેના આપવાથી (બીજાને) લોકોને તો લાભ થાય છે. એને પોતાને કદાચ મોડો-વહેલો લાભ થશે. પણ પેલો બીજો જે નથી જ આપતો તે તો દુષ્ટ છે. કારણ કે આપતો જ નથી. એમાં કોણ સારો ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy