SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આ મહાત્માઓ મારા ઉપર ઉપકાર કરી રહ્યા છે. સુપાત્રદાનનો લાભ આપવા દ્વારા મહાત્માએ મારા ઉપર ઉપકાર કર્યો છે. મને આવો સુંદર લાભ આપ્યો છે. એવું માને છે. તમારું જ લેવા છતાં, મહાત્મા તમારા ઉપર ઉપકાર કરે છે. “મને સંસાર સાગરથી તારે છે” એવો ભાવ આવે છે ? આજે ઘણા પ્રશ્ન કરે છે કે બધા દીક્ષા લેશે તો મહારાજ! તમને વહોરાવશે કોણ ? એની ચિંતા શું કામ કરો છો? તે વખતે ઝાડ-પાનમાં પણ ચમત્કાર સર્જાશે. બધાય પાંદડા રોટલી બની જશે, બધા સરોવરનાં પાણી ઘી બની જશે. પછી પ્રશન ઊભો રહેશે? જ્યાં પ્રશ્ન અસંભવિત હોય ત્યાં તેનો જવાબ પણ અસંભવિત જ આપવો પડે છે. સંગમ ગોવાળે મહાત્માને ખીર વહોરાવી. બધી વહોરાવી દીધી. ભાવોલ્લાસ વધે છે. આપ્યા પછી પણ અનુમોદના ચાલુ રાખી છે. આ મહાત્માએ મારા ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે !! મારે ઘરે ખીર ક્યાંથી હોય ! અને ખીર છે તો આવા મહાત્મા ક્યાંથી મળે ? આ મહાત્માએ મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. મહાત્મા ન આવ્યા હોત તો શું થાત ? જો ખીર પેટમાં પધરાવી હોત તો શાલિભદ્ર ન થાત, અને ચારિત્ર મળ્યું તે ન મળત. મહાત્માની મન મૂકીને કરેલી ભક્તિ આત્માને એકાવતારી બનાવે છે. જૂઓ ! ભિક્ષુકને, યાચકને, ગરીબને જે દાન આપવાનું છે તે તેમના ઉપકાર માટે નથી આપવાનું, પણ આપણી પોતાની જાતના ઉપકાર માટે આપવાનું છે. માંગનારયાચક મૂક ઉપદેશ આપે છે. ગત જન્મમાં છતી શક્તિએ મેં દાન નથી આપ્યું. તેના ફળ સ્વરૂપે આજે મારે માંગવાનો વખત આવ્યો છે. કોઈને પણ આપો, લાભ પોતાને જ થવાનો છે. - મહાત્માને દાન કર્યા પછી મારા ઉપર ઉપકાર થઈ રહ્યો છે. આપ્યા પછી પણ આદર – બહુમાન વધતાં રહે, મારો કોઈ પુણ્યનો ઉદય કે મને મહાત્માનો લાભ મળ્યો. એવા ભાવ સ્પર્શે તો ચારિત્ર મોહનીય કર્મ તૂટવા માંડે છે. આપણને આવા ભાવ નથી આવતાં માટે ચારિત્ર્યમોહનીય તૂટતું નથી. સાધુ મહાત્મા ગોચરીએ જાય છે તેમાં બે કારણો રહેલા છે. (૧) પોતાના સંયમ જીવનના પાલન માટે જાય છે. (૨) સામેના (વ્યક્તિ) શ્રાવકોનાં ઉપકાર માટે જાય છે. જ્ઞાની ભગવંતોએ સાધુને કેવો સુંદર ગોચરીનો માર્ગ બતાવ્યો છે. “અહો જિર્ણહિં અસાવજજા, વિત્તિ સાહૂણ દેસિયા, મુક્ષ્મસાહેણદેઉસ્સ, સાહુ-દહસ્સ ધારણા !!” સાધુને મોક્ષની, મોક્ષમાર્ગની સાધના કરવાની છે. તે આજ દેહથી કરવાની છે. અને આ દેહને ટકાવવા માટે આહારની પણ જરૂર રહે જ, તેને માટે કેવી નિર્દોષ! કેવી સુંદર ગોચર-ચય બતાવી છે ? બેંતાલીસ દોષ રહિત આહાર લાવવાનો. પાંચ દોષ રહિત વાપરવાનું. આ નિર્દોષ ચર્યા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy