SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારની ત્રિવિધતા સ્વરૂપનું લક્ષ્ય, સ્વરૂપ શુદ્ધિનો ખ્યાલ, સ્વરૂપ તરફની જાગૃતિ એ નિશ્ચય છે અને આચારમાર્ગનું અણીશુદ્ધ પાલન તે વ્યવહાર છે. બંનેનો સુમેળ તે મોક્ષમાર્ગ છે. જેમ સમુદ્રમાં મુસાફરી કરનાર નાવમાં બેઠેલા મુસાફરને, નાવિકને હોકાયંત્ર કઈ દિશા બતાવે છે, તે ચોવિસે કલાક જોવું પડે છે, અને તે તરફ હલેસા પણ મારવા પડે છે. એમ સંસાર સાગર તરવા માટે ચારિત્રની નાવમાં બેઠેલા સાધકને સ્વરૂપની દિશા તરફનું લક્ષ્ય સતત રાખવું પડે છે. અને વિધિ-નિષેધરૂપ આચાર પાલનના હલેસા માર્યા કરે, તો મોક્ષને પામી શકાય. વ્યવહારની જરૂર ક્યાં સુધી ? જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી. તેરમા ગુણઠાણા સુધી વ્યવહાર છે. ખુદ પરમાત્માને ઘાતીકર્મના ક્ષય પછી પણ આપણા (જગતના) પરિચયમાં આવવું પડે છે ? હા, શા માટે ? આપણા ઘાતી કર્મોનો નાશ કરીને તેમના જેવા બનાવવા માટે પરિચયમાં આવે છે. ઘાતી કર્મનો નાશ કરવા માટે પ્રભુ ઉપદેશ આપે છે. પ્રભુ તેમના જેવા બનાવે છે. તમે પણ સંસારી, (સાધુ) હું પણ સંસારી, અને તીર્થંકર પરમાત્મા પણ સંસારી. ત્રણે સંસારી ખરા ? મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી બધા સંસારી ખરા. ૨૨૨ સંસારની ત્રિવિધતા પણ સંસારી સંસારીમાં ભેદ છે. ફરક છે. (૧) તીર્થંકર પરમાત્માને શરીરનો સંસાર છે. (૨) સાધુને શરીરનો અને પરિગ્રહ (શરીર-મૂર્ચ્છ)નો સંસાર છે. (૩) ગૃહસ્થને શરીર, પરિગ્રહ અને ભોગનો સંસાર છે. પરમાત્માને ખાલી શરીર રહ્યું છે. અઘાતી કર્મના ઉદયે શરીરમાંથી આત્મા છૂટ્યો નથી. શરીરના સંસારથી સંસારી છે. શરીર છે ખરું પણ તેનો પરિગ્રહ નથી. ચૈતન્યનો ગોળો (નાળીયેરમાં ગોળાની જેમ) છૂટો પડી ગયો છે. સાધુને શરીરનો સંસાર છે, શરીર અને આત્માના પ્રદેશો એકમેક થયેલા છે. ચૈતન્ય ગોળો છૂટો પડ્યો નથી, માટે શરીરની અસર અમુક અંશમાં આત્મા ઝીલે છે. એટલા અંશમાં દેહનો પરિગ્રહ કહેવાય. શરીર પર યત્કિંચિત્ મૂર્છા છે. માટે શરીર એ પરિગ્રહ છે. શરીર મારૂં છે એ અવ્યક્તપણે બેઠું છે, એટલે (૧) શરીર સંસાર અને (૨) પરિગ્રહ સંસાર છે. ગૃહસ્થને શરીર-કર્મ ને આત્માનો લોહાગ્નિ ન્યાયે સંબંધ છે. ક્યાય અને ઉપયોગ લોહાગ્નિ ન્યાયે ભળેલા છે. ચૈતન્યના ગોળામાં રાગ દ્વેષનું પાણી ભરેલું છે, લીલું-પાણીચું નાળીયેર છે. એટલે શરીરને વાગે ત્યારે મને વાગ્યું - આત્માને અસર થાય છે. આ ભોગ સંસાર છે. - Jain Education International 2010_05 ગોશાળાએ પરમાત્માને તેજોલેશ્યા મૂકી પણ ઘાતી કર્મના નાશ પછી અઘાતીના ઉદયે આવતી શાતા-અશાતા ખાલી દેખાવની હોય છે. અંદરમાં - આનંદ વેદનમાં કંઈ ફરક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy