SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ जयउ सव्वण्णुसासणं યોગસરોવરના કાંઠેથી.......... પ્રાસ્તાવિક પ્રવાહ............... જૈનદર્શને આપેલો શાસ્ત્રખજાનો મજાનો છે. આગમિક પંચાંગી સાહિત્ય ઉપરાંત પ્રકરણ ગ્રન્થો, વિપુલ વ્યાકરણ સાહિત્ય, રસાળ કાવ્યશાસ્ત્રો, અલંકાર-છંદ અને કોશ ગ્રન્થો, દિલચસ્પી ચરિત્રગ્રન્થો, વૈરાગ્યવર્ધક ગ્રન્થો, અકા તર્ક ગ્રન્થો, સ્તુતિ ગ્રન્થો, સવિસ્તર આચાર ગ્રન્થો, યોગ અને અધ્યાત્મના ગ્રન્થોની ગલીઓથી શોભતું જૈનોનું સાહિત્યનગર એટલું તો રમણીય છે કે ખરો જિજ્ઞાસુ તેમાંની કોઈ એકાદ ગલીને ધરાઈને જાણવા-માણવામાં જ જીવન વ્યતીત કરી શકે છે. આ નગરની સોહામણી યોગગલીનું ઘણું ખરું આર્કિટેક્ટર અને ડિઝાઈનિંગ સૂરિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનું છે. ભદત ભાસ્કર, પતંજલ ઋષિ વગેરેના ગ્રન્થોમાંથી મળતા યોગવિષયક નવિન પદાર્થોને સ્વસમયના અવિરોધપૂર્વક સ્વકીય ગ્રન્થોમાં અવતરણ કરીને તેઓશ્રીએ જૈનયોગશાસ્ત્રોની પ્રમેયસમૃદ્ધિમાં ગજબનો ઉમેરો કર્યો છે. આવા કોઈ ઉપક્રમ થકી તો આપણને યોગવિંશિકા, યોગશતક, યોગબિન્દુ અને યોગદૃષ્ટિ સમુચ્ચય જેવા ગ્રન્થરત્નોની બહુમૂલી ભેટ મળી. યોગના ગ્રન્થોમાં એક આગવી શૈલીથી આત્મલક્ષિતાને અગ્રતાક્રમ અપાયો છે. આમ પણ અધ્યાત્મનો પાયો આત્મલક્ષિતા છે. પૂર્વ અને પશ્ચિમની વિચાર સંસ્કૃતિમાં આ જ એક મૌલિક તફાવત છે. ત્યાં તો આત્મવાદના જ ફાંફા છે. ડાર્વિનના મન્તવ્ય મુજબ માણસનો પૂર્વજ વાંદરો છે. તેની પાછળ મુખ્ય તર્ક એ જ અપાયો છે કે વાંદરાનું physical structure માણસના physical structure ને ઘણું ખરું મળતું આવે છે. અનાત્મવાદી અને શરીર કેન્દ્રિત વિચારસરણીની નિપજરૂપે માત્ર શારીરિક અનુરૂપતા જોઈને સિદ્ધાન્ત બંધાયો કે વાંદરામાંથી માણસ બન્યો. જ્યારે આપણી વિચારસરણીમાં આત્મવાદ છે. તે spiritual similarity જોઈને કહેશે કે અપુનર્બન્ધકમાંથી સમકિતી બન્યા, સમકિતીમાંથી દેશવિરતિધર બન્યા, તેમાંથી સર્વવિરતિધર પછી ક્ષપક અને તેમાંથી સિદ્ધ બન્યા. અનાત્મવાદ એ કાતિલ ઝેર છે. પાપની સાહજિક નિવૃત્તિમાં આત્મવાદ અને આત્મલક્ષિતા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પશ્ચિમમાં પાપો પુષ્કળ છે કારણ ત્યાં અનાત્મવાદ વકર્યો છે. રેશનાલિઝમના પુરસ્કર્તા અને અનુયાયી વર્ગ આત્માને nonsense કહે છે. વાતમાં કાંઈ ખોટું પણ નથી. sense એટલે ઇન્દ્રિય. આત્મા સ્વભાવે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy