SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ રે સંસ્કારો તેનાથી એમને એમ નીકળી જતા નથી. અનાદિ કાળથી બીજાઓને ત્રાસ આપી, હેરાન – પરેશાન કરી, માર-પીટ કરી પોતાની સુખની લાલસાને જીવ માત્રે પુષ્ટ કરી છે. દુર્જનતા અને વિલાસિતાના સંસ્કારોના ઢેરના ઢે૨ આત્માએ ઉભા કર્યા છે. અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનો તીવ્ર રસ કાર્મણ વર્ગણામાં નાંખી એને કર્મ રૂપે આત્મા સાથે એકમેક કર્યા છે. આ રસ અને તેના દ્વા૨ા ઉદયમાં આવતી દૂર્જનતા, વિલાસિતા વગેરે ત્યારે જ તૂટે કે જીવ યોગના પહેલા પગથિયે આવી સજ્જન બને, શાણો બને, પરોપકારી બને, નમ્ર બને, વિવેકી બને, લેવાની વૃત્તિ છોડી હવે આપવામાં આનંદ અનુભવે, દુઃખી જીવો પ્રત્યે અત્યંત કરુણાવાળો બને, સર્વત્ર ઉચિત વર્તન કરનારો બને અને અનંત અનંત દુ:ખની ગર્તામાં ધકેલી દેનાર આ ઘોર સંસાર ઉપરથી બહુમાનને હટાવનારો બને. આવી સ્થિતિ આવે ત્યારે જ જીવ યોગ માર્ગના પગથિયે આવે છે અને પછી પણ યોગમાર્ગમાં આગળ વધવા માટે નિરંતર દેવ, ગુરુ અને કલ્યાણમિત્રનું આલંબન લેતો રહે. તેમના હિતોપદેશને આજ્ઞાવત્ માની જીવનમાં આચરે ત્યારે જ તે આત્મકલ્યાણના એક એક પગથિયા સર કરી આગળ વધે છે. માટે જ જૈન શાસ્ત્રકારોએ, યોગમાર્ગના વિકાસ માટે એક બાજુ જેમ ત્યાગ, તપ, સંયમ, જ્ઞાન અને ધ્યાનના પુરુષાર્થને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે તેમ બીજી બાજુ આત્માને ભૌતિક, આધ્યાત્મિક વિકાસ થતા - અહંકારથી બચાવવા - તારક તત્ત્વો પ્રત્યેની ભક્તિ, આદર અને બહુમાનને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. સાધક આત્મા આ બેમાંથી એકની પણ ઉપેક્ષા કરી શકે નહિ. વારંવાર સમ્યક્ પુરુષાર્થનું અવલંબન લેવાથી અને તારક તત્ત્વોની બીનશરતી શરણાગતિ સ્વીકારવાથી સત્તાગત કર્મોના રસની નિરંતર હાનિ થયા જ કરે છે. તેથી ઉદય પ્રાપ્ત દલિકો ઉદયાવલિકામાં આવતા જ અલ્પ રસવાળા થઈને આવે છે જેથી સાધક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ ઉપર નિરંતર ટકી રહે છે અને આગળ વધે છે. અર્થાત્ સત્તાગત તીવ્રરસયુક્ત દલિકો ઉદયમાં આવે ત્યારે ક્ષયોપશમ- ભાવાપન્ન રૂપે જ આવે છે જેથી તે તે કર્મ રોકાણકા૨ક ન થવાથી આત્મસત્ત્વબળે આત્મા આગળ આગળ વિશુદ્ધિને પામી ક્ષાયિકભાવને પ્રાપ્ત કરવાનું બળ પામે છે. પ્રસ્તુત ગ્રંથ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં ગ્રંથકારશ્રીએ યોગથી સમાધિ તરફ જવાનો માર્ગ બતાવ્યો છે ગ્રંથકારશ્રીની શૈલી સૂત્રાત્મક છે. થોડામાં ઘણું કહેવાનું કૌશલ્ય તેમને વરેલું છે. તેથી તેના ઉપર વિવેચન ક૨વામાં આવે તો વાચક વર્ગ તેના મર્મને પામી શકે એ આશયને લક્ષ્યમાં રાખીને આ પુસ્તક લખાયેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ મારા પરોપકારી આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.નું માર્ગદર્શન, પ્રેરણા, હિતોપદેશ મને ખૂબ જ સહાયક બન્યા છે. જ્યાં જ્યાં પદાર્થને સમજવામાં કાઠિન્ય લાગ્યું ત્યાં તેઓશ્રીએ એક ટોર્ચની જેમ પ્રકાશ ફેંકીને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy