SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ અનુબંધ પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે. પણ ક્રમસર ઘટતું જાય છે અને જીવ ચરમ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ વગેરે પામી ગ્રન્યિ ભેદ કરે છે. અને પછી પાંચમી સ્થિરાદેષ્ટિ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : પાંચમી દૃષ્ટિથી સદ્દષ્ટિ પ્રાપ્ત થાય છે છતાં આઠેઆઠમાં સદ્દષ્ટિ કેમ કહો છો ? ઉત્તર : સ્થિરાદિ ચાર પાછળની દૃષ્ટિ પામવા માટે પૂર્વની ચાર દષ્ટિ કારણ રૂપ બને છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને સદ્દષ્ટિ કહીએ છીએ. શેલડીની ચાર અવસ્થા છે તે ચાર પૂર્વની દૃષ્ટિ જેવી છે. શેલડી જ રસ બને છે. રસ જ કાવો બને છે. કાવો ગોળ બને છે. આગળ ખાંડ-સાકર-મસ્યડી, વર્ષોલકની અવસ્થા હોય છે. મિથ્યાત્વ + અનંતાનુબંધીનો રસ તૂટે તેમ પહેલીમાંથી બીજી દૃષ્ટિમાં આવવાનું બને. રસ વધુ તૂટતાં ઉત્તરોત્તર ત્રીજી, ચોથી વગેરે દૃષ્ટિ મળે છે. શેલડીમાંથી માધુર્ય અનુભવાય છે માટે શેલડીનું પરિણમન કહી શકાય છે. આ બધી જ દૃષ્ટિ તત્ત્વરુચિને વધારે છે. તત્ત્વરુચિ જેમ જેમ વધારે તેમ તેમ સંવેગમાધુર્ય વધે છે. સંવેગને માધુર્યની ઉપમા આપી છે. જેમ જેમ ધર્મક્રિયા કરતો જાય, આત્મા એકમેક થતો જાય તેમ તેમ આત્મિક સુખને અનુભવે છે, એને સંસારની પ્રવૃત્તિ અહિતકર લાગતી જાય છે. જે દૃષ્ટિમાં આગળ વધે છે તે સંવેગમાધુર્યને અનુભવે છે. અભવ્યો પાસે બોધ છે. દૃષ્ટિ નથી. પ્રશ્ન : બોધની સાથે કઈ ચીજ ભળે તો બોધ દષ્ટિ બની શકે છે ? ઉત્તર : અચરમાવર્તમાં બોધ હોઈ શકે, પુણ્યબંધ હોઈ શકે, સદ્ગતિ હોઈ શકે છે પણ દૃષ્ટિ નથી. ત્યાં ઓઘદૃષ્ટિ હોય છે. વૈષયિક સુખોમાં જ આનંદ આવે, ત્યાં જ સુખ દેખાય. તેમાં જ પરિપૂર્ણતા એ ઓઘદૃષ્ટિનું કાર્ય છે. નીતરતી વૈષયિક સુખની દૃષ્ટિના પ્રભાવે અને આત્માની અયોગ્યતાના કારણે અચરમાવર્તી જીવોને આત્મસુખની લેશ પણ શ્રદ્ધા ન થાય. આત્મબોધ હોઈ શકે છે પણ એ બોધ વૈષયિક સુખની બુદ્ધિમાં આંચ લાવવા સમર્થ નથી. આત્માનું મૌલિક સ્વતંત્ર સુખ છે એ વાત તેને રુચે નહીં. જીવને જ્યાં સુધી આ સંસારના સુખમાં દુ:ખરૂપતાની અંશે પણ બુદ્ધિ થતી નથી. વિષયો આત્મઅહિત કરનારા છે, રખડાવનારા છે એવું અંશેપણ ન લાગે ત્યાં સુધી આત્મામાં અધ્યાત્મ આવી શકતું નથી. દૃષ્ટિની પ્રાપ્તિ થઈ શકતી નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004611
Book TitleYogadraushtina Ajwala Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy