SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ માટે નથી. આમાં માયા નથી. પણ સામો આત્મા પચાવી શકે તેમ નથી માટે આ જવાબ આપ્યો છે, તમારે આબરૂ સાચવવી હોય, જગતમાં સારા કહેવરાવવું હોય તો આ માયા એ દોષ સ્વરૂપ બની જાય છે તો તમારા જેવો દંભી, પાપી કોઈ નથી. સ્ત્રી કરતાં સામાન્યથી પુરુષની બુદ્ધિ વધારે હોય છે. સ્ત્રી ભવ મળ્યો. હવે પોતાની બુદ્ધિને નિર્મળ કરવી, સ્વચ્છ કરવી આગળ વધારવી એ શક્યતા ઓછી થઈ ગઈ. [સંસારવર્તી મોહાધીન જીવો જગતમાં કશું પચાવી શકતા નથી] મા ગાંધીજીમાં પાપભીરુતા, સરળતા ભલે છે. પણ વિવેક નથી. મારો બાપ મૃત્યુ પામ્યો છે. શબ પડ્યું છે. પણ હું મારી પત્ની વિના રહી શક્યો નથી. આ એમની સરળતા ભલે ઘણી છે પણ બધાને કહીને ફાયદો શું ? એનાથી લાભ શું ? જ્યાં ત્યાં ન કહેવાય. અયોગ્ય સ્થાને ન જ કહેવાય અને યોગ્ય સ્થાને કહેવું જ પડે. પાપના પ્રાયશ્ચિત્તની યોગ્યતા આ ભવમાં જ છે. પાપ ખટકે છે ? ઢાંકવાં છે કે સુયોગ્ય સ્થાને ખુલ્લાં કરવાં છે ? અંદરમાં આટલા બધા મળ પડ્યા છે. અંદરમાં જ્યાં વિષયાસક્તિ જામ પડેલી છે. ત્યાં ધર્મક્રિયા કરે કેવી રીતે ? ધર્મક્રિયા કરે તો પણ તેનું યથાર્થ ફલ કેવી રીતે મળે ? પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય. અંદરના મળો વિશિષ્ટ ભાવોને પેદા જ ન થવા દે. આવો મનુષ્યજન્મ માત્ર નિષ્ફળ છે એમ નહીં પણ નુકસાનકારક પણ છે. પશ્ચાત્તાપ ન થાય તો પણ આલોચના લેવી કે ન લેવી ? પશ્ચાત્તાપ દરેકને આવે એવું નથી. કોઈને થોડો પશ્ચાત્તાપ થાય કે, મેં આ ખોટું કર્યું એટલું જ થાય. કોઈને પારાવાર પશ્ચાત્તાપ થાય. દુઃખી દુઃખી થઈ જાય. પશ્ચાત્તાપ ન હોય તો પશ્ચાત્તાપ લાવવા પ્રયત્ન કરવો, પણ પ્રાયશ્ચિત્ત તો લેવું જ રહ્યું. જ સીતાજીનો પૂર્વભવ છે. તેઓ વેગવતી નામની બ્રાહ્મણ કન્યા છે. તે વખતે ગામમાં એક જૈનાચાર્ય અતિશય પ્રભાવિક હતા. અનેક લોકો તેમનાથી ધર્મ પામતા હતા. કન્યાથી આ સહન ન થયું. વસંતઋતુમાં બધી વનસ્પતિ ખીલે છે ત્યારે જવાસો સુકાય છે. આ કન્યા પણ આચાર્યના ઉત્કર્ષથી કરમાઈ જાય છે અને આચાર્યશ્રીને કલંક આપે છે. લોકો આવતા બંધ થઈ ગયા. ધર્મ પામતા અટકી ગયા, ઉર્દુ અધર્મ પામવા લાગ્યા. બસ, અહીં જ પાપ બંધાઈ ગયું. આચાર્ય મહારાજને પોતાની પ્રતિષ્ઠાની પડી નથી પણ શાસનની અપભ્રાજનામાં પોતે નિમિત્ત બની ગયા એનું પારાવાર દુઃખ છે. મહાત્મા વિચારે છે કે મારા પૂર્વભવના કોઈ પાપનો ઉદય છે. પણ શાસનનું શું ? અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો. નજીકની અધિષ્ઠાયક દેવી જાગી. એણે વેગવતીને ગાંડી બનાવી દીધી. જીવને પાપ કરતાં જેટલો રસ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004611
Book TitleYogadraushtina Ajwala Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy