SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સેનપ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી ને નીકળી શકાય? ૧ર : મૂલવિધિએ તે બે ઉપધાન કરવામાં દિવસોનું ન્યુનપણું કે અધિકપણું જાણ્યું નથી. તેમ જ તે બે ઉપધાનમાંથી મહાન કારણ આવી પડ્યું હોય, તો તપ પૂરો થઇ ગયા પછી નીકળી જતાં જોવામાં આવે છે. પરંતુ દિવસની સંખ્યા જાણવામાં નથી ૩-૩૪-૫-૪૪૦-૭૮૯ પ્રશ્ન : ૩૧ ઉપધાનના એકાસણમાં અને છુટા પોસહના એકાસણમાં લીલું શાક વાપરવું કહ્યું? કે નહિ? ઉત્તર : બન્ને પ્રકારના એકાસણમાં લીલા શાક વાપરવાની પ્રવૃત્તિ હાલ નથી ૪-૩-૫-૬૪-૯૧૦ પ્રશ્ન : ૩૨ યોગ વહન કર્યા સિવાય સાધુ સિદ્ધાંત ભણે અને ઉપધાન વહન કર્યા સિવાય શ્રાવક નવકાર ગણે, તો અનંત સંસારી કહેવાય? કે નહિ? ઉત્તર : અશ્રદ્ધાએ જે યોગ અને ઉપધાન કરે નહિ, તે સાધુ અને શ્રાવક, સૂત્ર ભણે અને નવકાર વિગેરે સૂત્રો ગણે, તો અનંત સંસારીપણું થાય, એમ કહેવાય છે. ૪-૧૨-૫-૧૦૨-૯૪૮ પ્રશ્ન : ૩૩ ઉપધાનની વાચના સવારે લેવાની ભૂલી ગયા હોય, તો સાંજે ક્રિયા કર્યા પછી લેવાય? કે બીજે દિવસે લેવાય? જો બીજો. દિવસે લેવાય તો તે દિવસ કઇ વાચનામાં ગણાય? ઉત્તર : પ્રભાતે વાચના લેવાનું ભૂલી ગયા હોય, તો સાંજે ક્રિયા કરી રહ્યા પછી લેવાય અને સાંજે પણ ભૂલી ગયા હોય તો બીજે દિવસે પવેણાની ક્રિયા કર્યા પહેલાં લઇ શકાય છે, અને તે દિવસ આવતી - આગલી વાચનામાં ગણાય છે. ૪-૧૮-૩-૧૨૬-૯૭૨ પ્રશ્ન : ૩૪ મહાનિશીથના યોગ વહ્યા વગરના સાધુ પાસે શ્રાવિકા ઉપધાનની ક્રિયા શરીરની અસજઝાય માં કરી શકે ? કે નહિ ? ઉત્તર : અંતરાય છતાં પણ શ્રાવિકાને મહાનિશીથના યોગવાલા પાસે જ ઉપધાનની ક્રિયા કરવી પડે, બીજા પાસે ન થાય. ૨-૪-૧૧-૫૮-૧૯૪ bog obs Dog ઉપધાન cOo Doa વિધિ Jain Education national 2010 05 For Private & Personal use only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy