SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ચેષ્ટાઓ ન સમજાય એવી હોય છે, તેવી રીતે મનુષ્યોનું વર્તન પણ એવું જોવા મળે છે. તત્ત્વજ્ઞાનીઓને તો એ હાસ્યાસ્પદ લાગે એમાં નવાઈ શી ? [C] अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनयप्रणाली वास्थाने विधववनितायौवनमिव ॥ अनिष्णाते पत्यौ मृगदश इव स्नेहलहरी । भवक्रीडा व्रीडा दहति हृदयं तात्त्विकदृशाम् ॥२१॥ અનુવાદ : અપૂર્ણ વિદ્યાની જેમ, જાણીતા શઠ માણસની મૈત્રીની જેમ, રાજસભામાં અન્યાયની પ્રણાલિકાની જેમ, વિધવા સ્ત્રીના યૌવનની જેમ, મૂર્ખ પતિ આગળ કામણગારી સ્ત્રીનાં પ્રેમનાં લટકાંની જેમ આ સંસારની ક્રીડાની લજ્જા પણ તત્ત્વદૃષ્ટિવાળાઓના હૃદયને બાળે છે. વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ આ શ્લોકમાં દૃષ્ટાન્તો આપીને સમજાવે છે કે સંસારનાં સુખોમાં મચ્યા રહેવું, આનંદપ્રમોદની ક્રીડાઓ કર્યા કરવી એ તત્ત્વદષ્ટિવાળા જ્ઞાની પુરુષોને કેટલું બધું લજ્જાસ્પદ લાગે છે ! ભૂતકાળમાં અજ્ઞાનને વશ થઈ, મોહનીય કર્મના પ્રબળ ઉદયને કારણે એવી ક્રીડાઓ કરી હોય તો તેની સ્મૃતિ થતાં પણ લજ્જા ઉત્પન્ન થાય છે અને તે તેમના હૃદયને દઝાડે છે. પંડિતોની સભામાં વાર્તાલાપ કરતાં કે વાદીઓની સભામાં વાદવિવાદ કરતી વખતે અપૂર્ણ જ્ઞાનવાળો શરમાઈ જાય છે કે સંતાપ અનુભવે છે. દુષ્ટ કપટી માણસ સાથે મૈત્રી થઈ હોય અને પછી એની દુષ્ટતાની અને કપટદાવની જાણ થાય ત્યારે તે મૈત્રી કેટલી સંતાપ કરાવે છે ? જ્યાં સજ્જનો બેઠા હોય ત્યાં કોઈને અન્યાય થાય અથવા અન્યાયુક્ત પ્રણાલિકા ચાલતી હોય તો તેની તરત ટીકા થવા લાગે અને ચિત્ત સંતપ્ત થયા વગર રહે નહિ. કોઈ યુવતી વિધવા થઈ હોય અને તેનો યૌવનકાળ તેને સંતાપ કરાવે અથવા મૂર્ખ, અનિપુણ પતિ આગળ પ્રેમસભર પ્રમદાના પ્રેમસંકેતો નિષ્ફળ જાય અને તે મનમાં મૂંઝાય તેવી રીતે તત્ત્વજ્ઞાનીઓ પોતે પૂર્વે કરેલી સાંસારિક ક્રીડાઓ માટે લજ્જાયુક્ત સંતાપ અનુભવે છે. [७] प्रभाते संजाते भवति वितथा स्वापकलना । द्विचन्द्रज्ञानं वा तिमिरविरहे निर्मलदशाम् ॥ तथा मिथ्यारूपः स्फुरति विदिते तत्त्वविषये । भवोऽयं साधूनामुपरतविकल्पस्थिरधियाम् ॥२२॥ અનુવાદ : પ્રભાત થતાં સ્વપ્રની રચના નિષ્ફળ થઈ જાય છે તથા નેત્રવ્યાધિને કારણે બે ચંદ્ર દેખાતા હોય તેની દૃષ્ટિ નિર્મળ થતાં સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે તત્ત્વનું જ્ઞાન થતાં જેમના વિકલ્પો ટળી ગયા છે અને જેમની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે એવા સાધુઓને આ સંસાર મિથ્યારૂપ ભાસે છે. વિશેષાર્થ : આ સંસારમાં અનેક પ્રકારની ભ્રમણાઓ પ્રવર્તે છે. જ્યારે ભ્રમનિરસન થાય છે એટલે કે Jain Education International2010_05 પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy