SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચવામાં આવ્યું, છતાં સૂરા હારાએ માન્યું નહિં, અને ગુરૂવચન હૃદયમાં ધાર્યું પણ નહિં. સૂરતના સંઘ ઉપર બીજે પત્ર. કલ્યાણવિજય વાચકે આ હકીકત પણ પાછી ગુરૂ ઉપર લખી. સૂરિજીએ ઝટ એક બીજે સમ્ર પત્ર સૂરતના સંઘ ઉપર લખે. હેની અંદર લખ્યું કે – સૂરે વહોરે સાગરને મળેલો છે. કલ્યાણવિજય ઉપાધ્યાયની સાથે તે ખરાબ વચન બોલે છે. તે સાંભળીને હને અસંતોષ છે. અગર હમે હને સતષવા ચાહતા હે, તે સમસ્ત સંઘની સા ક્ષિએ સૂરા હેરાને, ઉપાધ્યાયના પગમાં પડાવી મિચ્છામિ દુક્કડ દેવરાવે. આ હકીકતને પત્ર આવશે, હારેજ હુને સંતોષ થશે. જે મ્હારા આ કથન પ્રમાણે નહિં થાય, તે સુરતમાં કે ચોમાસુ - હશે નહિં. બીજી વાત એ છે કે–અગર સૂરેહેરે મુનિને ઘણે અવિનય કરશે, તે તેના ઘરેથી કોઈપણ સાધુ-સાધ્વી અન્નપાણું લે નહિં, એવી હું ચિઠ્ઠી લખી મેકલીશ. પછી હમે કહેશે કે અમને જણાવ્યું કેમ નહિં ?” ઉપર પ્રમાણેનું સર્ણ લખાણ આવતાની સાથેજ સુરા હેરાએ સંઘની સાક્ષીએ મિચ્છાદુક્કડ દીધે, અને પછી હેને સંઘમાં લીધે. સૂરિજીનું સૂરતમાં ચોમાસું. આ વખતે સોમવિજય ઉપાધ્યાય મરૂદેશમાં વિચારી રહ્યા હતા. સં. ૧૬૬૦ ની સાલમાં નિયવિજયઉપાધ્યાયે સૂરતમાં ચોમાસુ કર્યું. હેમણે હીરવિજયસૂરિના વચનેથી સાબરમતનીઘણું હાની કરી. આ પછી સં. ૧૬૬૨ ની સાલમાં સૂરિજી (ગચ્છનાયક) સૂરત પધાર્યા, અને ચોમાસુ રહ્યા. સૂરિજીના બિરાજવાથી સંઘે ઘણું ઘણું દ્રવ્ય ખરચ્યું. આ વખતે પણ સાગરમતવાળાઓએ ઘણે ખળભળાટ [ ૨૪ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy