________________
ઉરછેદ થઈ શકે નહિં વળી તેઓનું જે કંઈ પણ લેખામાં ન ગણાતું હેય, તે પછી ચભંગી શા શાટે કહેવામાં આવી? કેમકે હેમાં તે હેમને દેશથી આરાધક કહા છે, અગર તેમનામાં જે સાધુપણું ન હોય, તે જૂઓ કાણુગસૂત્રની અંદર કહેલી તે ભંગી. વળી મુનિમાં દ્રવ્ય, ભાવ, નામ અને સ્થાપના, એ ચાર નિક્ષેપ ઘટાવ્યા છે. હેમાં ભાવ અને થાપના ન હોય, ત્યહાં દ્રવ્ય અને નામ ન હોય, એવું કંઈ નથી. હાં તે ચારે આરાધક કા છે. હેમનામાં સાધુપણું કઈ બાધતું નથી.
હવે રહી વાંદવાની વાત. હેને માટે માત્ર એકજ દષ્ટાન્ત જુઓ. કુલંબી (કણબી), ભાટ અને રાજપૂત, એ લેકેની છાશ લઈ શકાય છે, પરંતુ પાણી કે રાંધેલું અન્ન લેવાતું નથી. કેમકે હે વ્યવહાર નથી. હેવી રીતે વ્યવહારથીજ વંદણા થતી નથી. કહેવાની મતલબ કે તેઓમાં સાધુપણું કેઈ અંશે છે, માટે તેમનાં પ્રતિષ્ઠિત બિંબે વાંદવાને ગ્યજ છે.”
સાતમે બોલ–સ્વામિવાત્સલ્ય કરતાં સગપણના કારણે જે કઈ પરપક્ષી આવી જાય, તે તે સ્વામિવાત્સલ્ય નિષ્ફળ જાય છે, એમ જે કહેવામાં આવે છે, તે ખોટું છે. અહિં, એમ નિષ્ફળ કહેવાવાવાળા એવી યુક્તિ આપે છે કે-ખીરના ભાજનમાં વિષનું બિંદુ પડવાથી, તે બધી ખીર નકામી થઈ જાય છે; હેવી રીતે સ્વામિવાત્સલ્ય પણ સમજવું. પરંતુ આ યુક્તિ ઠીક નથી. ધારો કે ચાર હજાર માણસે એક સ્વામિવાલ્યમાં જમતાં હેય, હેની અંદર ચાર માણસે પરપક્ષીના આવ્યા હોય, તેનાથી ચાર હજાર માણસને જમાડ્યાનું પુણ્ય કંઈ ફેક થઈ શકે નહિં. એકના લીધે બીજાનું પુણ્ય ઠેલાઈ શકાતું નથી. જહેમ વિષમિશ્રિત ખીરના ભાજનમાં અલ્પ અમૃત નાખવામાં આવે, તે તે ખીર નિવિષ થઈ જાય છે, તેમ સ્વામિવાત્સલ્યના પુણ્યથી તે (દેષ) પણ નષ્ટ થાય છે. તેટલા માટે સ્વામિવાત્સલ્ય ફેક થતો નથી.
[ ૧૭ ].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org